SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) છે. જ્ઞાનમાં અનંતકાળથી મિથ્યાપણુ' વર્તતું હતું તે અનાદિ એવા ઉપરાકત પચ્ચીશ ઢોષ જવાથી નિર્મૂળ શ્રદ્ધાન થઈ સમ્યક્પણું (યથા પણુ) પ્રાપ્ત કરાવે છે. જીવ, અજીવ, આસવ, મધ, સવર. નિર્જરા, અને મેક્ષ એ સાત તત્ત્વાના યથાવત્ નિશ્ચય, આત્મામાં તેને વાસ્તવિક પ્રતિભાસ, તે જ સમ્યક્દર્શન છે. પાંડિત અને બુદ્ધિમાન મુમુક્ષુને મેાક્ષસ્વરૂપ પરમ સુખસ્થાને નિર્વિઘ્ર પહેાંચાડવામાં એ પ્રથમ પગથીયારૂપ છે. અર્થાત્ માક્ષમહાલયની નીસરણીનું ખાસ પગથીયું સમ્યગ્દર્શન છે. જ્ઞાન, ચારિત્ર, અને તપ એ ત્રણે સમ્યક્ત્વ સહિત હાય તા જ મેાક્ષાર્થે સફળ છે, વંદનીય છે, કાર્યગત છે. અન્યથા તે જ (જ્ઞાન, ચારિત્ર, અને તપ) સંસારના કારણરૂપપણે જ પરિણમે જાય છે. ટુકામાં સમ્યક્ત્વ રહિત જ્ઞાન તેજ અજ્ઞાન, સમ્યક્ત્વ રહિત ચારિત્ર તે જ કષાય અને સમ્યકત્વ વિનાનું તપ તે જ કાયકલેષ છે. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણ્ણાને ઉજ્જવળ કરનાર એવી એ સભ્યશ્રદ્ધા પ્રધાન આરાધના છે. બાકીની ત્રણ આરાધના એક સમ્યક્ત્વના વિદ્યમાનપણામાં જ આરાધકભાવે પ્રવર્તે છે એ પ્રકારે સમ્યકૃત્વના કઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ સમ્યક્દર્શનને આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક નિવૃત્તિ અર્થે હું ભળ્યે ! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો. સમયે સમયે આરાધે, ઉપશમ સમ્યક્ત્વ—જેના તળીયે કીચડ જામ્યા છે અને ઉપર નિર્મળ જળ છે, તેવું છે. ક્ષાયીક-સમ્યક્ત્વ શુદ્ધ સ્ફટીક મણી સમાન કેવળ નિર્મળરૂપ છે. અને ક્ષાયેાપશમીક સમ્યક્ત્વ ઉગતા સુર્યની માફક કંઈક રાગાદિ મલ સહિત વર્તે છે. અથવાઃ— आज्ञामार्गसमुद्भवमुपदेशात् सूत्रबीजसंक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवगाढपरमावगाढे च ॥ ११ ॥ આજ્ઞા, મા, ઉપદેશ, સૂત્ર, ખીજ, સંક્ષેપ, વિસ્તાર, અ, અવગાઢ અને પરમાવગાઢ એમ સમ્યક્ત્વના દશ ભેદ પણ છે. હેય, ઉપાદેય તત્ત્વાના વિવેક કરતાં-વિપરીત અભિપ્રાય રહિત એવું પવિત્ર સમ્યક્દર્શન વાસ્તવિક તે એક જ પ્રકારે છે. પરંતુ આજ્ઞા માહિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણેાની અપેક્ષાથી વિચાર કરતાં તે દશ પ્રકારે પણ છે, હવે તેનું વિશેષ વર્ણન શ્રી આચાર્ય મહારાજ નીચેના સુત્રથી કરે છેઃ—
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy