SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २१ श्रामण्योपनिषद् પ્રત્યેક જીવનો લોભરૂપી જે ખાડો છે તેમાં આખી દુનિયા નાખી દો, તો ય અણુ જેટલી જગ્યા જ પૂરાય છે. તો એમાંથી કયા જીવના ભાગે કેટલું આવી શકે ? માટે લોભ રાખવો એ ફોગટ જ છે. તો આ લોભની ખાણ સમગ્ર વિશ્વમાં મહા આશ્ચર્યવાળી છે કે જે તેને પૂરવા માટે નાખેલી વસ્તુઓથી જ વધુ ને વધુ ખોદાય છે. પણ જે લોભથી વિલુપ્ત થતો નથી, સુંદર સ્ત્રીઓ જેને મોહિત કરી શકતી નથી અને વિષયો જેને રાગ-દ્વેષ ઉપજાવી શકતા નથી, તેને મુક્તિ પોતે જ વરે છે. દા કોણ કહે છે કે મોક્ષ દુર્લભ છે ? મોક્ષ તો સુલભ જ છે. કષાયો અને વિષયોને છોડી દે, મુક્તિ તારા હાથમાં જ છે. Iછી મમત્વ મરી પરવારે અને સમત્વની સારી પેઠે પ્રતિષ્ઠા થઈ જાય, પછી તો મન જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં સમાધિ જ સમાધિ છે. દા
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy