SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० हीनसत्त्वो गृहस्थकार्येषु प्रवर्त्तनेन स्वप्रतिज्ञां भनक्ति योगसारः ४/२२,२३ च तवाऽशुभं भविष्यति । अत इत्थं प्रवर्तस्वेत्थं च मा प्रवर्तस्व ।' इति । एवं स मुनिर्गृहस्थेभ्यः स्वज्ञानानुसारेण शुभाशुभादिकं कथयति । इत्थं गृहस्थानां कार्यकरणेन तेभ्यो निमित्तादिकथनेन च साधुः स्वव्रतं त्यजति । एवंकरणेन स गृहस्थानां पापव्यापाराणामनुमोदनां करोति । ततः स स्वयमपि पापकर्मभिलिप्यते । गृहस्थकार्याणि तु सावद्यरूपाणि । प्रव्रज्याग्रहणसमये एव मुनिना सर्वसावधयोगाः करणकारणानुमतिभिः प्रत्याख्याताः । गृहस्थकार्येषु प्रवर्त्तनेन स स्वप्रत्याख्यानं भनक्ति। ततः स स्वचारित्रं निःसारं करोति । स वेषमात्रेण साधुर्भवति । स चारित्रसाररहितो भवति । सारसहितं फलं जना अभिलषन्ति । निःसारं फलं तेऽवकरे क्षिपन्ति । एवं चारित्रसारसहितो मुनिः सद्गतिं प्राप्नोति । चारित्रसाररहितो मुनिर्दुर्गतौ क्षिप्यते । कश्चिन्नरः सुवर्णकोटि धारयति । यदि स काकिणीप्राप्त्यर्थं सुवर्णकोटेर्व्ययं करोति तर्हि स मूर्ख एव । काकिणी स्वल्पमूल्या, सुवर्णकोटिस्तु बहुमूल्या । बहुमूल्यवस्तुना ત્યારે વેપાર કરતો નહીં.” તે ગૃહસ્થોને કહે છે કે, “આમ કરવાથી તારું શુભ થશે અને આમ કરવાથી તારું ખરાબ થશે. માટે તું આમ કરજે અને આમ કરતો નહીં.” આમ તે મુનિ ગૃહસ્થોને પોતાના જ્ઞાન પ્રમાણે શુભ-અશુભ વગેરે કહે છે. આમ ગૃહસ્થોનું કામ કરવાથી અને તેમને નિમિત્ત વગેરે કહેવાથી સાધુ પોતાના વ્રતને છોડે છે. આમ કરવાથી તે ગૃહસ્થોના પાપવ્યાપારોની અનુમોદના કરે છે. તેથી તે પોતે પણ પાપકર્મોથી લેપાય છે. ગૃહસ્થોના કાર્યો પાપવાળા હોય છે. દીક્ષા લેતી વખતે જ મુનિએ બધા પાપવ્યાપારોને નહીં કરવા, નહીં કરાવવા અને નહીં અનુમોદવાના પચ્ચખ્ખાણ લીધા હતા. ગૃહસ્થોના કાર્યોમાં પ્રવર્તવા વડે તે પોતાનું પચ્ચખ્ખાણ ભાંગે છે. તેથી તે પોતાના ચારિત્રને સાર વિનાનું કરે છે. તે માત્ર વેષથી સાધુ હોય છે. તેની પાસે ચારિત્ર રૂપી સાર હોતો નથી. લોકો સારવાળા ફળને ઇચ્છે છે. સાર વિનાના ફળને તેઓ કચરામાં નાંખે છે. એમ ચારિત્રરૂપી સારવાળો મુનિ સદ્ગતિને પામે છે. ચારિત્રરૂપી સાર વિનાનો મુનિ દુર્ગતિમાં નંખાય છે. કોઈ માણસ પાસે એક કરોડ સોનામહોર છે. જો તે કોડીને ખરીદવા કરોડ સોનામહોર ખર્ચ તો તે મૂર્ખ જ છે. કોડી ઓછી કિંમતની છે. કરોડ સોનામહોરની કિંમત ઘણી છે. વધુ મૂલ્યવાળી વસ્તુથી ઓછા મૂલ્યવાળી વસ્તુ ન લેવી જોઈએ.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy