SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) શ્રી ષડલવૃત્તિ ઉતા, પ્રત્યે દાખલ થયે. પછી તુરત જાગી ગએલા તે ન્હાના બંધુએ તેને નમન કર્યું એટલામાં અધમ અને નિર્દય ચિત્તવાળા મણિરથે તેને ખગપ્રહાર કર્યો. ધિકાર છે તેના નિર્દયપણાને, “હારું ખગ પ્રમાદથી પડી ગયું” એમ કહીને પહેરેદાર પરૂએ છોડી દીધેલો તે તુરત નગરમાં જ રહ્યો. આ વાત ચંદ્રયશા કુમાર સાંભળી, તેથી તે પોતે વૈદ્ય અને પિતાના ઈષ્ટ અમાની સાથે ત્યાં આ. ભ. ના જાણ એવા વૈદ્યોએ અંદર પ્રસરાઈ ગએલા રૂધિરવાલા અને વિધુર એવા યુગબાહુના શરીરને જોઈ ઉપાય કરવા ત્યજી દીધા. જેને માટે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે: દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ હોય, ઘુરઘુર શબ્દથી શ્વાસ ચાલતો હોય અને હોઠ પહોળા તથા શિથિલ બની ગયા હોય તે અરિષ્ટ ઉત્પન્ન થયું છે એમ જાણવું. પછી સતી મદનરેખાએ પોતાના પતિની અંત અવસ્થા જાણે તેને પરભવમાં ભાથાને માટે વિધિથી આરાધના કરાવી અને કહ્યું કે “હે પ્રાણનાથ ! હારી વિનંતિ સાંભળે. તમે ધન અને સ્ત્રી વિગેરેમાં મેહ ત્યજી દઈ જૈન ધર્મ અંગીકાર કરે. સાવધાન થઈ પિતાના હિતને ભજે, જેણે કરીને સંસારમાં સારું કુટુંબ, નિરોગી દેહ અને ઉત્તમ ગૃહાદિ પ્રાપ્ત થાય છે. તે શ્રી જિનેશ્વર પ્રણિત ધર્મ સુકૃતથી જ પમાય છે. હે નાથ ! આલેચના, વ્રત, ગહ, પુણ્યની અનુમોદના, જીવક્ષમા, પાપસ્થાનને ત્યાગ, અનશન, શુભ ભાવ, ચતુ:શરણની પ્રાપ્તિ અને પરમેષિમંત્રનું સ્મરણ આવી મોક્ષ સુખકારી દશ પ્રકારની આરાધના તમને થાઓ. જિનેશ્વરનું ધ્યાન ધરી, ગુરૂના ચરણને નમસ્કાર કરી અને રત્નત્રય રૂ૫ સમકિતને મનથી આશ્રય કરો કે જેથી તમારે કલ્યાણકારી માર્ગ હોય, જીવને વધ, જુઠું, પરધન અને સ્ત્રીને સંગ ત્યજી દઈ તમે પોતાના પાપને ક્ષય કરવા માટે ભાવથી અણુવ્રતને સે. પોતાના ચિત્તમાં ઉત્તમ એવા ચાર ગુણત્રતાને ધારણ કરે. વળી આ લેકમાં તમે જે કાંઈ કાર્ય કર્યું હોય તે સર્વ દુષ્કૃત મિથ્યા થાઓ. હે ગૃપ ! મન વચન અને કાયા વડે આલોચના લઈ શ્રી જિનેશ્વરના ચરણની સાક્ષીવડે સર્વ મિથ્યા દુષ્કૃત કરવાથી તમને પ્રતિક્રમણ છે. આ લેકમાં અને પરલેકમાં કરેલા પોતાના દુષ્કૃતને નિંદવાપૂર્વક બીજાઓના પુણ્યકાર્યની અનુમોદના કરે. વળી આ ભવમાં અને પરભવમાં તમે મન, વચન અને કાયાથી જે પુણ્ય કર્યું હોય તેની વારંવાર અનુમંદના કરે. જે જીને ઘણું દુઃખમાં નાખ્યા હોય તેની ક્ષમા માગે અને કેઈએ કરેલા તમારા પોતાના અપરાધની પીડા ત્યજી ઘો. કર્મથી ઉત્પન્ન • થએલા સુખ દુઃખનું કેઈ કારણ નથી તેમજ જીવોને તત્ત્વથી કોઈપણ મિત્ર કે શત્રુ નથી. પ્રાણીઓ સાથે કરેલું વૈર દુર્ગતિને અર્થે અને મૈત્રી, મેક્ષ તથા સુખને - અર્થ થાય છે. માટે તમે પ્રાણુઓની સાથે વેર ત્યજી દઈ તત્વનું ચિંતવન કરતા - છતા મૈત્રી ધારણ કરે. માણસના જે કાર્યથી છકાય જીને આરંભ થાય છે તેવા • કાર્યને ત્યજી દઈ આ ઉત્તર કાલમાં હિતનું ચિંતવન કરે. પ્રાણીઓને વધ,
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy