SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહલ અને શ્રીવિહુલ' નામના મુનિવરેની કથા. (૨૪) લાદિ ગુણેથી શોભતા એવા મેઘકુમાર, અભયકુમાર અને નંદિષેણ વિગેરે પુત્રો પણ બહુ હતા. અભયકુમારે પ્રભુ પાસે દીક્ષા લીધી, ત્યારે શ્રી શ્રેણિક રાજા વિચાર કરવા લાગ્યો કે “રાજ્યને , ગુણવાન અને પિતાની સેવા કરનાર તે અભયકુમાર હતા. પણ તેણે તે પ્રભુના મુખથી ધર્મોપદેશ સાંભલી વૈરાગ્યવાસિત થઈ શ્રી જિનેશ્વર પાસે દીક્ષા લીધી છે. હવે કણિકજ ગુણવાન અને ચિત્તને વિશ્રાંતિના રથાન રૂપ છે તેથી તેજ રાજ્ય ગ્ય છે બીજે નથી કારણ તેના સમાન બીજે સંપત્તિ મેલવી શકે તેમ નથી માટે હું રાજ્ય કણિકને આપીશ.” એમ ધારી તેણે હલ વિહલ્લને સેચનક હસ્તિ અને અઢાર સેરને હાર આપે. હવે અહીં તેજ વખતે કુણિક પોતાના સરખા કાલાદિ દશ ભાઈઓની સાથે વિચાર કરતો કહેવા લાગ્યો કે “અહો! પિતા વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયા તે પણ રાજ્યતૃષ્ણા તજતા નથી. પુત્ર રાજ્યગ્ય થાય ત્યારે પિતાએ દીક્ષા લેવી એ રોગ્ય છે. તે અભયકુમાર નિચે શ્રેષ્ઠ કર્યો કે જેણે યુવાવસ્થા છતાં રાજ્યલક્ષમી ત્યજી દીધી અને આ કામાંધ પિતા તે પિતાની જરાવસ્થાને પણ જોતા નથી. માટે આજે પિતાને બાંધી તેમનું અવસરને યોગ્ય એવું રાજ્ય આપણે ગ્રહણ કરી લઈએ, એમાં આપણને અપવાદ લાગવાનો નથી. કારણ પિતા વિવેકરહિત થયા છે. હે ભાઈઓ! પછી આપણે રાજ્યના અગીયાર ભાગ પાડી વહેંચી લઈશું અને પછી બંધીખાનામાં નાખેલા પિતા તે ભલેને બહુ વર્ષ જીવે.” આ પ્રમાણે વિચાર કરીને દુષ્ટ બુદ્ધિવાળા તે સર્વે પુત્રોએ વિશ્વાસી એવા પિતાના પિતાને બાંધ્યા. કહ્યું છે કે-કુપુત્ર પિતાને દુઃખ આપનારા થાય છે. પછી કૃણિકે પિતા શ્રેણિકને પિપટની પેઠે પાંજરામાં ઘાયા, એટલું જ નહિ પણ દ્વેષથી વિશેષે ભક્તપાન પણ આપવાને મંદાદરવાળો થયો. શ્રેણિક દૈવથી આવી દુર્દશા પામે છતાં કૂણિક તેની પાસે કોઈને જવા દેતો નહીં. એટલું જ નહિ પણ દુષ્ટ બુદ્ધિવાળો અને અતિ દુષ્ટ આત્માવાળે કૃણિક પૂર્વ ભવના વૈરને લીધે નિત્ય સવારે પિતાના પિતા શ્રેણિકને સે ચાબક મારતે. જો કે કૂણિક કોઈને શ્રેણિકની પાસે જવા દેતે નહિ તે પણ પોતાના પતિ ઉપર નેહવાળી મહાસતી ચલણ પિતાના કેશને મદીરાથી ભીંજાવીને તથા કેશની અંદર પુષ્પની પેઠે અડદના બાકળાના પીંડને ઘાલી નિત્ય આદરથી શ્રેણિક પાસે જતી અને અડદના બાકળાના પીંડ પતિને ખાવા માટે આપતી. શ્રેણિક, દુપ્રાપ્ય એવા તે ભેજનને ઉત્તમ ભેજન સરખું માનતે. વળી ચલ્લણના કેશપાશથી પડતા એવા મદીરાનાં ટીપાંને પણ તે પતે. આમ કરવાથી તેને ગાઢ તૃષા પીડા કરતી નહોતી તેમજ ચાબુકને માર માલમ પડતે નહીં. આવી રીતે પિતા શ્રેણિકને બાંધીને કૂણિક પોતે રાજ્ય કરતો હતો. એકદા કૃણિક પિતાના પુત્ર ઉદાયીને ખોળામાં બેસારી ભજન કરવા બેઠા હતે. અર્ધજન થયું હતું તે વખતે પેલે પુત્ર જાણે તેના ભજન કરવાના પાત્રમાં
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy