SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૫ દ્રવ્યઅનુયોગ=સ્વસિદ્ધાંતનુ પરિજ્ઞાન, તે અંતરંગક્રિયા છે=મોહના ઉન્મૂલનને અનુકૂળ એવાં અંતરંગ વ્યાપારરૂપ છે. બાહ્યક્રિયાથી હીન પણ=સંયમની બાહ્ય આચરણાથી હીત પણ, જે જ્ઞાનવિશાલ મુનીશ્વર છે=દ્રવ્યાનુયોગના મર્મને જાણનારા સાધુ છે, તેઓને ઉપદેશમાલામાં ભલા કહ્યા છે. જે કારણથી ૧૨૩ “ઢીળો વિ નાળાહિો હૈં પવયળ નમાવંતો=હીન પણ અર્થાત્ ક્રિયાથી હીન પણ, જ્ઞાનથી અધિક એવો પ્રવચનની પ્રભાવના કરતો સાધુ, વરતરં=વરતર છે=શ્રેષ્ઠ છે. સુકુ ય વિ તુવર રંતો=અને સુંદર પણ દુષ્કરને કરતો, અપ્પામો રિસો =અલ્પઆગમવાળો પુરુષ, =નથી=શ્રેષ્ઠ નથી." (ઉપદેશમાલા શ્લોક-૪૨૪) તથા=અને ઢીળસ્સ વિ સુદ્ધપવાસ્સ નાળાહિત્રસ્ત્ર=હીન પણ અર્થાત્ ક્રિયાથી હીન પણ, શુદ્ધ પ્રરૂપક એવાં જ્ઞાનાધિકની, જાયi=કરવી જોઈએ=વૈયાવચ્ચ કરવી જોઈએ.” (ઉપદેશમાલા શ્લોક-૩૪૮) તે માટે=ઉપદેશમાલામાં જ્ઞાનથી અધિકને ભલા કહ્યા છે તે માટે, ક્રિયાહીનતા જોઈને પણ જ્ઞાનવંતની અવજ્ઞા કરવી ન જોઈએ; કેમ કે તે જ્ઞાનયોગે કરી પ્રભાવક જાણવો. ।।૧/પા * ઉપદેશમાલાની ગાથા-૩૪૮ના પૂર્વાર્ધ માત્રનો અર્થ અહીં અભિપ્રેત છે તેથી ગ્રંથકારશ્રીએ મૂળ ટબામાં ગાથાનો માત્ર પૂર્વાર્ધ ગ્રહણ કરેલ છે પરંતુ માત્ર જાણકારી અર્થે ગાથાનો ઉત્તરાર્ધ અમે કૌંસમાં દર્શાવેલ છે.) ભાવાર્થ: સાધુઓ શુદ્ધ ભિક્ષાચર્યાદિ બાહ્યક્રિયાઓ શાસ્ત્રાનુસારી કરે છે તે બાહ્યક્રિયાઓ બાહ્યયોગરૂપ છે, જીવના અંતરંગ પરિણામરૂપ નથી. જો કે તે ક્રિયાઓ કરતી વખતે “શરીરની બાહ્યક્રિયાઓ મારે શુદ્ધ ક૨વી છે” તેવો ભાવ તે ક્રિયામાં વર્તે છે તોપણ શાસ્ત્રાનુસા૨ી સૂક્ષ્મબોધ નહીં હોવાથી મોહના ઉન્મૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારરૂપ તે બાહ્યક્રિયા થતી નથી તેથી તે બાહ્યયોગથી સંસારનો ઉચ્છેદ થાય નહીં. વળી, જે સાધુ શાસ્ત્ર ભણેલા છે, ગીતાર્થ છે અને દ્રવ્ય અનુયોગના સૂક્ષ્મબોધવાળા છે અર્થાત્ જૈનદર્શનના પદાર્થના પારમાર્થિક પરિજ્ઞાનવાળા છે તેઓ જે શાસ્ત્રઅધ્યયનની ક્રિયા કરે છે, તે ક્રિયા અંતરંગ ક્રિયા છે; કેમ કે શાસ્ત્રના ૫૨માર્થને યથાર્થ જાણીને તે ભાવોથી તેઓનો આત્મા વાસિત બને છે. તેથી તે ભાવો જિનવચનાનુસાર મોહના ઉન્મૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારરૂપ હોય છે. આવા સાધુ ક્વચિત્ સંયમની બાહ્યક્રિયાથી હીન હોય, અર્થાત્ સંયમની સર્વક્રિયાઓ અપ્રમાદથી શાસ્ત્રાનુસારી ન કરતાં હોય તોપણ જે મુનિ દ્રવ્યાનુયોગના વિશાળ બોધવાળા છે, તે મુનિને ઉપદેશમાલામાં શુદ્ધ બાહ્યયોગ સેવનારા સાધુ કરતાં અધિક શ્રેષ્ઠ કહ્યા છે. ઉપદેશમાલાના શ્લોકનો ભાવ આ પ્રમાણે છે કોઈ સાધુ સંયમની આચરણામાં હીન હોય તોપણ ભગવાનના વચનના યથાર્થ ૫૨માર્થને જાણનારા હોય અને શુદ્ધ પ્રરૂપણા કરીને પ્રવચનની પ્રભાવના કરતાં હોય તેવા, જ્ઞાનથી અધિક મુનિ શ્રેષ્ઠત૨ છે. જ્યારે કોઈ અન્ય સાધુ સંયમની કઠોર આચરણા કરતાં હોય, વળી, શાસ્ત્રાનુસારી સુંદર આચરણા કરતાં
SR No.022385
Book TitleDravya Gun Paryayno Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages426
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy