SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અથ આચારોપનિષદ્ ૨. મિથ્યાકાર જો કોઈ પણ આચારસ્થાનમાં મુનિથી કાંઇ પણ ખોટું થઇ જાય, તો તે ખોટું છે, એમ જાણીને મિથ્યાકારનો પ્રયોગ કરવો જોઈએ = મિચ્છામિ દુક્કડમ્ દેવું જોઈએ. ||૧|| ११ જો પાપ કર્યા પછી અવશ્ય પ્રતિક્રમણ કરવાનું જ છે, તો તેના કરતા બહેતર છે કે પાપ કરવું જ નહીં. અને આ જ ઉત્સર્ગથી પ્રતિક્રમણ છે, કે પાપ કરવું જ નહીં. || ૨ || જે ફરીથી પાપ આચરતો નથી, જે મન, વચન, કાયાથી પાપથી પાછો ફર્યો છે, તેનું જ મિચ્છામિ દુક્કડમ્ સાચું છે, એમ શ્રુતમાં કહ્યું છે. II 3 || જે મિચ્છામિ દુક્કડમ્ આપ્યા પછી પણ ફરીથી તે જ પાપ કરે છે, એ તો પ્રત્યક્ષ મૃષાવાદી છે, માયા ને પ્રપંચમાં તત્પર છે. || ૪ || મિ - શરીર અને મનની મૃદુતાથી ચ્છા - દોષોનું છાદન કરું છું. મિ - મર્યાદામાં રહ્યો છું. ૬ - મારા દુષ્ટ આત્માની જુગુપ્સા કરું છું. દુ
SR No.022077
Book TitleAacharopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages80
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy