SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ગુજરાતી અનુવાદ દ્રવ્યેન્દ્રિયનું નિરૂપણ સૂ. ૨૦ અર્થાત્ ઈન્દ્રિયોથી જન્મતાં નથી. આ આશંકાનું સમાધાન આ છે કે–એવો કોઈ નિયમનથી કે બધા ઉપગ નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયથી જ ઉત્પન્ન થાય પરંતુ એક મતિજ્ઞાનને ઉપયોગ થાય છે. તે ઉપગ-પ્રાણિઘાત રૂપ વ્યાપાર વિશેષ છે. પ્રજ્ઞાપનાસૂત્રના ૧૫માં ઇન્દ્રિય પદના બીજા ઉદ્દેશ્યમાં કહ્યું છે – પ્રશન–ભગવાન ! ઈન્દ્રિયલબ્ધિ કેટલા પ્રકારની છે ? ઉત્તર ગૌતમ ! પાંચ પ્રકારની ઈન્દ્રિયલબ્ધિ કહી છે, જેમ કે- સ્પર્શનેન્દ્રિયલબ્ધિ, જીન્દ્રિયલબ્ધિ પ્રાણેન્દ્રિયલબ્ધિ, ચક્ષુરિન્દ્રિયલબ્ધિ, શ્રેગ્નેન્દ્રિયલબ્ધિ. પ્રશ્ન–ભગવાન ! ઈન્દ્રિયઉપગદ્વારના કેટલા પ્રકાર છે? ઉત્તર ગૌતમ! પાંચ પ્રકારના છે—એન્દ્રિય-ઉપયોગદ્ધા-સ્પર્શનેન્દ્રિય–ઉપગદ્ધાd૧લા 'दुविहं दन्विदिय निवत्ति उवगरण च' દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ | ૨૦ || તત્વાર્થદીપિકા–ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈગયા હવે દ્રવ્યેન્દ્રિયની પ્રરૂપણ કરવા માટે કહે છે-દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે-નિવૃત્તિ અને ઉપકરણ વિભિન્ન ઇન્દ્રિયના જુદા જુદા આકારનું ઉત્પન્ન થવું નિવૃત્તિરૂપ ઇન્દ્રિયને નિવૃત્તિ-ઈન્દ્રિય કહે છે. નિવૃત્તિ બે પ્રકારની હોય છે આત્યંતર અને બાહ્ય. ધનરૂપ વ્યવહારઆંગળના અસંખ્યાતમાં ભાગ પરિમિત, આંખ વગેરે ઈન્દ્રિયોનાં આકારમાં સ્થિત શુદ્ધ જીવપ્રદેશની આત્યંતરવૃત્તિથી યુક્ત આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય છે. તે આત્મપ્રદેશમાં જેઓ ઇન્દ્રિય કહેવાય છે નામકર્મના ઉદયથી ઉત્પન્ન અવસ્થા વિશેષરૂપ નિયત આકારવાળા પુદ્ગલેને સમૂહ બાહ્યનિવૃત્તિ છે. આશય એ છે કે શ્રેત્ર વગેરે ઇન્દ્રિયેન-આકારમાં પુદ્ગલેની જે રચના છે તે બાહ્યનિવૃત્તિ કહેવાય છે. આ રચના નામકર્મના ઉદયથી થાય છે. જે ઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. અભિપ્રાય એવો છે કે નિવૃત્તિ ઈન્દ્રિયને ઉપકાર કરનારને ઉપકરણેન્દ્રિય કહે છે. ઉપકરણના પણ બે ભેદ છે-આત્યંતર અને બાહ્ય. આંખને કાળે તથા ઘોળો જે ડોળો છે તે–આત્યંતર ઉપકરણ છે અને ભ્રમર તથા પાંપણ વગેરે બાહ્ય ઉપકરણ છે. એવી રીતે આ બન્ને નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિય પૌગલિક છે અને પૂર્વોક્ત ભાવ ઇન્દ્રિયની સહાયક હોય છે. એમને દ્રવ્યેન્દ્રિય કહેવાનું કારણ એ છે કે આત્મપરિણામ રૂપ ઉપગ ભાવેન્દ્રિયને મદદ કરવામાં સમર્થ છે તેમજ દ્રવ્ય છે. મૂળગુણ નિર્વત્તના નિવૃત્તિને નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય કહે છે. તે અંગોપાંગનામકર્મ દ્વારા ઉત્પન્ન થાય છે, ઉપયોગ રૂ૫ ભાવેન્દ્રિયનું છિદ્ર છે. કર્મવિશેષ દ્વારા સંસ્કૃત શરીરને પ્રદેશ રૂપ છે તથા નિર્માણનામકર્મ તથા અંગોપાંગકર્મની નિમિત્ત હોય છે. - બંને પ્રકારની ઉપકરણેન્દ્રિય શેન્દ્રિય વગેરે નામની નિવૃત્તિદ્રવ્યેન્દ્રિયની અનુપઘાત તથા અનુગ્રહ દ્વારા ઉપકારક હોય છે. અર્થાત્ ઉપકરણેન્દ્રિય, નિવૃત્તિ ઇન્દ્રિયને ઉપઘાત ન થઈ જાય તેમજ અનુગ્રહ થાય, એ રૂપે સહાયક હોય છે. તે ૨૦ | તત્વાર્થનિયુકિત-પૂર્વસૂત્રમાં ભાવેન્દ્રિયના બે ભેદ કહેવાઈ ગયા હવે દ્રવ્યેન્દ્રિયના ભેદોની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ-દ્રવ્યેન્દ્રિય બે પ્રકારની છે-નિવૃત્તિ અને ઉપકરણ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy