SearchBrowseAboutContactDonate
Page Preview
Page 834
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ સૂ. ૨૬ ૧૪૭ દ્રવ્યના પણ અભાવ થઈ જાય છે પરંતુ પર્યાયની નિવૃત્તિ થઈ જવા છતાં પણ માટીને સદ્ ભાવ કાયમ રહે છે આથો દ્રવ્યના વિનાશ હાવાનું સ્વીકારી શકાય નહીં. જ્યાં પ્રત્યક્ષથી વિરાધ આવતા હોય ત્યાં દલીલ માટે કોઈ અવકાશ રહેતા નથી. આ રીતે યુતિ (દલીલ) અને આગમ પ્રમાણથી ‘તન્માવવયં નિત્યક્’ એ સાખીત થયું.’ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ—(ભગવતી) સૂત્રના શતક ૧૪, ઉદ્દેશક ૪માં કહ્યુ છે. પ્રશ્ન-- ભગવ’ત ! પરમાણુ પુદ્ગલ શાશ્વત છે કે અશાશ્વત ? ઉત્તર—ગૌતમ ! દ્રવ્યની અપેક્ષાથી કવચિત્ શાશ્વત છે. અને વર્ણ પર્યાય અને સ્પશ પર્યાયથી કવચિત્ અશાશ્વત છે. આ પ્રકારે જીવાભિગમ ના. ૩. ત્રીજી પ્ર. ઉ. ૧. સૂત્ર ૭૭માં પણ કહ્યુ છે. પ્રશ્નભગવંત ? પરમાણું પુદ્ગલ શુ' શાશ્વત છે અથવા અશાશ્વત છે— ઉત્તર——ગૌતમ–દ્રવ્યની અપેક્ષાથી શાશ્વત છે—અથવા નિત્ય છે અને વર્ણ પર્યાય રસ પર્યાય, ગંધ પર્યાય, અને સ્પર્શ પર્યાયની અપેક્ષાથી અશાશ્ર્વત અનિત્ય છે ભગવતી સૂત્ર શ. ૭ ૯૦ ૨ માં પણ કહ્યુ છે. પ્રશ્ન—ભગવંત ! જીવ શાશ્ર્વત છે અથવા અશાશ્વત છે ? ઉત્તર—ગૌતમ-કવચિત-શાશ્ર્વત છે કવચિત્ અશાશ્ર્વત છે પ્રશ્ન---ભગવંત ! કયા હેતુથી એવું કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્ર્વત અને કવચિત્ અશાશ્વત છે ? ઉત્તર—ગૌતમ ! દ્રવ્યની દૃષ્ટિથી શાશ્વત છે અને ભાવ અર્થાત્ પર્યાયની દૃષ્ટિથી અશાશ્ર્વત છે. હું ગૌતમ ! આ હેતુથી એમ કહેવામાં આવ્યું છે કે જીવ કવચિત્ શાશ્ર્વત કવચિત્ અશાશ્ર્વત છે. પ્રશ્ન-ભગવંત ! નૈરયિકજીવ શુ શાશ્ર્વત છે ? કે અશાશ્ર્વત ? ઉત્તર—જેવું થવાના વિષયમાં કહેવામાં આવ્યું છે તે રીતે નૈરયિકાના વિષયમાં સમજવું એવી જ રીતે વૈમાનિકા તથા ચાવીસે દંડકાના જીવાના સંબંધમાં સમજી લેવુ જોઇએ કે બધા કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. ૫ ૨૬ ॥ પ્રિય વાદ અનેત ારણા મૂળ સૂત્રા—પ્રધાનતા અને અપ્રધાનતાની વિવક્ષા કરવાથી અનેકાન્તની સિદ્ધિ થાય છે. ।। ૨૭ || તત્વા દીપિકા પૂર્વ સૂત્રમાં એ પ્રતિપાદન કર્યું કે ઘટ વગેરે પ્રત્યેકવસ્તુ પર્યાયાકિ નયથી ઉત્પાદ અને વ્યયથી ચુકત હાવાના કારણે અનિત્ય હાવા છતાં પણ દ્રવ્યાથિક નયની અપેક્ષા કૃતિકા દ્રવ્યના અન્વય હાવાના કારણે નિત્ય પણ છે. પરંતુ આ કથન પરસ્પર વિરુદ્ધ જેવું પ્રતીત થાય છે. જે વસ્તુ અનિત્ય છે તે જ નિત્ય કેવી રીતે હાઇ શકે ભલા ? જો નિત્ય છે તેા વિનાશ અને ઉત્પાદનુ હેાવુ. અસંભવ છે અને જો અનિત્ય છે તા કાયમ ન રહેવાના કારણે નિત્યતામાં વિરેધ આવે છે આ આ શંકાનું સમાધાન કરવાના આશયથી કહીએ છીએ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy