SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ दान-द्वात्रिंशिका ૨૧. नुबन्धिनः शुभस्य = पुण्यस्यार्जनात् सानुबन्धं = अनुवन्धसहितं पापं न वध्नाति । बद्धं च पूर्वं पापं मुञ्चति = त्यजति । इत्थं च पापनिवृत्तौ प्रयाणभंगाप्रयोजकपुण्येन मोक्षसौलभ्यमावेदितं भवति ।।२२।। भवेत्पात्रविशेषे वा कारणे वा तथाविधे। अशुद्धस्यापि दानं हि द्वयोर्लाभाय नान्यथा।।२३।। भवेदिति । पात्रविशेषे वा आगमाभिहितस्वरूपक्षपकादिरूपे, कारणे वा तथाविधे = दुर्भिक्षदीर्घाध्वग्लानत्वादिरूपे आगाढेऽशुद्धस्यापि दानं हि सुपात्राय द्वयोः = दातृगृहीत्रो भाय भवेत्, दातुर्विवेकशुद्धान्तःकरणत्वात्, ग्रहीतुश्च गीतार्थादिपदवत्त्वात् । नान्यथा = पात्रविशेषस्य कारणविशेषस्य वा विरहे ।।२३ ।। नन्वेवं संयतायाशुद्धदाने फले द्वयोर्भवतु भजना, दातुर्बहुतरनिर्जराऽल्पतरपापकर्मबन्धभागित्वं तु भगवક્ષય કરે છે. આ રીતે પાપ નિવૃત્ત થયે પુણ્ય પણ જે બંધાય છે તે જીવને મોક્ષ તરફ જે પ્રયાણ ચાલુ છે તેને અટકાવવામાં પ્રયોજક બનતું નથી. [ઉપરથી પ્રથમ સંઘયણ વગેરે સામગ્રી પૂરી પાડનારું છે અને તેથી મોક્ષ સુલભ બને છે એ વાત સૂચિત થાય છે.૨૨ો બીજા ભાંગાનું વિવેચન કરવા ગ્રન્થકાર કહે છે [પાત્રદાનનો બીજો ભાંગો]. આગમોક્ત સ્વરૂપવાળા વિકૃષ્ટ તપસ્વી ક્ષક વગેરે રૂપ પાત્રવિશેષને આપેલું અશુદ્ધદાન કે એ સિવાય પણ દુભિક્ષ, જંગલ વગેરેમાં દીર્ઘવિહાર, ગ્લાનત્વ વગેરે રૂપ આગાઢ કારણે અન્ય પણ સાધુને આપેલું અશુદ્ધદાન (અષણીય આહારાદિનું દાન) દાતા અને ગ્રહણ કરનાર સાધુ એ બન્નેને હિતકર બને છે, કારણકે દાતા પાત્રવિશેષ કે કારણવિશેષનો વિવેક કરનારો શુદ્ધ અંતઃકરણ વાળો હોય છે, તેમજ ગ્રહણ કરનાર સાધુ ગીતાર્થ વગેરે પદથી યુક્ત હોય છે. જો આવું પાત્ર વિશેષ કે કારણવિશેષ ન હોય તો અશુદ્ધદાન, દેનારને કે લેનારને હિતકર બનતું નથી. [દાતા બે પ્રકારે હોય છે. સાધુ મહારાજને અનેષણીય-અમાસુક ન અપાય એવું જાણનારા અને ન જાણનારા મુગ્ધ. આમાંથી મુગ્ધ જે અશુદ્ધ દાન કરે છે એની વાત આગળ કરવાના છે. જેઓ ઉક્ત જાણકાર છે તેઓ પાત્રવિશેષ વગેરેની અવિદ્યમાનતામાં તો સાધુની હલના વગેરે કરવાનો અભિનિવેશ હોય તો જ અશુદ્ધ આપે છે. પણ એની વાત પણ આગળ અશુભદીર્ઘઆયુની હત્તા વગેરેમાં કરવાના છે. એટલે જણાય છે કે અહીં જે દાતા લેવાનો છે તે અમુગ્ધ-જાણકાર છે તેમજ અભિનિવિષ્ટ નથી. આવો દાતા તો પાત્ર વિશેષ કે કારણવિશેષ તપાસી ને જ અશુદ્ધ આહારાદિનું દાન કરે, એ સિવાય નહિ. માટે દાતાનું અંતઃકરણ વિવેકથી શુદ્ધ હોવું અહીં કહ્યું છે. લેનાર સાધુ માટે ગીતાર્થ વગેરે પદોથી યુક્ત હોય છે એવું જ કહ્યું તેમાં ગીતાર્થ વગેરે પદો બૃહત્કલ્પભાષ્યની ૪૯૪૬ મી નીચેની ગાથા પ્રમાણે જાણવા. શીયલ્યો નયTIU #ડનો હારyifમ ળિદોનો હિં જીવડો મરત્તદુદ્દો ય નયTI || ગીતાર્થ, જયણા, કૃતયોગી (તે તે કાર્ય તેમજ તપ વગેરેનો અનુભવી-અભ્યાસી) અને કારણ એમ ૪ પદ જાણવા. અન્ય આચાર્યના મતે ગીતાર્થ, કૃતયોગી, અરક્ત, અદ્વિષ્ટ અને જયણા એમ પાંચ પદ જાણવા. આ ૪ કે ૫ પદવાળા મહાત્મા અશુદ્ધ આહારનું ગ્રહણ વગેરે અપવાદને સેવે તો પણ નિર્દોષ = શુદ્ધ રહે છે એવું આ જ શ્લોકમાં કહ્યું છે. આમ એમને કોઇ દોષ લાગતો નથી, વળી ચારિત્રકાયને ટેકો મળે છે જેના દ્વારા ઉત્તરોત્તર સંયમસ્થાન પ્રાપ્તિ, કર્મ નિર્જરા વગેરે લાભ થાય છે. તેમજ સંયમની શાસ્ત્રઅવિરુદ્ધ કોઇપણ ક્રિયા નિર્જરા રૂ૫ લાભ તો કરાવે જ છે. એટલે આ રીતે ગ્રાહક મહાત્માને લાભ થાય છે. જ્યારે પાત્રવિશેષ કે કારણવિશેષ ન હોય ત્યારે અશુદ્ધનું ગ્રહણ કરવામાં # संथरणमि असुद्धं दुनवि गिणंतदितयाणऽहियं । आउरदिटुंतेणं तं चैव हियं असंथरणे । नि. भा. १६५०].
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy