SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ જે આ – (૧) નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠાનપણાને લીધે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસ્મૃત (પરોવાયેલો), (૨) ચૈતન્ય સ્વરૂપપણાને લીધે નિત્યોદિત વિશદ દશિ-શક્તિ (દેખવા-જાણવા રૂ૫) જ્યોતિ, (૩) અનંત ધર્મમાં અધિરૂઢ એકધર્મીપણાને લીધે ઉદ્યોતમાન દ્રવ્યત્વવાળો, (૪) ક્રમ-અક્રમ પ્રવૃત્તિવાળા (પ્રવૃત્ત) વિચિત્ર ભાવ-સ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય ઉત્સગિતા કર્યા છે. (ઉત્કંગમાં-ખોળામાં બેસાડેલ છે) એવો, (૫) સ્વ-પર આકારના અવભાસનમાં સમર્થપણાને લીધે વૈશ્વરૂપ્ય (વિશ્વરૂપ પણું) ઉપર (ઉપગૃહીત) કરેલ છે એવો, (૬) પ્રતિવિશિષ્ટ એવા અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તનાના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિટૂપતા સ્વભાવના સદ્ભાવને (હોવાપણાને) લીધે, આકાશ-ધર્મ-અધર્મ-કાળ અને પુદ્ગલથી અત્યંત ભિન્ન, (૭) અત્યંતપણે અનંત દ્રવ્યના સંકરમાં (સંમિશ્રપણામાં) પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ ચિસ્વભાવવાળો, એવો “જીવ’ નામનો પદાર્થ તે “સમય” છે, સમયને છત્વેન યુપિન્નાનાતિ ત તિ નિરુક્તઃ - એકપણે યુગપત (એકીસાથે) જાણે છે અને જાય છે, એવી નિરુક્તિ પરથી. એકપણાથી “યુગપતુ’ - એકી સાથે જાણતો અને જતો તે સ્વ સમય. શાને લીધે ? ટર્શનજ્ઞાન વરિત્રWતવાતુ - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે. એમ ક્યારે ? યા દૃશજ્ઞ સ્વમાનિયતવૃત્તિરૂપભનતત્ત્વજ તત્વેન વર્તતે તા - જ્યારે દેખવા-જાણવા રૂપ “દશિ-પ્તિ' સ્વભાવમાં “નિયત” - નિયમિત-નિશ્ચિત વૃત્તિરૂપ-વર્તવા રૂપ આત્મતત્વ સાથે એકત્વગત પણે - એકપણા પ્રાપ્તપણે વર્તે છે ત્યારે. એમ શું કરીને વર્તે છે? સમસ્ત પૂરદ્રવ્યાપ્રભુત્વ - સમસ્ત પદ્રવ્યથી પ્રચુત-પ્રભ્રષ્ટ થઈને. એમ પણ શાથી થાય? વિવેક જોતિરુમનાત - વિવેક જ્યોતિના “ઉદ્ગમનથી' - ઉદયનથી - ઉદય થવાથી. કેવી છે આ વિવેક જ્યોતિ ? સહન ભાવ સ્વમાનવ માસનસમર્થ વિઘાસનુભવ - સકલ ભાવના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક. આમ વિદ્યાસમુત્પાદક વિવેક જ્યોતિના ઉદય થવા થકી પરથી પ્રયુત થઈ, આ જીવ જ્યારે આત્મતત્વ સાથે એકત્વ-ગતપણે વર્તે ત્યારે દર્શન-શાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે જાણતો અને જતો તે “સ્વ સમય' એમ પ્રતીત થાય છે. પણ - પરમેન્ટેન યુપન્નાનનું ઍચ વરસમય તિ પ્રતીયતે - પરને એકત્વથી યુગપત - એકી સાથે જાણતો અને જતો તે “પરસમય' એમ પ્રતીત થાય છે. શાને લીધે? પુત્ત મદ્દેશ-સ્થિતતાત્ - પુદ્ગલ-કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે. એમ ક્યારે ? યા રદ્રવ્યપ્રત્યય મોરાષાાિવૈઋત્વતત્વેન વર્તત તા - જ્યારે પરદ્રવ્ય પ્રત્યય-પદ્રવ્ય નિમિત્તક મોહ-રાગ-દ્વેષાદિ ભાતો સાથે એકત્વગત પણે - એકપણા પ્રાપ્ત પણે વર્તે છે ત્યારે. એમ શું કરીને વર્તે છે? જ્ઞિજ્ઞતિસ્વમવનયતવૃત્તિાવાત્મતત્વત્રિપુત્ય - દેખવા - જાણવા રૂપ “દશિ-જ્ઞપ્તિ' સ્વભાવમાં “નિયત - નિયમિત-નિશ્ચિત વૃત્તિ રૂપ વર્તવા રૂપ આત્મતત્વથી પ્રશ્રુત-પ્રભ્રષ્ટ થઈને. એમ પણ શાથી થાય ? મોઢાનુવૃત્તિતંત્રતયા - મોહની અનુવૃત્તિતંત્રતાથી, મોહની “અનુ' - અનુકૂળ - અનુસરતી વૃત્તિતંત્રતાથી - વર્તનઅધાનતાથી. કેવો છે આ મોહ ? અનાવિદ્યાન્સિંદ્રતીમૂનóાયમાન - અનાદિ અવિદ્યા-કુંદલીનો મૂલ કંદરૂપ એવો. આમ અવિઘામૂલ મોહની અનુવર્તનાથી આત્મતત્ત્વથી પ્રય્યત થઈ, આ જીવ જ્યારે પરદ્રવ્ય નિમિત્તક મોહાદિ ભાવો સાથે એકત્વગત પણે વર્તે, ત્યારે પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકપણે યુગપતુ જાણતો અને જતો તે “પર સમય' એમ પ્રતીતાય છે. પર્વ હિત સમસ્ય જૈવિધ્યમુદ્દાવતિ - એમ ખરેખર ! ફુટપણે સમયનું વૈવિધ્ય ઉદ્ધાવે છે, સમયનું-જીવ નામના પદાર્થનું દ્વિવિધપણું - દ્વિ પ્રકારપણું “ઉદ્ધાવે' છે - અત્યંત જોર શોરથી દોડે છે, ઉદ્દામપણ દોડી રહ્યું છે. તિ ‘નાત્મધ્યાતિ” ઝાલ્મમાવના //રા ૪૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy