SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર શ્લોકાર્થ : ૬૨ જે દંભ વડે વ્રતને ગ્રહણ કરીને પરમપદને ઈચ્છે છે, તે લોહનાવ પર ચઢીને સમુદ્રનો પાર પામવાને ઈચ્છે છે. II૩-૩II ભાવાર્થ: જીવ આત્મકલ્યાણને અર્થે વ્રત ગ્રહણ કરે છે, છતાં અનાદિકાળના સંસ્કારને કા૨ણે વ્રતપાલનમાં જીવની ક્ષતિ થાય છે. પરંતુ પોતાની તે ખામી લોકમાં ન દેખાય તેવી જીવની વૃત્તિ હોવાથી પરિણામે પોતે જે દોષોનું સેવન કરે છે તે અપવાદરૂપે બતાવવા પ્રયત્ન કરે છે. વાસ્તવમાં અહીં દંભ જ સેવાતો હોવાથી તે વ્રત મોક્ષનું કારણ બની શકતું નથી. અનાદિકાળના સંસ્કારને કારણે સ્ખલના તો થાય, પરંતુ જીવ પ્રામાણિક રીતે પોતાની ક્ષતિને ક્ષતિરૂપે જુએ, સ્વીકારે, અને યોગ્ય જીવને સાચો માર્ગ બતાવવા યત્ન કરે; તેમ જ તે કહે કે ‘મારા પ્રમાદને કારણે જ હું વ્રતો સારી રીતે શુદ્ધ વિધિપૂર્વક પાળી શકતો નથી, પરંતુ માર્ગ તો સાચો શુદ્ધ વિધિપૂર્વક પાળવાનો જ છે, તરવાનો તો એક માત્ર આ જ ઉપાય છે.’ તેમ શુદ્ધ પ્રરૂપણા કરે. આવા જીવો વ્રત બરાબર ન પાળી શકે તો પણ શુદ્ધ પ્રરૂપણાથી ક્રમે કરીને મોક્ષને પામી શકે. પરંતુ જો આત્મવંચના કરીને પોતાની ક્ષતિને ઢાંકવા યત્ન કરે તો, જેમ લોખંડની નાવથી સમુદ્ર તરી શકાય નહિ, તેમ દંભ સહિત વ્રતના પાલનથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહિ. II૩-૩|| અવતરણિકા : દંભથી સંયમ નિષ્ફળ છે, તે જ વસ્તુ અન્ય રીતે ભાવન કરે છે - किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः ? । किमादर्शेन किं दीपै-र्यद्यान्ध्यं न दृशोर्गतम् ? ।।४।। અન્વયાર્થ ઃ રૂમ્મ: ચેત્ ન નિરાકૃતઃ દંભ જો નિરાકૃત ન કર્યો હોય તો રુિં વ્રતેન તપોમિ વTM વ્રત વડે અથવા તપ વડે શું ?ત્તિ વૃશો: ગથ્થું ન ગતમ્ જો આંખોનો અંધાપો ન ગયો હોય તો િઆવશેન વિં ટ્રીપ દર્પણ વડે શું ? (અથવા) દીવા વડે શું ?||૩-૪
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy