SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધગુણ વિવરણ. ઉત્પન્ન થયું તેનાથી શબાને ઓળખી લીધી અને તેનામાં એક ચિત્ત થયેલે તેની દષ્ટિ બ્રાહ્મણે મુકાવે છે પણ મૂર્તિ નથી. આ સ્ત્રીને સંસર્ગ દાદરના કુળને કલંકધૂત છે એમ વિચાર કરી બ્રાહ્મણેએ મુંબારાવ કરતી શબાને ત્યાંથી કાઢી મૂકી. તે પછી તેને વિયાગરૂપ અગ્નિથી સંતપ્ત થયેલો અને ઉદ્વેગ પામેલો દાદર પણ મરણ પામી કઈ એક વનની અંદર હરિણપણે ઉત્પન્ન થયે, તે વનમાં તેવી જ અવસ્થાવાળી શંબાને પરિભ્રમણ કરતી હરિણે જોઈ, ત્યાં પણ પૂર્વના પ્રેમથી તે બન્નેને પાછી તેવીજ પ્રીતિ પ્રગટ થઈ આવી, તે પછી સર્વ ઠેકાણે તેની પછવાડે ભ્રમણ કરતા અને નિર્ભય મનવાળા હરિણને કૂરપણે મારવાથી દુઃખ ભેગવી મરણ પામી વાંદરે થય, તે ઠેકાણે પણ તે શંબાને જઈ પૂર્વની પેઠે સ્નેહ ઉત્પન્ન થયે તેથી તેણીને ફળ વિગેરે લાવીને આપતાં લેકથી મૃત્યુને પ્રાપ્ત થશે. તે પછી વાણારસીની સીમાની પાસેના ગ્રામમાં વેદવિદ્યામાં નિપુણ દિત્ત નામે બ્રાહ્મણને પુત્ર થયે. તેને કોઈએક દિવસે રક્ષણ માટે વાણારસી પ્રત્યે જતાં ત્યાં રસ્તામાં અનશનવાળી અને જીણું શરીરવાળી શબાને જોઈ તે દિત્ત બ્રાહ્મણે કહ્યું કે હે ભદ્ર! તું કોણ છે? એ પ્રમાણે પ્રશ્ન કર્યો એટલે તેણુએ પણ પ્રથમનું સઘળું પિતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. તેણુએ કહેલું તેવા પ્રકારનું પોતાનું વૃત્તાંત જાણે પ્રથમ સાંભળ્યું ન હોય તેમ તે દિન્ન નામના બ્રાહ્મણને વૈરાગ્યને ઉત્પન્ન કરનારી પિતાના પૂર્વભવની જાતિસ્મૃતિ ઉત્પન્ન થઈ. તે પછી સંસારથી ભય પામેલા, ઉત્તમ વિચાર કરનારા અને સ્વજનેથી ક્ષોભ નહી પામનાર તે દિત્ત નામના બ્રાહ્મણે તેજ ઠેકાણે અનશન ગ્રહણ કરી અનુક્રમે મરણ પામી તું અહીં રાજાપણે ઉત્પન્ન થયે છે. એ પ્રમાણે પારાશરના કહેલા પિતાના પૂર્વભવ સંબંધી વિસ્મયને આપનારા સઘળા ભવે રાજાના સ્મરણમાં આવ્યા. અર્થાત્ જાતિસ્મૃતિ જ્ઞાનથી સાક્ષાપણે જોયા. તે પછી સંસારની અસારતા જેમાં ઉત્કૃષ્ટ સંવેગરૂપ અમૃતમાં નિમગ્ન થએલા, શ્રેષ્ઠ ધર્મ કરવા માટે ઉઘુકત થએલા અને અત્યંત હર્ષિત થએલા તે રાજાએ પોતાના સંપૂર્ણ દેશને કૈલાશના જેવા જિન મંદિરથી ભૂષિત કર્યો, તેમજ નિદાન વગરના એટલે આ દાનથી ભવાંતરમાં અમુક ફળ મને પ્રાપ્ત થાઓ એવી ઈચ્છા વગરના અને યોગ્યતા પ્રમાણે પ્રવર્તાવેલા મહા દાનથી દુઃખી, અનાથ, અને દીન પુરૂષના દુઃખને દુર કરી, પરમાર્થથી ગુરૂરૂપ પારાશર નામના કથક પંગવને ઘણા માન પૂર્વક નાના પ્રકારની સમૃદ્ધિથી આનંદિત કરી, મહીચંદ્ર નામના પિતાના પુત્રને મોટા મહોત્સવ પૂર્વક રાજ્ય ઉપર સ્થાપન કરી યુગંધર નામના સૂરીશ્વરની પાસે રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અતિચારથી વિમુખ થએલા સાધુઓની સાથે ચરણસત્તરી, કરણસત્તરી અને મન, વચન, કાયાના વેગોથી આ ત્મસ્વરૂપને સાધન કરતાં સમાધિપૂર્વક મરણ પામી બારમા દેવલોકમાં આ ભરત
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy