SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શ્રાદ્ધગુણ વિવરણ શબ્દાર્થ–“અન્યાયથી ગ્રહણ કરેલા દ્રવ્યનું દાન (પાત્રને) કરવું તે અત્યંત દોષ ઉત્પન્ન કરવાવાળું છે જેમ કે ગાયને મારીને તેના માંસથી કાગડાઓને તતિ કરાવે તેના જેવું છે ૧ ” વળી અન્ય દર્શનમાં પણ કહ્યું છે– "अन्यायोपार्जितैर्वित्तैर्यत् श्राएं क्रियते जनः । तृप्यते तेन चांमात्रा बुक्कसा दासयोनयः ॥२॥" શબ્દાર્થઅન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યથી જે લેકે શ્રાદ્ધ કરે છે તેનાથી ચંડાળે, વર્ણશંકર તથા દાસની નિમાં ઉત્પન્ન થયેલા વત થાય છે (પિત તુસ થતા નથી) ૨ ” જેથી ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય આપેલું પણ કલ્યાણને માટે થાયછે અને અન્યાયથી આવેલું દ્રવ્ય પુષ્કળ આપ્યું હોય, તે પણ ફળ રહિત થાય છે. અન્યાયની વૃત્તિથી અર્જન કરેલું દ્રવ્ય આલેક અને પરલોકમાં અહિતના અર્થેજ થાય છે, કેમકે આલેકમાં લોક વિરૂદ્ધ આચરણ કરવાવાળા પુરૂષને વધબંધનાદિ દે પ્રાપ્ત થાય છે, અને પરલોકમાં નરકમાં પડવા વિગેરે દે થાય છે. કદાપિ કઈ માણસને પાપાનુબંધી પુણ્યકર્મના ફળને લઈને આલેકની વિપત્તિ દેખાતી નથી, તથાપિ પરિણામે તે અવશ્ય થવાની જ. જે કારણથી કહ્યું છે કે – "पापेनैवार्थरागांधः फलमाप्नोति यत्कचित् । बमिशामिषवत्तत्तम विनाश्य न जीर्यति ॥१॥" શબ્દાર્થ—અર્થના રાગે કરી અંધ થયેલ મનુષ્ય પાપવડે કદી કઈ વખત ફળને પામે, તેપણુ કાંટાના માંસની પેઠે જેમ તે માંસમચ્છને નાશ કર્યા વિના રહેતું નથી, તેમ અન્યાયથી મેળવેલું ધન શરૂઆતમાં કાંઈક ફળ આવે છે, પરંતુ પરિણામે તે (ધન) ગહણ કરનારને નાશ કરે છે કે ૧” વળી કહ્યું છે કે – "अन्यायोपात्त वित्तेन यो हितं हि समीहते। नक्षणात्कालकूटस्य सोऽनिवांति जीवितुम् ॥२॥"
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy