SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪૮): શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. વડે પાણીમાં તેને શોધવા લાગ્યો. તે વખતે પ્રધાને તેને કહ્યું કે “શું આજે તમને ગંગા માતા આપતા નથી કે પોતે મૂકેલા દ્રવ્યને મેળો છે? પ્રધાને આ પ્રમાણે કહી “ આ તમારું પોતાનું દ્રવ્ય એળખીને .” એમ વારંવાર નિવેદન કરી પોતાની પાસે રહેલી સોના મહોરોની પોટલી વરરૂચિના હાથમાં આપી. પિટલીને જઈ ખિન્ન થએલે વરરૂચિ વિચારવા લાગે કે “ હારું આ ૫ટ રાજદિ લોકો જાણી ગયા, માટે મને ધિક્કાર છે.” શકટાલ મંત્રીએ રાજાને કહ્યું. “ સ્વામિન્ ! આપે આ વાત જાણી? વરરૂચિ સાંજે અહીં તે દ્રવ્ય યંત્રમાં મૂકી જાય છે અને સવારે કપટ કરી લઈ જાય છે. ” રાજાએ, મંત્રીને કહ્યું. “ તમે તેનું કપટ જાણ્યું એ બહુ સારું કર્યું.” એમ કહી રાજા, પ્રધાનની બુદ્ધિનાં વખાણ કરતા તે પિતાના ઘર પ્રત્યે ગયે. પછી ક્રોધ પામેલે વરરૂચિ મંત્રીનાં છિદ્રોને જાણવા માટે, તેના ઘરનું સ્વરૂપ જાણવા માટે તેની દાસીઓ વિગેરેને પૂછવા લાગ્યું. તેથી પ્રધાનની કઈ દાસીએ તેને કહ્યું “ શ્રિયકના વિવાહના મંગલ કાર્ય પ્રસંગે રાજા પ્રધાનને ઘરે જમવા આવનાર છે, તે વખતે રાજાને ભેટ આપવા માટે પ્રધાન શસ્ત્રો વિગેરે કરાવે છે. કારણ રાજાને ઈષ્ટ શસ્ત્રની પહેલી ભેટ આપવી જોઈએ. છલના જાણ એવા વરરૂચિને આ છલ હાથમાં આવ્યું તેથી તે છોકરાઓને ચણા વિગેરે આપી તેમની પાસે એમ બોલાવવા લાગ્યું કે “ રાજા નથી જાણતે જે આ શકટાલ મંત્રી મને મારી હારા, પિતાના રાજ્યને વિષે શ્રિયકને થાપન કરશે. ” બાલકે આ પ્રમાણે હંમેશા ઠેકાણે ઠેકાણે બોલવા લાગ્યા. આ વાત માણસેના કહેવાથી રાજાએ સાંભલી તેથી તે પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ બાલકે જે બોલે છે, સ્ત્રીઓ જે કહે છે અથવા જે કાંઈ બીજી આત્પાતિકી ભાષા સાંભલાય છે તે આ લેકમાં અન્યથા થતી નથી.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તેને નિશ્ચય કરવા માટે એક પિતાના વિશ્વાસુ માણસને પ્રધાનના ઘરે મોકલ્યા. તે પુરૂષ પ્રધાનના ઘરે જેવું દીઠું તેવું રાજાને કહ્યું. પછી સેવાને અવસરે મંત્રી રાજા પાસે આવી પ્રણામ કરવા લાગ્યો, તે વખતે રાજાએ કોધથી અવલું મુખ કર્યું. મંત્રી તેના ભાવને જાણી ગયે, તેથી તે ઘરે આવી શ્રિયકને કહેવા લાગ્યો. “ કોઈ પણ પુરૂષે મને રાજાની આગળ તેના (રાજાના) શત્રુરૂપે નિવેદન કર્યો છે. નિચે આ અકસ્માત્ આપણું કુલને ક્ષય કરનારે ઉત્પન્ન થયો છે. માટે હે વત્સ ! જે તું હારું કહ્યું કરે તો આપણે કુલને બચાવ થાય, અને તે એજ કે હું જ્યારે રાજાને નમન કરૂં ત્યારે ત્યારે “ પિતા પણ જે રાજાને અભક્ત હોય તે તે વધ કરવા યોગ્ય છે ” એમ કહી મહારૂં મરતક છેદી નાખવું. હે સુત ! વૃદ્ધાવસ્થાથી જર્જરીત થએલે હું આવી રીતે મૃત્યુ પામે છતે તું દીર્ધકાલ પર્યત હારા વંશ રૂપ ઘરને ટકાવી શકવામાં થંભ રૂપ થઈશ. ” શ્રિયકે પિતા રોતા ગગ૬ સ્વરથી કહ્યું. “શું આવું ઘર કૃત્ય ચાંડાલ પણ કરે રે ?
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy