SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ સૂ. ૨૬ ૧૪૫ છે. તે પ્રત્યભિજ્ઞાન નિહેક થઈ શકાતું નથી આથી પ્રત્યભિજ્ઞાનનું જે કાર છે તે “સદ્દભાવ કહેવાય છે. દા. ત. ઘડે, દારૂ ઉદંચન વગેરેને મૃત્પિન્વભાવ, કટક વલય, કુંડળ આદિનું સુવર્ણદ્રવ્ય તર્ભાવ અર્થાતું મૃત્પિન્ડ અગર સુવર્ણ આદિ રૂપથી વ્યય-વિનાશ ન થે અવ્યય અર્થાત નિત્ય કહેવાય છે. ઘડા વગેરેમા તથા કુંડળ વગેરેમાં માટીને પિન્ડો તથા તેનું વગેરે નિત્ય છે એ ચોકકસ થાય છે. માટીના પિન્ડથી ઉત્પન્ન થનાર ઘટ પર્યાય ગૌણ છે અને મૃત્પિન્વભાવ પ્રધાન છે આથી મૃત્તિ શિડભાવથી ઘડો વગેરે વસ્તુ નિત્ય કહેવાય છે. તેની નિત્યતા દ્રવ્યાર્થિક નયથી જ કદાચિન જાણવી જોઈએ. હંમેશાં નિત્યતાને સ્વીકાર કરવાથી તે અન્યથારૂપ થવાને પર્યાયનો અભાવ જ થઈ જશે. આવી સ્થિતિમાં આત્માને સર્વથા નિત્ય માની લેવાથી નર, નારકી, આદિ રૂપથી સંસાર અને તેની નિવૃત્તિરૂપ મોક્ષ પણ ઘટિત થઈ શકશે નહીં. પછી તે સંસારના સ્વરૂપનું કથન અને મોક્ષના સ્વરૂપનું કથન પણ વિરુદ્ધ થઈ જશે. આથી વરતુને કથંચિત્ નિત્ય જ માનવી જોઈએ. એ ર૬ છે તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં, સત્ ઉત્પાદું વ્યય અને દ્રવ્યથી યુક્ત હોય છે એ બતાવ્યું તેમાંથી આકાશ આદિ સત વસ્તુ નિત્ય છે અને ઘટ આદિ સત્ અનિત્ય છે આ રીતે સત્ પદાર્થોમાં નિત્યતા અને અનિત્યતા-બને જેવાથી ઉત્પન્ન થનાર સંદેહનું નિવારણ કરવા માટે કહીએ છીએ—અથવા આ જ બીજા અધ્યાયના ત્રીજા સૂત્ર “fજાર વદયા સૂવારમાં નિત્ય કહેલ છે, ત્યાં સર્વ સત્ નિત્ય નથી કારણ કે સ્વરૂપનું ગ્રહણ કરેલ છે. આવી સ્થિતિમાં રૂપી વસ્તુની અનિત્યતા પ્રતીત થવા લાગે છે આથી સમસ્ત સત્ પદાર્થ ન નિત્ય અથવા ન અનિત્ય કહી શકાય છે આથી ધ્રૌવ્ય રૂપ અંશની અપેક્ષાથી રૂપી વસ્તુ પણ કથંચિત નિત્ય છે એ આશયને પ્રકટ કરવા માટે કહે છે – “તભાવવશે નિજ આ સૂત્રમાં તત શબ્દથી–સતુનું ગ્રહણ કરવું જોઈએ. સત વસ્તુને ભાવ “તભાવ” કહેવાય છે. તે સત્ વસ્તુ માટી જ શરાવ. ઉદંચન કપાલ–ઘડા વગેરે રૂપમાં અને સુવર્ણ જ કટક વલય કુંડળ આદિ રૂપમાં તથા જીવ જ દેવ વગેરેના રૂપમાં હોય છે. એવું કદી થતું નથી કે પોતાના મૂળ સ્વભાવ મૃત્તિકા–પિન્ડત્વ સુવર્ણવ અને જીવત્વને ત્યાગ કરીને તે બીજા રૂપમાં પરિણત થઈ જાય કારણ કે ઘટ કુન્ડલ અને દેવ વગેરેમાં મુસ્પિન્ડ સુવર્ણ અને જીવ તત્વને-અન્વય જોવાય છે આથી ઘટ આદિ સદ્ વસ્તુ પિતાના મૌલિક સ્વભાવથી વિનષ્ટ થતી નથી. આ જ તેની નિત્યતા છે. જે એવું ન માનીએ તે સત ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યથી યુક્ત હોય છે, આ સતનું લક્ષણ અવ્યાપક થઈ જાય. કારણ કે ઘટ આદિમાં ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાય જ માનવાથી ધ્રૌવ્ય અંશનું ગ્રહણ થશે નહીં. આ કારણે રૂપાદિમાન ઘટ આદિ સત્ વસ્તુ પણ માટી વગેરેને અન્વય હોવાથી ધ્રૌવ્ય અંશવાળી છે અને ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણથી યુકત છે. આથી ધ્રૌવ્ય અંશની અપેક્ષાથી કથંચિત્ નિત્ય કહેવાય છે. આ સૂત્રમાં ગૃહીત નિત્ય શબ્દથી પૂર્વ સૂત્રમાં કથિત ધ્રૌવ્ય અંશ સમજવાં જોઈએ. દ્રવ્યને તે અન્વયી અંશ કદાપી અને ક્યાંય પણ નષ્ટ થતો નથી. . ૧૯
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy