SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણ વિવરણ છે તથાપિ પાત્રતાની ગ્યાયેગ્યતાને લઈને ભિન્ન ભિન્ન આશયપણે પરિણમે છે, તેથી જેને જે યોગ્ય હોય તેને તેવો ઉપદેશ આપવો એ ગ્રંથકાર મહારાજને ઉદેશ છે. - સાંપ્રત કાલમાં ઉપદેશ દેવાને કમ પ્રાયે બદલાયેલે લાગે છે. શ્રોતાઓને વિચાર કર્યા વિના વાંચનાર મહાશયે પિતાના મનને ઠીક લાગે તેવા ગ્રંથે સભામાં વાંચે છે. શ્રાવક ધર્મની પણ જેને બરાબર ખબર ન હોય તેવાઓની સમક્ષ આચાસંગાદિ અતિ કઠિન ગ્રંથ વાંચવામાં આવે છે આથી શ્રોતાવક્તાને કાલને જોઈએ તે ઉપયોગ થતો નથી, તેથી દેશ કાળ અને શ્રોતાઓને વિચાર કરી ઉપદેશ દેવામાં આવે તે વિશેષ લાભનું કારણ થઈ પડે. હવે બીજી રીતે બતાવે છે. गिरिसिर १ पणात श्मस्थत ३ कसिणावनि जनहिसुत्ति एमणिखाणी ६ धम्मोवएसवासे फलजणणे जीवदिलुता ॥१॥ શબ્દાર્થ અથવા જેમ પર્વતનું શિખર, પરાળ, મરુસ્થલ, કાળી જમીન, સમુદ્રની છીપ અને મણિઓની ખાણ એના સંબંધમાં આવેલા પાણીનું જુદું જુદું પરિણામ થાય છે તેમ ધર્મોપદેશની વાસનાનું ફળ ઉત્પન્ન થવામાં છાની પેગ્યતા ઉપર આધાર રહે છે. જે ૧૦ ભાવાર્થ-વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રેતાઓ પૈકી કેટલાક બેદરકાર અને કાતરથી વ્યગ્ર ચિત્તવાળા કઈ ખરેખર વ્યાખ્યાન શ્રવણુ કરી વિચાર કરતા નથી. રૂડી સાચવવાને સારૂ વ્યાખ્યાન શ્રવણ કરનાર અથવા માનની કે પ્રભાવનાની ઈચ્છાથી ઉપાશ્રયે જઈ કાળ ગાળનાર શ્રેતાઓ પર્વતના શિખર જેવા છે. જેમ પર્વતના શિખર ઉપર પડેલું જળ પર્વતના શિખરને કાંઈપણ લાભકારી થતું નથી તેમ પૂર્વેકા લક્ષણવાળા શ્રોતાઓને ઉપદેશ રૂપી જળ લાભકારી થતું નથી. ૧ બીજા છ પરણાળ જેવા છે; પરશુળ જેમ જળને ઝીલીને પિતાની પાસે ન રાખતાં જમીન વાસણુ અગર ટાંકામાં નાખે છે પરંતુ પરણાલને જલની અસર થતી નથી, તેવી જ રીતે ગુરૂ મહારાજથી ઉપદેશ શ્રવણ કરીને ઉપદેશ બીજાએને સંભળાવી પોતાનું પંડિતપણું જાહેર કરે છે, પરંતુ પિતાના આત્માનું કોઈ પણ પ્રકારે હિત આપી શકતા નથી, તેથી આવા પ્રકારના જે પણ ગુરૂ
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy