SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ www ^ ^^ પ્રત્યેકબુદ્ધ ગ્રીનમિરાજર્ષિનું ચરિત્ર (૨૭) કાર કર જોઈએ. ” આમ ધારીને તે, જે મેકલેલા પ્રસાદને સ્વીકારતી. કોઈ એક દિવસે મણિરથ રાજા પિતે એકાંતમાં ત્યાં આવીને મદરેખાને કહેવા લાગ્ય કે “ તું મને પિતાને સ્વામી બનાવીને હારી પટ્ટરાણીપદ ભગવ. ” ખરેખર પિતાના કુલાચારથી ભ્રષ્ટ અંત:કરણવાલા તે રાજાને જાણ તેના કામ વિષને નાશ કરવા માટે મદનરેખા અમૃત સમાન વચન કહેવા લાગી. હે રાજન ! તમે કલંકરહિત કુલમાં ઉત્પન્ન થએલા પાંચમાં લોકપાલ છે. તે આવાં મિથ્યા વચન બોલતાં કેમ લજજા નથી પામતા ? વિભે! શસ્ત્ર, અગ્નિ, વિષમ વિષ ઇત્યાદિકથી મૃત્યુ પામવું એ શ્રેષ્ઠ છે પરંતુ પોતાના કુલાચારરહિત જીવિત સારું નથી. જેઓએ ઇંદ્રિય ઉપર વિજય મેળવ્યું નથી એવા રાજાઓએ દિફયાત્રાથી કરેલો વિજયવિસ્તાર વ્યર્થ છે. ખરું તે એજ છે કે જેણે ઇન્દ્રિયને નિગ્રહ કર્યો તેણે વિશ્વ જીત્યું છે. જે પુરૂષ ઇન્દ્રિયને સ્વાધિન કર્યા વિના બીજાઓથી જય મેળવવાની ઈચ્છા કરે છે તે નિચે પોતાના બળતા ઘરને ત્યજી દઈ પર્વતને સિંચન કરવા જેવું કરે છે. જે મૂખ પુરૂષે પતંગીયાની પેઠે સુખના આભાસને વિષે લુબ્ધ બને છે, હા ! તેઓ સંપાદન કરેલા પોતાના સર્વ યશને નાશ કરે છે. પ્રાણીઓ, ચોરી, હિંસા, જુઠું અને પરસ્ત્રીસંગના પાપસમૂહથી તેમજ પોતાના બીજા ચેષ્ટિતથી ઘર એવા નરકપ્રત્યે જાય છે. હે રાજન ! તમે પોતાની સંપત્તિને નાશ કરવા માટે આ વજાપાત આરંભ્યો છે માટે નરકમાર્ગમાં ભાથારૂપ એ કુકૃત્યને ત્યજી ધો. પ્રાણુઓના મૃત્યુસમાન અને કુલને કલંકિત કરવા માટે મશીના કુચડા સમાન એવો તે કીર્તિરૂપી વેલડીના કંદને નાશ કરવા કેમ તૈયાર થયા છે? અહંકાર સહિત કુશીલવંત પુરૂષોની, અવિચાર્યું કાર્ય કરનારાની અને મંદમતિની આયુષ્ય સહિત લક્ષમી નાશ પામે છે.” મદન રેખાએ આ પ્રમાણે બહુ પ્રતિબંધ કર્યો છતાં પિતાના કદાગ્રહને નહિ ત્યજી દેનારે તે ભૂપતિ લજજા પામીને તેણીનું સ્મરણ કરતે છતો પિતાના ઘર પ્રત્યે ગયો. ત્યાં પણ તે ક્ષુદ્રમતિવાળે એમજ વિચારવા લાગ્યો કે “વિશ્વાસ પામેલા એ ન્હાના બંધુને હણી નાખ્યા વિના તે મદનરેખા મહારે વશ થશે નહીં.” એકદા મદનરેખાએ સ્વપ્નામાં શરઋતુને પૂર્ણ ચંદ્રમા દીઠે. તુરત જાગીને તેણીએ તે વાત પિતાના પતિ યુગબાહુને કહી. યુગબાહુએ પણ “તને પૃથ્વીના ઈંદ્રરૂપ મહા પરાક્રમી પુત્ર થશે.” એમ કહીને તેણુને જિનેશ્વર અને મુનિઓની સ્થા તથા પૂજારૂપ દેહદ પૂર્ણ કર્યો. કોઈ એક દિવસ યુગબાહુ પ્રિયા મદનરેખા સહિત દિવસે ક્રિીડા કરવા માટે ઉદ્યાન પ્રત્યે ગયો. જેણે થોડા પરિવાર સંગાથે રાખ્યો હતો એ તે યુગબાહુ થાકી ગએલે હોવાથી રાવીને વિષે પ્રિયા સહિત કદલીગૃહમાં રહ્યો. આ વખતે અવસર મલયે જાણે અધમ બંધુ મણિરથ રાજા ત્યાં આવ્યો. અને “યુવરાજ ! તું આજે અહિં કેમ સુતો છે?” એમ કહેતે છતે કદલી ગ્રહ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy