SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્થલિભદ્રસ્વામી' નામના અંતિમ શ્રુતકેવલીની કથા. ( ૩૪૯ ) શકટાલે કહ્યું. “ તું આ પ્રમાણે કરીને કેવલ વૈરીના સમૂહેાના મનેાથને પૂર્ણ કરશે. યમરાજની પેઠે ઉદ્ધત થએલા આ રાજા જેટલામાં મને કુટુંબ સહિત મારી નાખે તેટલામાં હે પુત્ર ! તું મને મારીને કુટુંબનું રક્ષણ કર. વલી હું... મુખમાં તાલપુટ નામનું વષ નાખી રાજા આગલ મૃત્યુ પામીશ, જેથી તને અગાઉથી મૃત્યુ પામેલા એવા મ્હારા મસ્તકને છેદવાથી પિતાની હત્યા નહિ લાગે. ” આ પ્રમાણે પિતાએ બહુ કહીને શ્રિયકને સમજાવ્યેા, તેથી તેણે પિતાનું વચન માન્ય ર્યું, કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂષે ભવિષ્યમાં સારા ફૂલને માટે પડેલાને વિદ્યારવું. પછી બીજે દિવસે પ્રધાન, સેવાને અવસરે સભામાં આવ્યા. ત્યારે રાજાએ અવકું મુખ કર્યું ? તે જોઈ શ્રિયકે પેાતાના પિતાનું મસ્તક ખડગ વડે છેદી નાખ્યું. “ વત્સ ! તે આવું દુષ્કર કર્મ કેમ કર્યું ? એમ સભ્રમથી નદ રાજાએ શ્રિયકને પૂછ્યું એટલે તેણે કહ્યું કે “ આપે તેને પોતાના દ્રોહી જાણ્યા તેથી મે' તેને મારી નાખ્યા છે. કારણ કે સ્વામીના ચિત્તના અનુસારથી તેના સેવકા કાર્ય કરે છે. સેવકને દોષ જણાયાથી સ્વામી તુરત વિચાર કરી શકે છે. પણ ધણીના દોષ જણાયા છતાં પણ તેમને વિષે સેવકે શા વિચાર કરી શકાય ? ” પછી શકટાલનું ઉત્તર કાર્ય કરીને રાજાએ શ્રયકને ગૃહ્યુ. તું સર્વ વ્યાપારસહિત આ પ્રધાન મુદ્રા ધારણ કર. શ્રિયકે નમન કરીને કહ્યું. “ મ્હારે પિતા સમાન સ્થૂલભદ્ર નામે ડાટા ભાઇ છે. તેણે કાશાની સાથે નિરંતર ભાગ ભાગવતાં તેનાજ ઘરને વિષે પ્રમાદથી ખાર વર્ષ નિવાસ કર્યા છે. તેને તે મુદ્રા આપે. રાજાએ તેને મેલાવી પ્રધાનમુદ્રા લેવાનું કહ્યું. ” સ્થૂલભદ્રે કહ્યું. “ હું આપનું કહેવું વિચારીને સ્વીકારીશ. ” રાજાએ કહ્યું. “હે વત્સ ! જો એમ હાય તો આ અશેકવાડીમાં જઇ વિચાર કરી હમણાં મને જવામ આપ. પછી સર્વ પ્રકારના વિચારના જાણુ એવા ઉત્તમ બુદ્ધિવાલા સ્ફુલિભદ્ર, અશેાકવાડીમાં જઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. "" ,, “ જો કે આ પ્રધાનમુદ્રા આરંભમાં સુખનું કારણુ જણાય છે, પરંતુ અ ંતે તે દ્ઘારા પિતાની પેઠે લક્ષ દુ:ખનું કારણ થઈ પડે છે. વલી જેમાં શયન, સ્નાન અને ભાજન વિગેરેનું જરાપણ સુખ દેખાતું નથી અને અતિ દુષ્કર એવુ મ્હાટુ પરાધિનપણું જણાય છે. જે મૂઢ઼ાત્મા પાતાના કાર્યને ત્યજી દઈ રાજ્ય કાર્ય કરે છે; તે આ લેાકમાં ત્હારા પિતાની પેઠે વિટંબના પામે છે. માટે ત્યારે રાજાના અધિકારનું કાંઇ પ્રયેાજન નથી. હું તેા સંસારના ઉચ્છેદને અર્થે આત્મકાર્ય કરીશ. ” ઉત્તમ બુદ્ધિવાલા સ્થૂલિભદ્રે આ પ્રમાણે વિચાર કરી તુરત પાંચમુઠ્ઠી લેાચ કર્યાં અને શાસનદેવીએ આપેલા તિવેષ લીધેા. પછી પુણ્યાત્મા એવા તેણે સભામાં જઈ વ આ પ્રમાણે મે આલેાચ્યું. ” એમ કહી ભૂપતિને ધર્મલાભ દીધેા. પછી વૃદ્ધિ પામતા વૈરાગ્યના રસથી પૂ` મનવાલા તે સ્થૂલિભદ્ર, તુરત રાજદ્વારથી નિકલી ચાલ્યા. “ નિશ્ચે તે કપટ કરી ફેાશાના ઘરે જશે ” એમ ધારી રાજ ગાખમાંથી
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy