SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ . ૦ પ્રમાણ ઓછામાં ઓછી અબાધાએ રહેલા છે ત્યાંથી પ્રથમ ક્ષણ-સમયથીજ ક્રમે ક્રમે અન્ય મંડળની કઢા તરફ દષ્ટિ રાખતા કઈ એક પ્રકારની ગતિ વિશેષ કરીને કલાકલામાત્ર ખસતા ખસતા (એટલે વધારે વધારે અબાધાને ક્રમશઃ કરતા) જતા હોવાથી આ સૂય – ચન્દ્રનાં મંડળ પનિશ્ચયથી સંપૂર્ણ ગળાકાર જેવાં મંડળ નથી, પરંતુ મંડળ સરખાં હોવાથી મંડળ જેવાં દેખાય છે અને તેથી વ્યવહારથી તે મંડળ કહેવાય છે. જુઓ બાજુમાં આપેલ આકૃતિ વળી ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણુ પ્રકાશ પડે છે તે સૂર્યના વિમાનનો છે, કારણ કે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે અને તે પૃથ્વીકાયિક જીવને પુલવિપાકી આતપનામકર્મનો ઉદય હોય છે, તેથી સ્વપ્રકાશ્યક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનનો ઉષ્ણ પ્રકાશ પડે છે, જે માટે “કર્મવિપાક નામા પ્રથમ કર્મગ્રન્થમાં કહ્યું છે કે – 'रविबिंबे उ जियंगं तावजुयं आयवाउ न उ जलणे । जमुसिणफासस्स तहिं लोहियवण्णस्स उदओत्ति। ઈતર દાર્શનિકો “આ પ્રકાશ (વિમાનમાં વસતા) ખુદ સૂર્યદેવને છે ” એવું માને છે, પરંતુ તેઓનું તે મન્તવ્ય વાસ્તવિક નથી, જે કે સૂર્યદેવ છે તે વાત યથાર્થ છે કિંતુ તે તે પોતાના વિમાનમાં સ્વયોગ્ય દિવ્યઋદ્ધિને ભેગવતો થકો આનંદમાં કાળ નિર્ગમન કરે છે. આ ચર જ્યોતિષી વિમાનનું સ્વસ્થાનાપેિક્ષયા ઊર્વગમન તેમ જ અગમન તથાવિધ જગત્ સ્વભાવથી હોતું જ નથી, ફક્ત સભ્યન્તરમંડલમાંથી સર્વબાહ્યમંડલે તેમ જ સર્વ બાહ્યમંડલેથી સર્વાભ્યન્તર મંડલે આવવા-જવારૂપ તીખું ગમન થાય છે, અને તે પ્રથમ જણાવ્યા પ્રમાણે તિષીદેવોના વિમાનોનું જ થાય છે, સર્વવિમાનમાં દેવો સહજ આનંદથી વિચરતા હોય તે વસ્તુ જુદી છે, પરંતુ વિમાનેના પરિભ્રમણની સાથે દેવોનું પણ પરિભ્રમણ હોય જ અથવા દેવ વિમાનોનું જે ૫૧૦ જન પ્રમાણ ચારક્ષેત્ર હોય તેથી વિશેષ ક્ષેત્રમાં ન જઈ શકે તેવો નિયમ હતો નથી, રવિહારી હેવાથી પોતાની મર્યાદા પ્રમાણે નંદીશ્વરાદિદ્વીપ વિગેરે સ્થાને યથેચ્છ જઈ શકે છે. આ જ્યોતિષીનિકાયના દેવોને કેવું દિવ્ય સુખ હોય છે? તે બાબત પંચમાંગ શ્રીભગવતીસૂત્રમાંથી અથવા તે આ જ ગ્રન્થમાં આગળ આપવામાં આવનાર જ્યોતિનિકાય-પરિશિષ્ટમાંથી જાણવી. ५७ 'रविदुगभमणवसाओ, निष्फज्जइ मंडलं इह एगं । तं पुण मंडलसरिसं ति मंडलं वुच्चइ तहाहि ॥१॥ गिरिनिसढनीलवंतेसुं उग्गयणं रवीण ककमि । पढमाउ चेव समया ओसरणेणं जओ भमण ॥२॥ तो नो निच्छयरूवं, निप्फज्जइ मंडलं दिणयराणं । चंदाण वि एवं चिअनिच्छयओ मंडलाभावो॥३॥'
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy