SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૩ આજે કપુરના પુંજ જેવાં ચંદ્રકિરણોના સમૂહથી જેમાં બધી દિશાઓ પરિપૂર્ણ બનેલી છે એવી રાત્રિમાં પોતાના મોટા પરિવારથી અને બાકીના અંતઃપુરથી પરિવરેલી હું ત્રિક અને ચતુષ્ક વગેરે રમણીય પ્રદેશોમાં સૌંદર્યોને જોવાના કુતૂહલથી આ નગરીમાં પરિભ્રમણ કર્યું અને આ પ્રમાણે પરિભ્રમણ કરતી મને કોઈ રોકે નહીં. ત્યાર બાદ તરત જ આખા રાજ્યમાં પટહ વગડાવીને બધી જ જાતના પુરુષોને રાત્રે નગરમાંથી બહાર નીકળી જવાની આજ્ઞાની ઘોષણા કરાવી. તેથી પ્રાતઃકાલથી આરંભી પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બધાય લોકો નગરની બહાર જવા લાગ્યા. તે વખતે મંત્રી વગેરે નગરના મુખ્ય માનવોથી પરિવરેલો રાજા જાતે જ તગરની બહાર ઈશાન ખૂણામાં રહેલા મનોરમ નામના ઉદ્યાનમાં આવ્યો. એ છએ શ્રેષ્ઠિપુત્રો નામું લખવામાં વ્યસ્ત હતા. એથી “હમણાં જઈએ છીએ, હમણાં જઈએ છીએ” એ પ્રમાણે જવાના પાકા વિચારવાળા હોવા છતાં સાંજના સમય સુધી દુકાનમાં જ રહ્યા. આ તરફ સૂર્ય અસ્તાચલ પર્વતના શિખરને શોભાવ્યું, અર્થાત્ સૂર્યાસ્ત થઈ ગયો. ઉતાવળા થયેલા તે છ શ્રેષ્ઠિપુત્રો જેટલામાં નગરના દરવાજાની પાસે આવે છે, તેટલામાં જાણે તેમની જીવવાની આશાની સાથે હોય તેમ બંને કમાડ ભેગાં થવાથી પોળના દરવાજા બંધ થઈ ગયા, અર્થાત્ જેમ પોળના દરવાજા બંધ થઈ ગયા તેમ તેમની જીવવાની આશા પણ બંધ થઈ ગઈ. ત્યાર પછી ભય પામેલા તે શ્રેષ્ઠિપુત્રો કોઈથી પણ ઓળખી ન શકાય તે રીતે પાછા ફરીને દુકાનમાં રહેલા ગુપ્ત ભોંયરામાં એક સ્થાનમાં સંતાઈ ગયા. ધારિણી રાણી પણ રાતે શ્રેષ્ઠ શૃંગારવાળી અંતઃપુરની સ્ત્રીઓ સાથે પુરુષોથી રહિત નગરીમાં પોતાની ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગી. પ્રાતઃકાલ થતાં કમલવતને વિકસિત કરવામાં તત્પર, કેસૂડાતા કાંતિવાળા અતિશય ઊછળતા એવા રંગથી દિશાઓના મંડલને રંગી નાખનાર અને જગતના એક નેત્ર સ્વરૂપ એવા સૂર્યનો ઉદય થયો. પુરુષો નગરમાં પ્રવેશ કરે એ પહેલાં જ રાજાએ નગરરક્ષકોને આજ્ઞા કરી. તે આ પ્રમાણે :- નગરમાં જુઓ કે અમારી આજ્ઞાનો ભંગ કરનાર કોઈ પુરુષ છે કે નહિ ? જાણે યમદૂતો હોય એવા તેમણે સારી રીતે તપાસ કરતાં છ શ્રેષ્ઠિપુત્રોને પકડ્યા. તેમણે તે જ સમયે રાજાને આ બીના જણાવી. તેથી રાજાએ કોપ પામેલા યમરાજવી ભયંકર ભ્રકુટિ જેવું લલાટપટ્ટ કરીને તે છ શ્રેષ્ઠિપુત્રોનો વધ કરવા નગરરક્ષકોને આજ્ઞા કરી. આ દરમિયાન મુદગરનો પ્રહાર થવા સમાન આ વૃતાંતને અચાનક સાંભળીને શ્રેષ્ઠી જાણે થાકી ગયો હોય, જાણે ભમી રહ્યો હોય, જાણે પીડાવાળો થયો હોય તેવો થઈ ગયો. તથા સમુદ્રમાં હાથી જેવા મોટા ઘણા મગરમચ્છ પૂંછડાને પછાડે, એથી સમુદ્રમાં પાણીના ઘણા તરંગો ઊછળવા માંડે, મહાસમુદ્રના મધ્યભાગમાં રહેલ વહાણ એ તરંગોથી ઘેરાઈ જાય અને એથી ભાંગી જાય, તેમાં રહેલ મનુષ્ય ડૂબવા લાગે ત્યારે જેમ હવે શું કરવું? એમ મૂઢ બની જાય તેમ તે શ્રેષ્ઠી હવે શું કરવું? એમ મૂઢ બનીને કોઈક ભયંકર અવસ્થાને પામ્યો. ત્યાર બાદ તેણે કાયર મનુષ્યને યોગ્ય ચેષ્ટાનો ત્યાગ કર્યો, સ્ત્રીજનને યોગ્ય શોકના વેગને દૂર કર્યો, ધીર પુરુષને યોગ્ય ધીરતાનું આલંબન લીધું, દીનતાની
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy