SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ અન્યોન્ય. ઢા. જો શ્ર્ પ્રકાશવુ એ ક્રિયારૂપ છે. કોઈ પણ ક્રિયા સ્વય". સ્વવિષયમાં હાઈ શકતી નથી. જેમ અતિકુશળ પણ નટ સ્વયં પેાતાના સ્કંધ ઉપર ચઢી શકતા નથી તેમજ અતિતીક્ષ્ણ તલવારની ધાર સ્વયં પેાતાને કાપી શકતી નથી તેવી રીતે જ્ઞાન પણ સ્વયં પેાતાને જાણી શકતુ નથી; માટે જ્ઞાન પરાક્ષ છે. જૈનઃ તમારી માન્યતા ઠીક નથી; કેમકે તમે સ્થવિષયમાં ઉત્પત્તિરૂપ ક્રિયાના વિરોધ માને છે કે પેાતાનાં રૂપના નિશ્ચિય (પેાતાના સ્વરૂપને જાણવું) તે રૂપ ક્રિયાને વરાધ માને છે ? જો સ્વવિષયમાં (ઉત્પતિ રૂપ) ક્રિયાના વિરોધ માનતા હાય તે। અમે પણ જ્ઞાન જ્ઞાનને પેાતાને ઉત્પન્ન કરતું નથી એમ સ્વીકારીએ છીએ. ખીજો વિકલ્પ પેાતાના સ્વરૂપને ન જાણવા રૂપ ક્રિયાના વિરોધ માનતા હૈા, તે। ઠીક નથી, કેમકે જેમ દીપકને પ્રકાશ પ્રકાશ રૂપે ઉત્પન્ન થાય છે. તેમ જ્ઞાન પણ સ્વય` સ્વકારણેાથી પ્રકાશરૂપે જ ઉત્પન્ન થાય છે. શકા દ્વીપકના પ્રકાશ પ્રકાશ રૂપ છે અને તે પ્રકાશ પર—પદાર્થોને પ્રકાશિત કરે છે. તેથી પોતે પોતાને પ્રકાશિત કરે છે. એમ કઈ રીતે માની શકાય ? સમાધાન : જો દીપકના પ્રકાશ પદાર્થોને પ્રકાશિત કરતા હોય અને સ્વયં પોતાને પ્રકાશિત કરતા ના હોય, તે શુ' દીપકે સ્વયં અપ્રકાશિત જ રહેવાનું ? અથવા દ્વીપક સ્વયં અપ્રકાશિત હાવાથી તેને પ્રકાશિત કરવા માટે અન્ય પ્રકાશની અપેક્ષા રાખવી, તે પ્રત્યક્ષથી બાધિત છે. કેમકે સલાક સાધારણ દીપક અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેની સાથે સ્વયં પણ પ્રકાશિત જ હાય છે. જો દીપકના પ્રકાશને પ્રકાશિત કરવા માટે અન્યપ્રકાશની અપેક્ષા હોય તે તે અન્ય પ્રકાશને પણ પ્રકાશિત ક્રરવા માટે કાઈ ત્રીજા પ્રકાશની અપેક્ષા રહેશે. આ રીતે અન્ય અન્ય પ્રકાશની અપેક્ષા રાખવાથી અનવસ્થાદોષ આવશે. તેવીજ રીતે જ્ઞાનમાં પણ જાણવું ( टीका ) अथ नासौ स्वमपेक्ष्य कर्मतया चकास्तीत्यस्वप्रकाशक : स्वीक्रियते आत्मान ं न प्रकाशयतीत्यर्थ: । प्रकाशरूपतया तूत्पन्नत्वात् स्वयं प्रकाशत एवेति चेत्, चिरञ्जीव । न हि वयमपि ज्ञानं कर्मतयैव प्रतिभासमानं स्वसंवेद्यं ब्रूमः । ज्ञानं स्वयं प्रतिभासत इत्यादावकर्मकस्य तस्य चकासनात् । यथा तु ज्ञानं स्वं जानामीति कर्मतापि तद्भाति, तथा प्रदीपः स्वं प्रकाशयतीत्ययमपि कर्मतया प्रथित एव ॥ ( અનુવાદ ) શંકા : એક ક્રિયામાં કર્તા અને ક, બન્ને રહી શકતાં નથી. એટલા માટે પ્રકાશ રૂપ ક્રિયાના કર્તા દીપક પ્રકાશ રૂપ ક્રિયાનું ક હોઇ શકે નહીં; તેથી દીપકને પ્રકાશ પોતે પોતાને પ્રકાશિત કરી શક્તા નથી, આથી અમે દીપકને સ્વયં પ્રકાશ રૂપ સ્વીકારતા નથી, પરંતુ દીપક સ્વયં પ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. માટે તેને સ્વપ્રકાશરૂપ કહીએ છીએ. સમાધાન ; ચિર’જીવા ! અમે પણ જ્ઞાનને કમ રૂપે સ્વયં પ્રકાશક માનતા નથી, જેમ તમે દીપકને પ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. તેથી સ્વય' પ્રકાશિત માને છે, તેમ અમે પણ જ્ઞાનને જ્ઞપ્તિરૂપે ઉત્પન્ન થવાથી; સ્વય' પ્રકાશિત માનીએ છીએ, ‘જ્ઞાન સ્વયં પ્રતિભાસે છે” ઇત્યાદિ વાકયેામાં જ્ઞાનનું કર્મ રહિતપણુ ભાસે છે, અને જેમ દીપક સ્વયં પેાતાને પ્રકાશિત કરે છે, તેમાં જેમ ક્રમ રૂપે વ્યવહાર થાય છે, તેમ જ્ઞાનને હું જાણું છું.' ત્યાદિ વાક્યના પ્રયેગમાં પણ જ્ઞાનમાં કર્મ રૂપે વ્યવહાર થઇ શકે છે,
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy