SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અથ આચારોપનિષદ્ સાધુએ હંમેશા પોતાની શક્તિનું ગોપન કર્યા વિના જ રહેવું જોઈએ. તેથી ઉત્કૃષ્ટ પ્રયોજન વિના બીજા પાસે કોઈ અભ્યર્થના ન કરવી જોઈએ. || 9 || જો રોગ વગેરે કારણોથી મુનિને અભ્યર્થના કરવી જ પડે, તો પણ રત્નાધિકને ન કરવી. (વડીલને કામ ન સોપવું.) હા, જ્ઞાન વગેરેનું પ્રયોજન હોય, તો રત્નાધિકને પણ (વાચના વગેરે માટે) વિનંતિ કરવી. || 8 || સાધુ તો નિર્જરાનો અભિલાષી હોય. એ જુએ કે બીજાને પ્રયોજન છે, તો પોતે સામે ચાલીને વિધિપૂર્વક વિનંતિ કરે કે, આપની ઈચ્છા હોય, તો મને આટલો લાભ આપો. || ૮ || બળપૂર્વક પરાણે કોઈ પાસે કાંઈ કામ કરાવવું, એ મુનિને કહ્યું નહીં. માટે રત્નાધિક આદિ પ્રત્યે ઈચ્છાકારનો જ પ્રયોગ કરવો જોઈએ. અપવાદથી તો બળપૂર્વક પણ (અધિકારી વ્યક્તિએ) કાર્ય કરવું જોઈએ. તે અવિનીત ઘોડાના દષ્ટાંતથી સમજવું જોઈએ. || ૯ ||
SR No.022077
Book TitleAacharopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2012
Total Pages80
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy