SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ आगमोपनिषद् (૮) અનભિગ્રહા ભાષા - જેમાં કોઇ નિશ્ચિત અર્થનું અવધારણ ન હોય. જેમ કે ઘણા કાર્યો બાકી હોય, ત્યારે કોઇ પૂછે કે 'હવે શું કરું ?' ત્યારે તેને જવાબ અપાય કે 'તને જે ઠીક લાગે, તે કર. ११८ (૯) અભિગૃહીતા ભાષા – જેમાં ચોક્કસ અર્થનું અવધારણ હોય, જેમ કે 'હમણા આ કર, આ નહીં કર.' (૧૦) સંશયકરણી ભાષા - જે અનેક અર્થોને કહેતી હોવાથી બીજાને શંકા ઉત્પન્ન કરે. જેમકે 'સૈન્ધવ લાવ, અહીં સૈન્ધવના લવણ, ઘોડો, પુરુષ, વસ્ત્ર એવા અનેક અર્થો થતા હોવાથી સાંભળનારને શંકા થાય છે. (૧૧) વ્યાકૃતા ભાષા - જે પ્રગટ અર્થવાળી હોય. (૧૨) અવ્યાકૃતા ભાષા - જે અત્યંત ગંભીર શબ્દાર્થવાળી હોય, અવ્યક્ત અક્ષરના પ્રયોગવાળી હોય, જેનો અર્થ સમજાઇ ન શકે તવી ભાષા. આ બાર પ્રકારની ભાષાને અસત્યામૃષા કહેવાય છે. મૂળ સૂત્ર આ મુજબ છે – असच्चामोसा णं भंते ! भासा अपज्जत्तिया कइविहा પળત્તા ? પોયમા! ટુવાલસવિજ્ઞા પળત્તા ।તંના - આમંતગિ आणणी जायणि तह पुच्छणी य पण्णवणी पच्चक्खाणी भासा इच्छाणुलोमा य ।। अणभिग्गहिया भासा भासा य अभिग्गहम्मि बोद्धव्वा । संसयकरणी भासा वोगड अव्वोगडा चेव || (ભગવતીસૂત્ર શતક ૧૩, ઉદ્દેશ ૭)
SR No.022016
Book TitleAgam Pratipaksh Nirakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages240
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy