SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૧ લો. તેમ ઉત્સુક થઈને રણભૂમિ તરફ ચાલ્યા. તે વખતે શત્રુઓના સમૂહને રાધ કરવાને માટે મુખ્ય પુત્ર સેમયશા રાતા અશ્વવાળા અને ચંદ્રના ચિન્હવાળી ધ્વજાવાળા ચંદ્ર જેવા ઉજ્જવળ રથપર આરૂઢ થઈને બાહુબલિની આગળ ચાલ્યે. તેની સાથે યમરાજની જેવા દુઃપ્રેક્ષ્ય' મહાવીર મહાયશા, સિંહ જેવા અધથી જોડેલા અને કાચબાના ચિન્હવાળી ધ્વજાવાળા રથમાં બેસી હાથમાં ભાલું લઇને નીકળ્યેા. મહારથી સિંહરથ અનેક શસ્ત્રને ધારણ કરી સિંહના ચિન્હવાળી ધ્વજાવાળા જગજય નામના રથમાં બેસી તેની આગળ ચાલ્યેા. મયૂરની ધ્વજાવાળા સિંહકણું, સમુદ્રની જેવા ધ્વનિ કરતા કાલદંષ્ટ્ર નામના રથમાં બેસી રણભૂમિમાં આવ્યા. સિંહની જેવા પરાક્રમવાળા, સર્વે શત્રુને દુય અને હંસના ચિન્તુવાળી ધજાવાળા રક્તવર્જ વીર મેાટા સૈન્ય સાથે રથમાં બેસીને આવ્યે. રણમાં સર્વ શજૂના વિજય કરનાર અને નેાળીઆની ધજાવાળા સિંહસેન કુમાર કાળાર્ગળ નામના રથમાં બેસી સર્વના અગ્રેસર થઈ રણભૂમિમાં આણ્યે. આ પ્રમાણે બાહુબલિના પુત્રો અને રાજાએ વિવિધ વાહનમાં બેસી અનેક પ્રકારનાં શસ્રો અને અસ્રોને ધારણ કરી ઉત્સાહથી રણભૂમિમાં આવ્યા. અહીં ભરત રાજા પણ પ્રાતઃકાલમાં સ્માન કરી, ધૌતવસ્ત્ર પહેરી દેવાલયમાં ગયા. “સત્પુરૂષા કયારે પણ સાંસારિક કાર્યમાં મેહ પામી ધર્મકાર્યને ભૂલી જતા નથી.” ગૃહચૈત્યમાં જઇને ચક્રીએ શ્રી આદિનાથની પ્રતિમાને સાન કરાવી પેાતાના યશવડે પૃથ્વીની જેમ યક્ષકદમથી વિલેપન કર્યું. સુગંધી પુષ્પાથી અર્ચન કરી, ધૂપનું દહન કરીને સંપૂર્ણ ભક્તિવાળા ભરતે પ્રભુની સ્તુતિ કરી. પછી ચૈત્યમાંથી નીકળી વાથી પણ ન ભેદાય તેવા જગજ્જય નામના કવચને અને ઉત્તમ શૃંગારરૂપ શિરસ્ત્રાણુને ધારણ કર્યાં; તથા લેાહમય ખાણેાથી પૂર્ણજય અને પરાજય નામના બે અક્ષય ભાથા વાંસા ઉપર ધારણ કર્યો. વામનુજામાં દેવતાના સમૂહે આશ્રય કેરેલું મહાભયંકર ટંકાર શબ્દવાળું ગૈલાકયદંડ નામનું ધનુષ્ય ધારણ કર્યું. શત્રુઓનો નાશ કરનાર દૈયદાવાનળ' નામના ખડ્ગને અને બીન્ન દિવ્ય અસ્રોને ચક્રવર્તીએ પેાતાના હાથથી સ્પર્શ કર્યો. પછી ઐરાવત હાથીની જેવા મદ ઝરતા સુરિગિર નામના હાથી ઉપર શક્રકેતુ ભરતરાજા આરૂઢ થયા. સિંહની ધ્વજાવાળા સુષેણ પવનંજય નામના રથઉપર બેઠા અને તેને અનુજ બંધુ ગરૂડ નામના રથપર બેઠા. સેનાપતિએ કાળાનળ નામે ખડ્ગ અને અગ્નિમુખ નામે વિદ્યુત ' C ૩ ૧ દુ:ખે જોઈ શકાય તેવા. ર્ ધોયેલું કપડું. ૩ જેમની ધ્વામાં ઇંદ્રનું ચિન્હ છે એવા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy