SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્વાર્થસૂત્રને કઈ પણ વસ્તુ સત રૂપથી ઉત્પન્ન થતી નથી તેમજ નાશ પણ થતી નથી આથી સૂત્રમાં ભાવ શબ્દના ગ્રહણથી પરિણામી નિત્યતા જ સમજવી જોઈએ, કૂટસ્થનિત્યતા નહીં. જે કૂટસ્થ નિત્યતા જ ગ્રહણ કરવાની હતી તે “તાથી નિત્યમ” એવું સૂત્ર હેત. જે વસ્તુમાં કઈ પણ રૂપમાં વિકાર થતું નથી તે નિત્યસ્વરૂપ જ હોય છે એવી જ રીતે બધી અન્વયી મૃત્પિન્ડ તથા સુવર્ણ આદિનું ઉપલક્ષણ જાણવું જોઈએ. સત્વ છએ દ્રવ્યોમાં વ્યાપક સત્ત્વ જ છે. જીવ સત્ છે તે પિતાના ચૈતન્ય અમૂલ્તત્વ અસંખ્યાતપ્રદેશત્વ સ્વભાવને પરિત્યાગ કરતા નથી. પિતાને આ ગુણધર્મોથી તેને કઈ કાળે નાશ થયે નથી, નાશ પામતું નથી અને નાશ પામશે નહીં. આથી જ જીવ અવિનાશી, નિત્ય અને અવ્યય કહેવાય છે પરંતુ એમ સમજવાની ભૂલ ન કરવી કે જીવ દેવ નારક આદિ પયયની દૃષ્ટિથી પણ નિત્ય છે એવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય સત્વ મૂત્વ, અચેતનત્વ ધર્મોને પરિત્યાગ કરતું નથી અથી તેમાં નિત્યતા છે. ઘટ આદિ પર્યાની અપેક્ષાથી નિત્યતા નથી. ધર્મદ્રવ્ય સત્ત્વ અમૂત્વ અસંખેય પ્રદેશ7 લેકવ્યાપિત્ત વગેરે ધર્મોને પરિત્યાગ ન કરતે થકે હસેશાં સ્થિર રહે છે, પર્યાયની દૃષ્ટિથી નહીં અર્થાત પરમાણુ અગર યજ્ઞદત્તની ગતિમાં નિમિત્ત હવા રૂપ પર્યાયની અપેક્ષાથી તેમાં નિત્યતા નથી. ગમનકર્તાના ભેદથી ગતિ ઉપકારિત્વ પણ ભિન્ન થતું રહે છે અર્થાત તેના પૂર્વાપર પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. એવી જ રીતે અધર્મ દ્રવ્ય પણ સત્ત્વ અમૂત્તત્વ આદિ ધર્મોને કદી પરિત્યાગ ન કરવાના કારણે નિત્ય છે. પરંતુ વિભિન્ન પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત બનવા રૂપ પર્યાની અપેક્ષાથી અનિત્ય છે. આકાશ સત્ત્વ અમૂવ અનન્તપ્રદેશિત્વ અવગાહના આદિ ગુણને કારણે નિત્ય છે પરંતુ અવગાહક વસ્તુઓના ભેદના કારણે તેના અવગાહમાન પરિણામમાં પણ ભેદ થતું રહે છે. એ દૃષ્ટિએ તે અનિત્ય છે. અલકાકાશમાં છવપુદ્ગલ વગેરે અવગાહક નથી તે પણ ત્યાં અગુરૂલઘુ વગેરે પર્યાય ભિન્નભિન્ન હોય છે. જે એવું ન માનીએ તે અલકાકાશમાં સ્વતઃ ઉત્પાદ તથા વ્યય થશે નહીં. તેમજ ન પરાપેક્ષ થશે. આવી સ્થિતિમાં ત્યાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય ન હોવાથી સતનું લક્ષ્ય પણ ઘટિત થશે નહીં. આથી જે પદાર્થ સત ભાવથી નષ્ટ થયું નથી, થતો નથી અને થશે નહીં તે જ નિત્ય કહેવાય છે, અથવા-ક્ષણ-ક્ષણમાં વિવિધ પ્રકારના પરિણમન થતા રહેવા છતાં પણ વસ્તુનું પિતાના મૂળ અસ્તિત્વથી અર્થાત્ બ્રૌવ્ય રૂપ અંશથી ન ખસવું નિત્યત્વ કહેવાય છે. શંકા–ઉત્પત્તિ અને વિનાશ પર્યાય દ્રવ્યથી અભિન્ન છે આથી પર્યાયને વિનાશ થવાથી દ્રયને પણ વિનાશ થઈ જવો જોઈએ. સમાધાન-જે ઘટ પર્યાયને વિનાશ થવા પર માટીને પણ વિનાશ જોઈ શકાત અને માટીને વિનાશ થવા પર પુગલ દ્રવ્યને પણ નાશ થઈ જાય તે આ પ્રમાણે કહી શકાત પરંતુ એવું તે દેખાતું નથી અન્વયી માટીને અથવા પુગલજાતિને કોઈ પણ અવસ્થામાં અભાવ જોઈ શકતા નથી કારણ કે તેનું તે હતું તે જ નામ કાયમ રહે છે, તેનું જ્ઞાન પણ થતું રહે છે અને મૃત્તિકાસાધ્ય વ્યવહાર પણ થતો રહે છે. જે ઘડાને અભાવ થયા પછી, કશું પણ ઉપલબ્ધ ન થાત તે બુદ્ધિમાન પુરૂષ વિશ્વાસ કરી લેત કે પર્યાયને અભાવ થવાથી
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy