SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન શ્રી સ્તંભન પાર્શ્વનાથનું મંદિર છે અને તે કારણથી જૈનનું એ તીર્થ ગણાય છે. એટલે સ્તંભતીર્થ અને સ્તંભન પાર્શ્વનાથનું તીર્થ એ બે શબદસાદસ્યથી એ જૈન તીર્થ ઉપરથી જ ખંભાતનું નામ પડયું હશે એમ આજ સુધી લખાએલા લગભગ બધા ઈતિહાસમાં જણાવેલું છે. પરંતુ આ વાત અત્રે સ્પષ્ટ કરવાની ખાસ અગત્ય છે કે સ્તંભતીર્થ અને સ્તંભન પાર્શ્વનાથને સંબંધ બહુ પ્રાચીન નથી. એ સંબંધ પાછળથી થએલો છે. સ્તંભતીર્થ નામ સ્તંભન પાર્શ્વનાથની ખંભાતમાં સ્થાપના કરી તે પૂર્વે ઘણા કાળથી વપરાતું હતું. જે સ્તંભનપુર નગરમાંથી સ્તંભન પાર્શ્વનાથને ખંભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ શહેરે છે. એટલે સ્તંભતીર્થ–ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી. સ્તંભતીર્થ અને થંભનપુર ખંભાયત નામ કે જેનું સંસ્કૃત રૂપ પાછળથી સ્તંભતીર્થ થયું છે તેનો જૂનો ઉલ્લેખ ગંગાધરે રચેલા “પ્રવાસકૃત્ય”માં આવે છે. એ ગ્રંથ વિ. સં. ૧૧૬૩માં રચાય છે. કંબાયત કે ખંભાયત નામ આરબ મુસાફરે છેક ઈ.સ. ૯૧પથી વાપરે છે. સ્તંભનપુર અથવા સ્તંભનકપુરનો ઉલ્લેખ અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૩૧માં કર્યો છે. પાદલિપ્તાચાર્યના સમયમાં નાગાર્જુને પારાનું સ્તંભન કરવા માટે પ્રબંધ કર્યો. તે પ્રસંગમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી અને પ્રતિષ્ઠાનપુરના સાતવાહન રાજાની પદ્મિનીરાણું ચંદ્રલેખાને હાથે રસવિધાન કરાવતાં તે સ્થળે પારો સ્તં ત્યાં સ્તંભનપુર નામનું નગર પ્રસિદ્ધ થયું. સમય જતાં નગર અપ્રસિદ્ધ થયું અને મૂર્તિ વદનમાત્ર બહાર રહી બાકીની ભૂમિમાં દટાઈ ગઈ. વિ. સં. ૧૦૮૮ થી ૧૧૩૫ની વચ્ચે શ્રી અભયદેવસૂરિને તેનું જ્ઞાન પ્રાપ્ત થતાં તેમણે “જયતિહુઅણ સ્તોત્રથી સ્તવન કરતાં મૂર્તિ આપોઆપ બહાર આવી અને સ્તંભનપુર ફરી વસ્યું. આ સમયથી તે વસ્તુપાલ ૫ ખંભાત ગેઝેટીઅરમાં કંદ પુરાણની વાતને ટેકો આપી સ્તંભન પાર્શ્વનાથનો ઉલ્લેખ કરેલો નથી, પણ સામાન્ય રીતે જેનો રસ્તંભન પાર્શ્વનાથના તીર્થ ઉપરથી તંભતીર્થ નામ પડવું એમ માને છે. એક જૈન લેખકે શ્રી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ શેઢી નદીને કિનારેથી શ્રી અભયદેવસૂરિએ લાવી ખંભાતમાં સ્થાપી એમ લખ્યું છે તે પણ ભૂલ છે. શ્રી સૂરિએ એ પ્રતિમા શેઠને તીરે તે જ નામનું શહેર ફરી વસાવી સ્થાપેલી, જેની ચર્ચા આગળ કરી છે. ૬ વસંત પવમાં શ્રી નરસિંહરાવભાઈ અને શ્રી તનસુખરામભાઈ વચ્ચે જે ચર્ચા ચાલેલી તેમાં સ્તંભનપુર અને સ્તંભતીર્થખંભાત એ બે નગર જુદાં છે એમ લાંબી ચર્ચાને અંતે શ્રી નરસિંહરાવભાઈને લાગેલુંપરંતુ સ્તંભનપુરને સ્થળનિર્ણય તે સમયે થએલે નહિ. શ્રી તનસુખરામભાઈએ સ્તંભનપુર શેઢી નદીને તીરે હતું તેના ઉલ્લેખ નેધેલા; પરંતુ એ નગર, સ્તંભતીર્થ અને તંભતીર્થ વેલાકુલ એ ત્રણે એક શહેર ભિન્નભિન્ન સમયે ખસતાં ખસતાં વસેલાં એવી મતલબનું લખાણ કરેલું છે, અને સ્તંભનપુરને તદ્દન ભિન્ન નગર ગણેલું નથી. આચાર્ય વલ્લભજીએ પોતે સંપાદિત કરેલી “કીર્તિકેમુદી'ની પ્રસ્તાવનામાં સ્તંભનપુર તે ખંભાણ હોઈ શકે એ સંદિગ્ધ ઉલેખ માત્ર કર્યો છે, પરંતુ એ સ્થળ કયું તે બતાવ્યું નથી; એટલે એમને સ્તંભતીર્થના પ્રાકૃત સ્વરૂપમાં સ્તંભનપુરના પ્રાકૃત સ્વરૂપને “” આવો જોઈએ એમ લાગ્યાથી સંદિગ્ધ અનુમાન કર્યું હશે. સ્તંભનપુરના “નને પ્રાકૃત રૂપમાં ‘ણ થવો જોઈએ તે સ્તંભતીર્થના પ્રાકૃત રૂપમાં નથી આવતો એ અગત્યની વાત જ એ બે નગરને ભિન્ન ગણવા માટે પૂરતી છે. “સ્ત' તો બંને નામના આરંભમાં છે, અને પ્રાકૃતમાં એને વિકલ્પ સવ અને શું થાય છે. એ આખી ચર્ચા ખંભાતના અભિધાનપ્રકરણ માટે ઉપયેગી છે એટલે પરિશિષ્ટમાં કરીશું. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy