SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલિભદ્રસ્વામી નામના અંતિમ શ્રુતકેવલીની કથા. (૭) મેં તેની પ્રશંસા કરી નથી પણ તે ઉત્તમ કાવ્યની પ્રશંસા કરી હતી. એ વરરૂઝિ બીજાએ બનાવેવા કાવ્યને પોતાના બનાવેલા છે ” એમ કહી આપની આગળ બોલે છે. રાજાએ કહ્યું. “જે તે સત્ય હોય તે તેના કહેલા કાવ્યને ક માણસ બેલે છે તે પ્રગટ કરી આપ. તે હું માનું.” મંત્રીએ કહ્યું તેના બેલેલા કાઢ્યા તે હારી પુત્રીઓ પણ જાણે છે. હું તે આપને સવારે દેખાડીશ.” : .. :..: હવે મંત્રી શકટાલને જક્ષા, જક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણદ વેણુ અને રેણા એ નામની સાત પુત્રીઓ હતી, એ સાતે સ્થૂલભદ્રની બહેન હતી. તેમાં સૌથી મહેદીને એક વાર કહેલું આવડી જાય છે, બીજીને બે વાર કહેલું આવડી જાય છે, ત્રીજીને ત્રણ વાર કહેલું, ચોથીને ચાર વાર કહેલું, પાંચમીને પાંચવાર કહેલું, છઠીને છ વાર કહેલું અને સાતમીને સાતવાર કહેલું આવડી જાય છે. પછી બીજે દિવસે પ્રધાને તે પિતાની સાત પુત્રીઓને રાજાની પાસે લઈ જઈ તુરત એક પડદાની અંદર બેસારી. વરરૂચિએ હંમેશ પ્રમાણે નવા એક આહ કાવ્ય કરી રાજાને કહ્યા. તે કાવ્યો સાંભળી પ્રધાનપુત્રીઓ પણ અનુક્રમે બેલી ગઈ. પછી રાજાએ કોધ કરી વરરૂચિને ઈનામ આપવું બંધ કર્યું કહ્યું છે કે ઉત્તમ બુદ્ધિવાળાઓને નિગ્રહ અને અનુગ્રહ કરવાના બહુ ઉપાય હોય છે. પછી વરરૂચિએ ગંગાના જળમાં યંત્ર ગોઠવ્યું અને તેમાં એકસોને આઠ સેના હેારાની પોટલી મૂકી. બીજે દિવસે સવારે ત્યાં જઈ ગંગાની સ્તુતિ કરીને પગવડે યંત્ર દબાભે એટલે યંત્રમાં રહેલી સોનામહોરની પોટલી ઉછલીને તેના હાથમાં પડી. આવી રીતે વરરૂચિ હંમેશાં સાંજે સેનામ્હોરની પોટલી મૂકી આવે અને બીજે દિવસે સવારે ગંગાની સ્તુતિ કરી તે પિટલી લઈ આવે; તેથી નગરવાસી કે તેની પ્રશંસા કરવા લાગ્યા. આ વાત લોકોના કહેવાથી રાજાએ સાંભળી, તેથી તેણે તે વાત પ્રધાનને કહી. પ્રધાને કહ્યું. “જે તે વાત સત્ય હોય તો આપણે પોતે સવારે ત્યાં જઈને જોઈએ.” રાજાએ તે વાત કબુલ કરી. પછી, પ્રધાને ચાકરને શીખવીને સાંજે ગંગાના તીરે મોકલ્યા. તે ચાકર. ત્યાં એક સ્તંભની એથે કઈ ન દેખે તેવી રીતે સંતાઈ રહ્યો. આ વખતે વરરૂચિ ગુપ્ત રીતે ત્યાં જઈ ગંગાના જળમાં રહેલા યંત્રને વિષે સોના મહોરોની પિટલી મૂકી હર્ષથી ઘર. આવ્યો. પછી પેલા સંતાઈ રહેલા ચાકરે જાતે તે વરરૂચિના જીવિતને જ લેતા, હાયની ? એમ તે સેના મહેરની પિટલી લઈ ગુપ્ત રીતે મંત્રીને આપી. :: પછી બીજે દિવસે ગુપ્ત રીતે સેના મહેરની પિટલી સાથે લઈ પ્રધાન રાજાની સાથે ગંગાના તીરે આવ્યો. જડ અને અભિમાની એ વરરૂચિ પણ તે વખતે ત્યાં આવી વિસ્તારથી ગંગાની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરી રહ્યા પછી તેણે યંત્રને પગવતી દબાવ્યું, પણ સોનાહેરાની પિટલી ઉછલી તેના હાથમાં પડી નહિ. પછી વિલખા થએલા પૂર્વની પિડે તે વરરૂચિ, પિટલી ન મળવાથી હાથ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy