SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધ ગુણ વિવરણ. રિવિરોધ–પ્રજાવર્ગની સાથે વિરોધ કરે તે પણ ધમ પુરૂષોને ઉચિત નથી. કારણ કે ગમે તેટલી સાવચેતી છતાં પણ માણસ જાતની ભુલ થયા શિવાય રહેતી નથી. કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિનો સંબંધ છે. અને તેને લઈને હમેશાં ભુલ થવા સંભવ છે. બીજા પ્રાણુઓ કસ્તાં માનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઈને ભુલ થતાં વાર લાગતી નથી. શ્રતધર જેવા મહા જ્ઞાની પુરૂ જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસારથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપયોગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. છતાં પ્રમાદને વશ થઈ તેઓથી પણ ભુલ થઈ જાય છે. તે અલ્પની ભુલ થાય તેમાં નવાઈ જેવું નથી, તેથી આવી વખતે પ્રજાવર્ગવિધી હેવાથી તેઓ આવી ભુલને લાભ લઈધન, આબરૂ અને શરીરાદિકને અડચણ કરવા ચક્તા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભુલ કરનારને ખરાબ કરવા માટે બનતી કેશીસ કરી ખરાબ કરે છે. માટે પ્રજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે એગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવર્ગ કે સમુદાયની સાથે વિરોધ તે દૂર રહો પણ એક વ્યક્તિની સાથે પણ વેર વિરોધ રાખવે ઉચિત નથી. શાસ્ત્રની દષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પક્ષના વિરેધને લઈને કેટલું સહન કરવું પડ્યું છે. આ પ્રસિદ્ધ બીના પ્રાયે કેઈથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરૂષનાં ચરિત્રે ધ્યાનમાં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સંસારીક અને ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણ કરતા થતું નથી. વલીયા પ –બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ ગ્ય નથી. કદાચ કેઈ કારણને લઈને હરીફાઈથઈ જાય તો નિર્બળને પિતાને બચાવ કરતાં ઘણું અડચણ પડે છે. તેથી જાણું જોઈને બળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું ઘણું સારું છે. અને જે તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ, અને રાજબાળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાંથી જે બળની સાથે સ્પદ્ધ કરીને તેમાં સામો માણસ વિશેષ બળવાન હોય તે પાછું હઠવું પડે છે. અને તેની સાથે વિરોધ થાય છે. કદી કોઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજય કરી શકે છે. પણ પાછળથી તે પરાભવને બદલો લેવા ધનવાન પોતાના ધનબળથી શરીરબળવાળાને ભાડે રાખી અથવા તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતા ચૂક્ત નથી. માટે પ્રથમ તે
SR No.022018
Book TitleShraddhgun Vivaran
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherJain Atmanand Sabha
Publication Year1916
Total Pages280
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy