SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ • અને બીજા પી આ પ્રમાણે માનું છું અને મીઠા યુગાદિદશના. અને મને બાલ્યાવસ્થાથી કેદખાનાના જેવા ભેંયરામાં નાખીને આટલીજ પૃથ્વી છે ” ઈત્યાદિ વાક્યથી ઠગે છે. પરદુ:ખને ન જાણનાર આ દુરાત્મા મને આ પ્રમાણે દુ:ખસાગરમાં નાખવાથી ખરેખર! મારે પૂર્વભવને શત્રુજ છે, એમ હું માનું છું. ભાગના સાધતેથી જો કે તે મને પ્રેમ ઉપજાવે છે, પરંતુ એ દુર્જન મુખને મીઠો અને મનને કપટી છે. આ પ્રમાણે રાજા ઉપરથી તેનું મન વિરત થઇ ગયું. વળી તે વિચારે છે કે આ સાથેશ ખરેખર મારે પૂર્વભવને સંબંધી છે કે, જેણે ચિત્રથી આશ્ચર્યમયી આ વસુંધરા મને બતાવી. જે આ પ્રીતિપાત્ર સાથે શ મને મળ્યો ન હેત, તે કૃષણની લક્ષ્મીની જેમ હું ભેંયરામાંજ ક્ષય પામી ગઈ હત. દુ:ખી પ્રાણીના મિત્રતુલ્ય એણે આ શુચિ ગુપ્રિયુહમાંથી મને છોડાવી છે. ” આ પ્રમાણે સાથે શપર તે બહુ અનુરક્ત થઈ. પછી જ્યારે રાજા ભોંયરામાં આવતો, ત્યારે તે હૃદયમાં દંભ અને દ્વેષ છતાં બાહ્યવૃત્તિથી તેનું નિરંતર વિનય ઔચિત્ય સાચવતી હતી. એક દિવસે આના જીવતાં આ ભેંયરામાંથી મારે છુટકારો થવાને નથી' એમ ધારીને દુષ્ટાશયવાળી તે પાપિણીએ વિષથી મિશ્રિત બીજે રાજાને ખાવા આપ્યું. તેના સ્વાદથી વ્યાકુળ થઈને તે તરતજ બહાર નીકળી ગયું. ત્યાં તેના અંગત માણસોએ તેના પર શક્તિ જળને છંટકાવ કર્યો એટલે તે સ્વસ્થ થયે. આ પ્રમાણે બન્યા છતા સનેહને લીધે પાતાળસુંદરીની લુચ્ચાઈની તેણે મનમાં લેશ પણ શંકા ન કરી. ત્યારપછી બીજા ઉપાય કરતાં પણ જ્યારે રાજા તેવી જ રીતે મરણ ન પામે, ત્યારે ભૈયામાંથી મુક્તિ ( છુટકારો) ઈચ્છતી તે સાર્થપતિને આ પ્રમાણે કહેવા લાગી કે હે પ્રિય ! તમે એક દિવસ ભેજનને માટે રાજાને નિમંત્રણ કરે, કે જેથી હું તેની સમક્ષ મારી પ્રતિકૃતિ નકલ) કરું.” આ સાંભળી તે કહેવા લાગે છે દેવી! નિમિત્ત વિના હું રાજાને શી રીતે નિમંત્રણ કરૂં? કારણકે કૌ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy