SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૫૪ नन्वेव' चारित्रशब्देन सर्वत्र तादृशमेव चारित्रं विवश्यतां, इत्थ च सिद्धानां चारित्र निर्बाधम् । “एयासि णभन्ते दवियायाण कसायायाण जार वीरियायाण य कतरे कतरे जाव विसेसाहिया वा । गो० सव्वत्थोवाउ चरित्तायाउ, नाणायाउ अणंतगुणा उ, कसायाउ अणंतगुणाउ, जोगायाउ विसेसाहियाउ, वीरियायाउ विसेसाहियाउ, उवओगदविय दसणायाउ तिण्ण वि तुल्ला विसेसाहिया । तथा, कोडीसहसपुहुतं जईण तो थोवियाउ चरणाया । 'नाणायाणंतगुणा पडुच्च सिद्धे य सिद्धाउ ॥१॥ २हुंति कसायायाउ णतगुणा जेण ते सरागाण । जोगाता भणियाउ अजोगिवज्जाण तो अहिया ॥२॥ ज सेलेसिगयाणवि लद्धीविरिय तओ समहिआउ । उवआगदवियदंसण सव्वजियोण ततो अहिया ॥३।। [ નિયમ–ભજના પ્રરૂપણું વ્યાપારાત્મક ચારિત્રની જ બાધક-પૂર્વપક્ષ| શંકા:- તો પછી આ રીતે બધે=જ્યાં વાચનાતરમાં દ્રાવ્યાત્મા ભજનાએ ચારિત્રાત્મા હોય છે વગેરે કહ્યું છે ત્યાં સર્વત્ર ચારિત્ર શબ્દથી પડિલેહણાદિની જ વિવક્ષા કરે છે. તેથી આ રીતે પણ સિદ્ધોને નિરાબાધપણે ચારિત્ર સિદ્ધ જશે. કારણ કે સિદ્ધોને ચારિત્રાત્મા ન હોવાને અર્થપત્તિથી ફલિત થતો અધિકાર તેઓના પડિલેહણાદિરૂપ ચારિત્રને જ બાધિત કરે છે. (નહિ કે આત્મસ્વરૂપ ચારિત્ર ને.) “ હે ભગવદ્ ! આ દ્રવ્યાત્મા કષાયાત્મા વગેરે આત્માઓ એકબીજાથી કોણ કોણ અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાતગુણ કે વિશેષાધિક છે ? હે ગૌતમ! ચારિત્રાત્મા સર્વથી અલ્પ છે. જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણ છે, કષાયાત્મા તેનાથી અનંતગુણ છે, એના કરતાં ગાત્મા વિશેષાધિક છે એના કરતાં વીર્યાત્મા વિશેષાધિક છે એના કરતાં ઉપયોગાત્મા, દ્રવ્યા. ત્મા અને દર્શનાત્મા દરેક વિશેષાધિક છે અને એ ત્રણ પરસ્પર તુલ્ય છે. સંગ્રહણી ગાથામાં પણ કહ્યું છે કે-“યતિએ ૨ થી ૯ હજાર ક્રેડ હેવાથી સર્વથી અલ્પ હોય છે. સિદ્ધોને આશ્રીને જ્ઞાનાત્મા તેઓથી અનંતગુણ હોવા સિદ્ધ જ છે. સરાગી બધા જી કષાયાત્મા હોવાથી તેઓ જ્ઞાનાત્માથી અનંતગુણ છે. અાગી સિવાયના વીતરાગ જીવ પણ યોગાત્મા હોવાથી ગાત્મા તેનાથી વિશેષાધિક છે, તેના કરતાં વીર્યાત્મા વિશેષાધિક છે કારણ કે શૈલેશી અવસ્થાને પામેલા જીવોને પણ લબ્ધિવીર્ય હોય છે. તેઓ કરતાં પણ ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા વિશેષાધિક છે કારણ કે સર્વ જીવેને તે હોય છે” આવા અલ્પબદુત્વના અધિકારમાં પણ વ્યાપારરૂપ ચારિત્રની १. कोटिसहसपृथक्त्व यतीनां ततः स्तोकाश्चरणात्मानः । ज्ञानात्मानोऽनन्तगुणाः प्रतीत्य सिद्धांश्च सिद्धास्तु ॥ २. भवन्ति कषायात्मानस्त्वनन्तगुणा येन ते सरागाणाम् । योगात्मानो भणिता अयोगिवर्जानांततोऽधिकाः ॥ 3. यच्छैलेशीगतानामपि लब्धिवीर्य ततः समधिकाः । उपयोगद्रव्यदर्शन सर्वजीवानां ततोऽधिकाः ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy