SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬ ) શ્રી ઋષિમ’હલવૃત્તિ ઉત્તરાદ્ધ. * श्री 'सुदर्शन' नामना मुनिवरनी कथा આ ભરત ક્ષેત્રમાં ચંપાપુરીને વિષે રાજતેજથી દેદીપ્યમાન એવા ધિવાહન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને દેવાંગના સમાન ઉત્તમ રૂપવાલી સંપત્તિથી સર્વને પરાભવ કરનારી અને પ્રેમના પાત્ર રૂપ અભયા નામની શ્રેષ્ઠ પત્ની હતી. તે નગરમાં ઉત્તમ બુદ્ધિવાલા ઋષભદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેને અરિહાદાસી નામે સ્રી તથા સુભગ નામના પશુપાલ ( ગાય ભેંસ વિગેરે પયુનું રક્ષણ કરનારા ગાવાલ ) હતા. એકદા શિયાલામાં ઉત્તમ બુદ્ધિવાલા તે સુભગ, પાતાની ગાયાને ચરાવી સાંજે વનમાંથી નગરી પ્રત્યે આવતા હતા એવામાં તેણે માર્ગમાં જિતેન્દ્રિય, જોવા ચાગ્ય શરીરવાલા, વસ્ત્ર આઢયા વિનાના કોઇ એક મુનિને કાયાત્સગે રહેલા દીઠા. સુભગ આસન્નસિદ્ધિ જીવ હાવાથી તે પેાતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હવણાં મહા દારૂણ તાઢ પડે છે તેા આ મુનિ એ પ્રાણના નાશ કરનારી તાઢને રાત્રીએ શી રીતે સહન કરશે. હા હા ! મેં પૂર્વભવને વિષે કાંઇપણ સુકૃત કર્યું નથી જેથી આ ભવમાં નિત્ય પારકા ઘરને વિષે દાસપણું કરૂં છું. માટે ચાલ હવણાંજ આ કાંખલા વડે એ મહા મુનિના શરીરને ચારે તરફથી એઢાડી હું મ્હારે ઘરે જાઉં અને કાલે સવારે પાળે આવી તે કાંમલે લઈ લઈશ. પણ “ એ મુનિ યાપણાથી આ કાંખલાને અંગીકાર કરશે કે નહીં ? ” આમ વિચાર કરીને તે સુભગ કાંખલાવડે મુનિના શરીરને ચારે તરફથી ઢાંકી ભાવના ભાવતા છતા પોતાના ઘર પ્રત્યે ગયા. કામલે પાસે નહિં. હાવાથી જેમ જેમ સુભગને રાત્રીએ વધારે વધારે તાઢ લાગી તેમ તેમ તે મુનિની અનુમાઇના કરવા લાગ્યો. જો કે સુભગે મુનિને કાંખલા આપવાથી બહુજ થાતું પુણ્ય ઉપાર્યું હતું પરંતુ તેની બહુ અનુમેાદના કરવાથી તે પુણ્યને તેણે મેરૂ પર્વત સમાન મનાવી દીધું. પછી સવારે કૃતાર્થ એવા સુભગે તેજ પ્રકારે કાયાત્સગે ઉભા રહેલા મુનીશ્વરને નમસ્કાર કરી જેટલામાં તેમના શરીર ઉપરથી પેાતાના કામલાને લઇ લીધે તેટલામાં જાગ્રત થએલા તે મુનીશ્વર “ તમો તાળ એ પદના ઉચ્ચાર કરી ઉત્તમ પક્ષીની પેઠે આકાશમાં ઉડી ગયા. પછી સુભગ વિચાર કરવા લાગ્યા “ નિશ્ચે એ મહાત્માએ દયાથી મને સક્ષેવડે આકાશ ગામિની વિદ્યા આપી. માટે હવે હું સાવધાનપણે એ વિદ્યાને ભણું જેથી તે વિદ્યા મને પણ કાલે કરીને નિશ્ચે સિદ્ધિ આપશે ” પછી નિરંતર નવકારના આદિ પદને વારંવાર ઉચ્ચાર કરતા સુભગને સાંભળી શ્રેષ્ઠીએ તેને હર્ષોંથી હ્યુ, “ મનેાહર આકૃતિવાલા હૈ સુભગ ! તું સમનેરથ પૂર્ણ કરનારા આ
SR No.022020
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy