SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહસંગ્રહણ: સૂત્રમ. સૂર્યનાં બાસઠ મંડળો નીલવંત પર્વત ઉપર પડેલાં દેખાય અને ૩ મંડળાં રમ્યકક્ષેત્રની બાહા-છોકટી ઉપર પડેલાં દેખાય. (આ ચાલુ ગ્રન્થકારના મતે જાણવું.) થાય, ત્યારબાદ તે જ જગતી ઉપર ૬૫ મું મંડળ સંપૂર્ણ ( ૨ ૦ ૪૮ ભાગ) ઉદયવાળું હોય, આ ૬૫ મંડળે પૂર્ણ થયે જંબુદ્વીપના ૬૫ મંડળોનું કહેલ ૧૭૯ ૦ ૯ અંશ જે ચારક્ષેત્ર તે યથાર્થ આવી રહે, અને બાકી રહેલ બાવન અંશ પ્રમાણે જગતી ઉપર લવણસમુદ્રમાં પડતા ૬૬ મા મંડલનું તે બાવન અંશ જેટલું ઉદયક્ષેત્ર સમજવું. આથી શું થયું? કે, ૧૬૯થી ૧૮૦ ૦ વત ૧૨૦ પ્રમાણુના જગતીક્ષેત્ર ઉપર કર૬૩-૬૪-૬૫એ ચાર મંડળો સંપૂર્ણ ઉદયવાળાં હોય (૬૬ મું બાવન અંશ ઉદયવાળું હેય.) હવે અહીંઆ વિચારવાનું એ છે કે શાસ્ત્રકારે જગતી શબ્દથી ૧૭૭થી૧૮૦ એ છેલ્લા ચારયે જનનું જગતીક્ષેત્ર ગણ્યું હોય તેમ જણાય છે, કારણ કે અંતિમ જગતીના સ્થાને ઊર્વભાગે ૬૪ મું મંડળ ૨૨ અંશ જેટલું ઉદય પામી સંપૂર્ણ ભ્રમણ કરી ૬૫ માં મંનો સંપૂર્ણ ઉદય થઈ બાવન અંશ જેટલું ૬૬ માનું ભ્રમણ નિયમિત રહે. એ હિસાબે ૬૩ મંડળ નિષ૦ નીલ૦ ઉપર અને ૬૪-૬૫ એ બે મંડળો જ અંતિમ જગતી સ્થાને હોય તે કથન વાસ્તવિક છે તે પણ ઉપરોકત કથનમુજબ વાસ્તવિક રીતે તો ૬૩-૬૪ મંડળ દૃષ્ટજગતીઉપર છે, અને જ્યાં ૬૪૬૫મું છે ત્યાં તો વાસ્તવિક જગતીનો ઢાળ છે, જોકે તેથી ગતી ગણી શકીએ તો ગણાય પરંતુ ૬૩-૬૪ મંડળ યોગ્ય એવી દષ્ટજગતીસ્થાનને છોડીને જગતીનો ઢાળ શા માટે ગણુ ? જો જગતીના ઢાળને પણ ગણવો હોય તો તો પછી ૧૬૯ થી ૧૮૦ ચો. સુધી ૧૨ ૦ જગતી ગણીને ૬૨-૬૩-૬૪-૬૫ એ ચાર મંડળો જગતી.ઉપર કહીએ તે જગત” શબ્દ સંપૂર્ણ સાર્થક થાય છે, અને જગતના ત્રણ વિભાગના કથનમાં દોષ જ નહિં આવે, માટે ૬૪-૬૫ મું મંડળ ઢાળની અપેક્ષાએ જગતી ઉપર હોવા છતાં ‘૬૪-૬૫મું જગતી ઉપર ” એમ કહેવું સંપૂર્ણ સાર્થક જણાતું નથી. પરન્ત-૬૪-૬૫મું ‘જીવાકોટી વા બાહાસ્થાને ” કહેવું તે સ્થાનસ્પષ્ટતા માટે વિશેષ ઉચિત છે અને એટલા જ માટે તે સ્થાન હરિવર્ષ અથવા રમ્યક ક્ષેત્રની છવાકેટીમાં ગણાઇ જતું હોવાથી તે “જીવાકોટી સ્થાનને ગ્રન્થકાર મહર્ષિઓ નિર્દેશ કરે તેમાં અનુચિતપણું નથી. ત્રણે મોત સંબંધી રીતસર વિવેચન કરી ગ્રન્થકારના કથનને સ્પષ્ટ કર્યું છે તથાપિ ત્રણે મતમાં અંતમાં જણાવ્યા મુજબ તે મંડળો માટે સ્થાનદર્શક-સ્થાનસૂચક અતિસ્પષ્ટ શબ્દ તો નવાટી ગ્રહણ કરવા વિશેષ ઉચિત છે. આ ત્રણે મતો માટે વૃદ્ધવાદ છે, ગ્રન્થગૌરવના કારણે આ બાબતમાં વધુ ઉલ્લેખ ન કરતાં વિરમીએ છીએ. વધુ સ્પષ્ટતા જ્ઞાની ગમ્ય. ૬૧–મેરૂની એક પડખેનાં કુલ ૬૫ મંડળો અને બીજા પડખેનાં કુલ ૬૫ મંડળો એમ બે વ્યાખ્યા કરી. એથી એમ ન સમજવું કે ૧૩૦ મંડળ સંખ્યા લેવાની છે મંડળ આખાંસંપૂર્ણ તે પાંસઠ જ છે, પણ પ્રતિદિશાવતી વ્યકિતને એક બાજુએથી સ્વદષ્ટદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે, કારણકે જોનાર વ્યક્તિથી સંપૂર્ણ વલયાકાર મંડળ જેવાતું નથી, આથી તેઓ સ્વસ્થક્ષેત્રથી બન્ને બાજુનાં મંડળો બન્ને વિભાગમાં જોઈ શકે તેથી તેવી પ્રરૂપણું કરેલ છે.
SR No.022014
Book TitleTrailokya Dipika Aparnam Bruhat Sangrahani Sutra Savishesharth Sachitra Sayantrak
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year1936
Total Pages64
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy