SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મસાર ૧૧૬ | ૧૧૬ 3 ભવસુખની પરાધીનતા અને અંતરંગસુખની સ્વાધીનતા भवे या राज्यश्रीर्गजतुरगगोसङ्ग्रहकृता । न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्या: प्रेयस्य: किमु मनसि ता नात्मरतय स्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ।।२५।। અન્વયાર્થ : મને ભવમાં જે મનસુર સહકતા રાજશ્રી હાથી, ઘોડા, ગાયના સંગ્રહથી કરાયેલી રાજ્યલક્ષ્મી છે, સા તે હિં રમરિસ શું પોતાના મનવિષયક જ્ઞાનધ્યાનપ્રશમનિતા જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી જનિત (લક્ષ્મી) ને નથી ? યા? વિહિક પ્રેયરઃ જે બહિર્રાઓ છે. વિક્રમ મનરાશું મનવિષયક ૩ ત્મિતિથ: આત્મરતિરૂપી તા: તેઓ=સ્ત્રીઓ, નથી ? તતઃ તેથી કરીને રથTધન સુન સ્વાધીન એવા સુખને યા ત્યગતિ- કોણ છોડે ? ૩ પરમ તિ અને પર=પરાધીન એવા સુખને, કોણ ઈચ્છે ? II૪-૨પા શ્લોકાર્ય : ભવમાં જે હાથી, ઘોડા અને ગાયના સંગ્રહથી કરાયેલી રાજ્યલક્ષ્મી છે તે શું પોતાના મનવિષયક જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી જનિત લક્ષ્મી નથી ? જે બહિર્ટીઓ છે (તે) શું મનવિષયક આત્મરતિરૂપી સ્ત્રીઓ નથી ? તેથી કરીને સ્વાધીન એવા સુખને કોણ છોડે ? અને પરાધીન એવા સુખને કોણ ઈચ્છે? I૪-૨પા ભાવાર્થ : સંસારી જીવો હાથી, અશ્વ, ગાય વગેરેના સંગ્રહથી ધનવાન ગણાય છે. વળી સ્ત્રીઓને પ્રાપ્ત કરીને સુખી ગણાય છે. જ્યારે આધ્યાત્મિક સ્તરથી વિચારતાં જ્ઞાન, ધ્યાન અને પ્રશમને કારણે મનમાં ઉદ્ભવતા ભાવો લક્ષ્મીસ્વરૂપ જ છે. વળી, જેમ સ્ત્રી બાહ્ય સુખનું કારણ બને છે તેમ સ્વઆત્મામાં રતિ અંતરંગ સુખનું કારણ બને છે. બાહ્ય શ્રી અને સ્ત્રી મેળવવા ઘણો યત્ન કરવો પડે છે તથા તે પરાધીન છે, જ્યારે આત્માની શ્રી અને સ્ત્રી આત્મામાં વિદ્યમાન જ છે તથા તે સ્વાધીન છે. તેથી વિવેકી જીવ આવા સ્વાધીન સુખને છોડીને પરાધીનને કેમ ઈચ્છે ? અર્થાત્ ઈચ્છે નહિ.
SR No.022059
Book TitleAdhyatmasar Shabdasha Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy