SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ પરસેવો, સળેખમ, થુંક, બળખો એ વસ્ત્રથી ન લુછવા, તેમજ વળી હાથ, પગ, નાક, મસ્તક પણ નહીં જ લુંછવા, તેમજ પોતાના સાંસારિક કામનાં વસ્ત્રની સાથે કે પારકાં બાળ, વૃદ્ધ, સ્ત્રી પ્રમુખનાં વસ્ત્રની સાથે ન મૂકવાં, તથા પ્રાયે પારકાં વસ્ત્ર પહેરવાં જ નહીં. જો વારંવાર એમ યુક્તિથી ન સાચવે તો અપવિત્ર થવાના દોષનો સંભવ થાય છે. કુમારપાળ મહારાજાનાં પૂજાનાં વસ્ત્રો અને સાળવીઓ. સંભળાય છે કે, કુમારપાલ રાજાનાં પૂજા માટેનાં વસ્ત્રો બાપડ મંત્રીના નાના ભાઈ ચાહડે વાપર્યા ત્યારે રાજાએ કહ્યું કે નવું વસ્ત્ર મને આપ, ત્યારે તેણે કહ્યું કે, મહારાજ, એવું સાફ નવુ રેશમી વસ્ત્ર તો અહીંયાં મળતું જ નથી. પણ સવાલાખ દ્રવ્યના મૂલથી નવાં વસ્ત્ર બંબેરા નગરીમાં બને છે, પરંતુ ત્યાંનો રાજા તે એક દિવસ પહેરીને પછી જ અહીંયાં મોકલાવે છે. આવાં વચન સાંભળીને કુમારપાળ રાજાએ બંબેરા નગરીના અધિપતિને સવાલાખ દ્રવ્ય આપવાનું જણાવી તદ્દન નવું પહેર્યા વગરનું વસ્ત્ર મોકલવાને કહેવરાવ્યું. તેણે તે આપવાની ના પાડી. તેથી કુમારપાળ રાજા તેના પર કોપાયમાન થયો. જેથી તેણે ચાહડને બોલાવી કહ્યું કે, આપણું મોટું સૈન્ય લઈને તું બંબેરા નગરે જઈ જય કરીને ત્યાંનાં પટોળા અને પટોળાંના કારીગરોને અહીંયાં લઈ આવ. તું દાન આપવામાં ઉદાર છે તે ખરું, પણ વિશેષ ખરચ ન કરતો. તે વચન અંગીકાર કરીને ત્યાંથી મોટું સૈન્ય લઈ ત્રીજે પ્રમાણે ચાહડ બંબેરા જઈ પહોંચ્યો. બંબેરાના સ્વામીએ તેની પાસે લાખ દ્રવ્ય માંગ્યું પરંતુ કુમારપાળે ના પાડેલી હોવાથી તેણે આપ્યું નહીં. છેવટે રાજાના ભંડારના દ્રવ્યનો વ્યય કરીને (જેણે જેમ માંગ્યું તેને તેમ આપીને) ચૌદસે ઊંટડીઓ ઉપર ચડેલા બે બે શસ્ત્રધારી સુભટોને સાથે લઈ અકસ્માતું રાત્રિને સમયે બંબેરા નગરને વીંટીને સંગ્રામ કરવા ધાર્યું. પણ તે રાત્રે ત્યાંના લોકોમાં સાતસો કન્યાઓનાં લગ્ન હતાં તે સાંભળીને તેઓને વિઘ્ન થાય નહીં માટે રાત્રે વિલંબ કરી સવારના પહોરમાં પોતાના સૈનિક બળથી તેણે ત્યાંના કિલ્લાના ચૂરેચૂરા કરી નાંખીને અંદર પેસી ત્યાંના અધિપતિનો-દરબારનો ગઢ તાબે કર્યો. પછી પોતાના રાજા કુમારપાળ ની આણ મનાવીને ત્યાંના ખજાનામાંથી સાત કરોડ સોના મહોર અને અગીયારસે ઘોડા તથા ત્યાંના સાતસો સાળવીઓને સાથે લઈ તે મોટા મહોત્સવ સહિત પાટણ નગરે આવી કુમારપાળ રાજાને નમ્યો. કુમારપાળ બોલ્યો કે, 'તારી નજર મોટી તે મોટી જ રહી, કેમકે તે તો મારા કરતાં પણ ઘણો ખરી કીધો, એટલો ખરચ તો હું પોતે ગયો હોત તો પણ થાત નહીં.' આવાં વચન સાંભળીને ચાહડ બોલ્યો કે, મહારાજ ! જે ખરચ થયું તે તમારી જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું છે, તે તમારા જ બળથી કીધું છે, કેમકે, મોટા સ્વામીના કામ પણ મોટા ખર્ચથી જ થાય છે. જે ખર્ચ થાય તે મોટાની જ મોટાઈ છે. મેં જે ખર્ચ કર્યું તે મારા સાથે મોટા સ્વામી છે ત્યારે જ થયું ને? આવાં વચન સાંભળીને રાજા ઘણો જ ખુશી થયો અને રાજ્યપરટ્ટ' એવું બિરૂદ આપી મોટો માનસાળી કર્યો.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy