SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ A ૪૭ શ્રાદ્ધગુણ વિવરણ. તેને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં. કારણ કે સંસારની વૃદ્ધિ કરનાર અને પૂર્વ ધોને પણ છેક નિગોદ સુધી પહોંચાડનાર તેજ છે. કહ્યું છે કે – " मज विसयकसाया, निदा विगहा य पंचमीनाणया । एए पंच पमाया, जीवं पाति संसारे ॥ १ ॥" તાત્પર્યાર્થ:–“આઠ મદ, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષય, સેળ કષાય, પાંચ પ્રકારની નિદ્રા અને ચાર વિકથા એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. આ ગાથાનું મનન કરતાં એમ લાગે છે કે કેઈ ભવ્ય પ્રાણી સંસારી કાર્યમાંથી અવકાશ મેળવી ધમ કરવાને તત્પર થાય છે, તેટલામાં ઉપરોક્ત પ્રમાદ આડા આવી તેને તેમ કરતાં અટકાવે છે, તે તેનાથી પાછા નહીં હઠતાં આત્મવીર્યને પ્રકાશમાં લાવી, પ્રમાદને પરાજયકરી, ધર્મ કરવામાં તત્પર થવું; અને જે કાર્ય આજે કરવાનું હોય તેને આ વતી કાલ ઉપર મુલતવી રાખવું નહીં. કહ્યું છે કે – વિર ચન વર, ગ્રાનો પ્રવા अवसर बिता जातहै, फिर करेगा कब ॥" આ કવિતાને વિચાર કરી જે શુભકાર્ય કરવાનું હોય તે શીઘ કરવું જોઈએ. કેમકે –“શાંતિ વાવિદનાનિ” શુભ કાર્યમાં ઘણું વિશ્ન આવે છે, માટે શુભ કાર્ય કરવામાં વિલંબ કરે નહીં. વળી કહ્યું છે કે –“ઘરા સ્વસ્વિાતિ– ધર્મની ગતિ શીવ્ર હોય છે. તેથી ધર્મ કરણી કરવામાં ક્ષણ માત્ર પણ પ્રમાદ કરે નહીં. ભગવાન દેવાધીદેવ મહાવીરસ્વામી મહારાજે પ્રથમ ગણધર શ્રીમદ્ ગતમસ્વામી કે જેઓ પ્રાયે અપ્રમત્તપણે વર્તતા હતા, તે પણ તેઓશ્રીને ઉદેશી જેનાગમમાં ફરમાવ્યું છે કે –“સમાં નાયમ માં પ્રાથ– હે મૈતમ ? સમયમાત્ર પણ તું પ્રમાદ કરીશ નહીં. આ મહાવાક્ય ઉપરથી પ્રમાદનું બળ કેવું પ્રબળ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. માટે હું સુશ્રાવક છું અથવા સર્વોત્તમ સાધુ છું એ નકામે અહંકાર નહીં કરતાં પ્રમાદ ત્યાગ કરવામાં સતત પ્રયાસ કરે; નહીં તે કંડરીક અને મંગ્વાચાર્ય વિગેરેની પેઠે દુર્ગતિના દુઃખ સહન કરવાને પ્રસંગ આવશે. વળી કહ્યું છે કે –
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy