SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૭૦ આચરણાઓ ન કરી શકે તો, તેના માટે દંભથી સંયમજીવનમાં રહી યત્ન કરવા કરતાં શ્રાવક થઈને ઉચિત પ્રવૃત્તિ કરવી યોગ્ય ગણાય. ll૩-૧રશા અવતરણિકા : શ્લોક-૧૨ માં કહ્યું કે જે મુનિ મૂલ-ઉત્તરગુણને ધારણ કરવા સમર્થ ન હોય તેને શ્રાવકપણું જ યુક્ત છે. તેથી સ્કૂલબોધવાળા અપુનબંધક અને સૂક્ષ્મબોધવાળા સમ્યગ્દષ્ટિને જે પોતાનો બોધ છે તેને અનુરૂપ મૂલ-ઉત્તરગુણમાં યત્ન થઈ શકે તો જ સંયમજીવનમાં રહેવુ ઉચિત ગણાય, એમ ફલિત થાય છે. તેથી સંવિજ્ઞપાક્ષિકનો વ્યવચ્છેદ થાય. તેથી કહે છે - परिहर्तुं न यो लिङ्ग-मप्यलं दृढरागवान् । संविज्ञपाक्षिक: स: स्या-निर्दम्भः साधुसेवकः ।।१३।। અન્વયાર્થ : તરમવાન્ ય સંયમનાં દઢ રાગવાળો એવો જે નિમીષ મુનિલિંગને પણ પરિતું ન ૩ પરિહરવા માટે સમર્થ નથી. સ: તે નિર્મ: સધુરોવ નિર્દભ (અ) સાધુનો સેવક એવો સંવિના સંવિગ્નપાક્ષિક રચાત્ થાય. l૩-૧૩ શ્લોકાર્ચ - સંયમનાં દઢ રાગવાળો એવો જે મુનિલિંગને પણ છોડવા માટે સમર્થ નથી, તે નિર્દભ અને સાધુનો સેવક એવો સંવિગ્નપાક્ષિક થાય. l૩-૧૩ ભાવાર્થ - સંયમજીવનના મૂલ-ઉત્તરગુણ ધારણ કરવા માટે જે મુનિ અસમર્થ હોય તેણે સંયમ છોડીને શ્રાવક થવું જ યુક્ત છે. તો પણ જે મુનિ લિંગ ગ્રહણ કર્યા પછી મૂલ-ઉત્તરગુણના વિષયમાં પાલનને અનુરૂપ તેવું સત્ત્વ નહિ હોવાથી મુનિજીવન પાળવા માટે અસમર્થ છે, અને ગ્રહણ કરેલ મુનિલિંગ છોડવું તે લોકમાં લજ્જાસ્પદ છે, તેથી મુનિલિંગ છોડવા માટે પણ જે સાધુ અસમર્થ છે, આમ છતાં જેને સંયમનો દઢ રાગ છે તેવો જે સાધુ, દંભ વગર પોતાની સંયમપાલનમાં થતી ત્રુટિઓને સ્વીકારતો અને સંયમી સાધુઓની ભક્તિ કરતો સંવિજ્ઞપાક્ષિક થાય છે, તે આરાધક છે. પરંતુ જે સાધુ મૂલ-ઉત્તરગુણને ધારણ કરી શકતો નથી અને પોતાની હીનતા ન
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy