SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ कर्मोदयस्वरूपम् योगसारः ५/३ कर्मग्रन्थवृत्तौ - ‘क्रियते-विधीयतेऽञ्जनचूर्णपूर्णसमुद्गकवन्निरन्तरपुद्गलनिचिते लोके क्षीरनीरन्यायेन वढ्ययःपिण्डवद्वा कर्मवर्गणाद्रव्यमात्मसम्बद्धं येन कारणेन ततस्तस्मात्कारणात् कर्म भण्यते ।' (प्रथमश्लोकवृत्तिः) बन्धानन्तरं कियत्कालं यावत्कर्माणि तथैवावतिष्ठन्ते, न स्वफलं दर्शयन्ति । अयं काल अबाधाकाल इत्युच्यते। उक्तञ्च शतकनामपञ्चमकर्मग्रन्थवृत्तौ -'तथेहाबाधाकालः कर्मणोऽनुदयलक्षणो...... अबाधां विहाय तत ऊर्ध्वं वेदनार्थं कर्मनिषेको भवतीति ।' (२७ तम गाथावृत्तिः) अबाधाकालसमाप्तौ कर्माणि जीवाय शुभाशुभफलं ददति । इदं कर्मणां विपाकवेदनमुदय इत्युच्यते । अबाधाकालासमाप्तावपि अपवर्तनाकरणेन कर्मणामुदयो भवति । उक्तञ्च कर्मस्तववृत्तौ - 'यथावस्थितिबद्धानां कर्मपुद्गलानामपवर्त्तनादिकरणविशेषकृते स्वाभाविके वा स्थित्यपचये सत्युदयसमयप्राप्तानां विपाकवेदनमुदयः।' (प्रथमश्लोकवृत्तिः) इत्थं जीवाः स्वयमेव शुभाशुभभावैः कर्म बध्नन्ति तदुदये च शुभाशुभफलान्यनुभवन्ति । तत्र परे तु निमित्तमात्राः । ते जीवेभ्यः न शुभं फलं ददति नाप्यशुभं फलं ददति । स्वबद्धकर्मैव जीवेभ्यः शुभाशुभफलानि ददाति । शुभाशुभफलानि ददतः कर्मणः લોકમાં કર્મવર્ગણાનું દ્રવ્ય દૂધ-પાણીની જેમ કે લોઢા-અગ્નિની જેમ આત્માની સાથે સંબદ્ધ કરાય છે તે કારણથી તેને કર્મ કહેવાય છે. (૧) બંધાયા પછી કર્મો કેટલોક સમય તેમ જ પડ્યા રહે છે, ફળ બતાવતાં નથી. આ કાળને અબાધાકાળ કહેવાય છે. શતક નામના પાંચમા કર્મગ્રંથની ગાથા-૨૭ની ટીકામાં કહ્યું છે કે – “જેમાં કર્મનો ઉદય ન હોય તે અબાધાકાળ.......... અબાધાને છોડીને પછી ઉપર વેદવા માટે કર્મનો નિષેક થાય છે.” અબાધાકાળ પૂરો થાય એટલે કર્મો જીવને શુભ કે અશુભ ફળ આપે છે. આ કર્મના ફળને જે ભોગવવું તે ઉદય કહેવાય છે. અબાધાકાળ પૂરો ન થયો હોય તો પણ અપવર્તનાકરણ વડે કર્મોનો ઉદય થાય છે. કર્મસ્તવના પહેલા શ્લોકની વૃત્તિમાં કહ્યું છે – “યથાવસ્થિત રીતે બંધાયેલા, અપવર્તન વગેરે કરણવિશેષથી કે સ્વાભાવિક રીતે સ્થિતિ ઘટવાથી ઉદય સમયને પામેલા કર્મપુદ્ગલોના વિપાકને ભોગવવો તે ઉદય છે. (૧)’ આમ જીવો પોતે જ શુભ કે અશુભ ભાવોથી કર્મ બાંધે છે અને તેના ઉદયે શુભ કે અશુભ ફળને ભોગવે છે. તેમાં બીજા તો નિમિત્તમાત્ર છે. તેઓ જીવોને શુભ કે અશુભ ફળ આપતાં નથી. પોતે બાંધેલા કર્મો જ જીવને શુભ કે અશુભ ફળ આપે છે. શુભ કે અશુભ ફળ આપનારા કર્મને બીજા જીવો સહાય કરે છે. જીવ પોતે જ સારા કે ખરાબ
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy