SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ દંભત્યાગાધિકાર શ્લોકાર્ય : જો દંભ નિરાકૃત ન કર્યો હોય તો, વ્રત વડે અથવા તપ વડે શું? જો આંખોનો અંધાપો ન ગયો હોય તો દર્પણ વડે શું? અથવા દીવા વડે શું? ll૩-૪ll ભાવાર્થ : વ્રત અને તપ કરનાર જીવ પણ પ્રસંગે લોક આગળ કે યોગ્ય ગુરુ પાસે પોતાની ક્ષતિ છુપાવવા માટે દંભ કરતો હોય, અને તે દંભને કાઢવા માટે યત્ન ન કરે, તો તેનાં વ્રત અને તપ નિરર્થક છે. જેમ ચક્ષુનો અંધાપો ન ગયો હોય તો દીવાથી પણ કંઈ જોઈ શકે નહિ કે દર્પણ સામે મૂકવાથી પણ તે પોતાનું મુખ જોઈ શકે નહિ, તેમ દંભને કારણે તેની વ્રત અને તપની આચરણા આત્મહિતનું કારણ બને નહિ. Il3- અવતરણિકા : દંભ ઉત્તમ ક્રિયાઓને પણ દૂષિત કરે છે તે બતાવે છે – केशलोचधराशय्या-भिक्षाब्रह्मव्रतादिकम् । दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः ।।५।। અન્વયાર્થ : સેન ફુવ મહામળિઃ એબ વડે જેમ મહામણિ (દૂષિત થાય છે,) તેમ રમેન દંભ વડે વેશોઘર શામિક્ષાબ્રહ્મવ્રતામ્િ કેશનો લોચ, ભૂમિ પર શયા, ભિક્ષાવૃત્તિ, બ્રહ્મચર્યનું પાલન, વ્રતાદિ સર્વ ટૂથ સર્વ દૂષિત થાય છે. ll૩ પII બ્લોકાર્ચ - એબ વડે જેમ મહામણિ દૂષિત થાય છે તેમ દંભ વડે કેશનો લોચ, ભૂમિ પર શધ્યા, ભિક્ષાવૃત્તિ, બ્રહ્મચર્યનું પાલન, વ્રતાદિ સર્વ દૂષિત થાય છે. [૩-પા ભાવાર્થ : જેમ મહામણિમાં કોઈ ત્રાંસી રેખા વગેરે હોય તો તે મણિની કિંમત અલ્પ થઈ જાય છે, અને ઘણી ખરાબ રેખાઓ હોય તો તે મણિ નુકસાનનું કારણ બને છે;
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy