SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૧ आत्मख्याति टीकार्थ અહીં નિશ્ચયે સ્વભાવ માત્ર વસ્તુ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે, તેથી જ્ઞાનનું ભવન તે નિશ્ચયે કરીને આત્મા છે, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ છે. હવે - જ્ઞાનનું જે ભવન છે, તે ક્રોધાદિનું પણ ભવન નથી; કારણકે જેમ જ્ઞાનભવનમાં શાન ભવત્ (હોતું) વિભાવાય છે, તેમ ક્રોધાદિ પણ નથી વિભાવાતું : - - એમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચય કરીને એક વસ્તુપણું નથી. એવા પ્રકારે આત્મા, આત્મા અને આસવના વિશેષ દર્શનથી જ્યારે ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ અજ્ઞાનની કર્તા કર્મ પ્રવૃત્તિ નિવર્તે છે; તેની નિવૃત્તિ સતે અજ્ઞાન નિમિત્ત પુદ્ગલ દ્રવ્યકર્મ બંધ પણ નિવર્તે છે, તેમ સતે જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ સિદ્ધ થાય. ૭૧ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થંકરને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.’’ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૧૭), ૬૮૬ ક્રોધ વશ ધર્મધમ્યો, શુદ્ધ ગુણ નવ રમ્યો; ભમ્યો ભવમાંહિ હું વિષય માતો... તાર હો તાર પ્રભુ !'' - શ્રી દેવચંદ્રજી આ કર્તા કર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થાય ? તેનો અત્રે ખુલાસો કર્યો છે જ્યારે આ જીવને આત્માનો અને આસ્રવોનો ‘વિશેષાંતર’ - તફાવત ભેદ ‘શાત' હોય છે જાણવામાં આવે છે, ત્યારે તેને બંધ હોતો નથી; આત્મખ્યાતિકર્તાએ આની તત્ત્વ સર્વસ્વ સમર્પક પરિસ્ફુટ વ્યાખ્યા પ્રકાશી છે - હૈં વસ્તુ સ્વભાવમાત્ર વસ્તુ - અહીં - આ લોકને વિષે જે વસ્તુ છે તે નિશ્ચય કરીને સ્વભાવ માત્ર છે અને સ્વસ્ય ભવનં તુ સ્વમાવઃ - સ્વનું ભવન (હોવું, થવું, પરિણમવું) તે સ્વભાવ છે; તેથી જ્ઞાનનું ભવન - હોવું તે નિશ્ચયે કરીને આત્મા છે, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ છે. હવે જ્ઞાનનું જે ભવન - હોવું - થવું છે, તે ક્રોધાદિનું ભવન-હોવું-થવું નથી, કારણકે જેમ જ્ઞાન ભવનમાં હોવામાં શાન ભવત્ હોતું – થતું વિભાવાય છે તેમ ક્રોધાદિ પણ નથી વિભાવાતું-અનુભવાતુંઃ અને ક્રોધાદિનું જે ભવન-હોવું છે, તે જ્ઞાનનું પણ ભવન શાન અનુભવાય છે, જ્ઞાનમવને જ્ઞાનં મવવું વિમાન્યતે, હોવું નથી, કારણકે ક્રોધાદિના ભવનમાં-હોવામાં ક્રોધાદિ ભવંતા-હોતા વિભાવાય છે क्रोधादिभवने જોધાવ્યો ભવંતો વિમાવ્યુંતે, તેમ જ્ઞાન પણ નથી વિભાવાતું-નથી અનુભવાતું. એટલે કે જ્ઞાન હોય છે ત્યાં ક્રોધાદિ હોતા નથી અને ક્રોધાદિ હોય છે ત્યાં જ્ઞાન હોતું નથી. આમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચયથી એક વસ્તુપણું નથી. આત્માનું ને ક્રોધાદિનું એકવસ્તુપણું નથી અને ક્રોધાદિનું જે ભવન છે, તે જ્ઞાનનું પણ ભવન નથી, કારણકે જેમ ક્રોધાદિ ભવનમાં - ક્રોધાદિ ભવંતા (હોતા) વિભાવાય છે, તેમ જ્ઞાન પણ નથી વિભાવાતું. - - ૪૬૧ - એમ આત્માનો અને ક્રોધાદિ આસવોનો વિશેષ દર્શનથી તફાવત દેખવાથી આત્મા જ્યારે તે બન્નેનો ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ ‘અજ્ઞાનજા' - અજ્ઞાનજન્ય કર્તૃકર્મ પ્રવૃત્તિ નિવર્તે છે, પુણ્ાતદ્રવ્યર્મવંધોપિ નિવત્તુત - પુદ્ગલ દ્રવ્ય કર્મબંધ પણ નિવર્તે છે - પાછો વળે છે, તથા સતિ - તેમ સતે - તેમ હોતાં જ્ઞાનમાત્રાદેવ - જ્ઞાનમાત્ર થકી જ ગંધનિરોધઃ સિક્સ્ચેત્ - બંધ નિરોધ સિદ્ધ થાય. || તિ ‘આત્મવ્યાતિ’ ગાભમાવના ||૭૬]]
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy