SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિધાન રાવળે પોતાના ભત્રીજાને એના અધિકારી નીમ્યા હતા.૩ આ કથન નિરાધાર અને ભ્રમમૂલક છે. મહીના મુખ આગળ ત્રણ માઈલને છેટે તે જાણીતું નગર ફક્ત નગરા છે એમ સિદ્ધ થએલું. છે. ગજની નામનું નગર એટલામાં હતું અને ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કેાઇ સપ્રમાણ લેખ કે ગ્રંથમાં જડતું નથી. ખંભાતનાં જે જે નામ લેખ અને ગ્રંથામાં તથા લેાકકથાઓમાં જડે છે તેમાં પણ ગજની નામ નથી. કર્નલ ટૉડે આધાર સાથે લખ્યું નથી. વલભીના લેખમાં ગજની નામ આવે તે ઉપરથી તે ખંભાતની જગ્યાએ હતું અને ખંભાતનું જ જૂનું નામ હતું એમ સિદ્ધ થતું નથી. વલભીના જ લેખમાં ખંભાતને સ્થળે પ્રસિદ્ધ નગરક-નગરા હતું એની ચર્ચા આગળ કરીશું. એટલે ગજની કે ગયની એ હાલતું ગાજના ગામ હોય એમ સુપ્રયુક્ત લાગે છે. એ ગામ મહીના મુખ ઉપર જ છે. મહી નદીને પ્રવાહ મહીસાગરને નામે પહેાળા થાય છે તે જગ્યા ઉપર દહેવાણુથી થોડે છેટે એ ગામ આવેલું છે, અને ખંભાતથી પૂર્વે આશરે વીસ માઈલ છેટે છે. ૧૫ ગંભૂતા ખંભાતનું નામ નથી ખીને એવે જ ભ્રમ ગંભૂતા નામ માટે ચાલે છે. ગંભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સૂત્રની ટીકામાં મૂતાં આવવાથી ઉચ્ચાર સાદશ્યથી આ ભૂલ ડૉ. મ્યૂલર આદિએ કરેલી જણાય છે. સંમૂતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં બેત્રણ વખત આવે છે. એમાં ગંમૂતા નથવ એ વાર્ષિક પથકની સાન્નિધ્યમાં છે, અને એની પાસે કલ્લુરી ગામને! પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેને ભાગ; અને કાલ્હેરી ગામને હાલ કાલડી કહે છે તે પણ ત્યાં જ આવેલું છે. એટલે ગંભૂતા પાટણ જિલ્લામાં હોવાનું સિદ્ધ થાય છે અને તે હાલનું માઢેરાની પાસે આવેલું ગાંભૂ ગામ છે. હાલ પણ એને કસ્બા કહી શકાય એવડું મેલું એ છે. એટલે પૂર્વે પથક એટલે તાલુકા અને તેનું તે મુખ્ય નગર હશે એ સિદ્ધ વાત છે, ખંભાત સાથે એને કાંઇ સંબંધ નથી. ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી હવે ખંભાતના સ્થંભતીર્થ એ સંસ્કૃત નામ ઉપરથી એને સ્તંભનકપુર અથવા સ્તંભનપુર નામનું પ્રાચીન જૈન તીર્થ કહેવામાં આવે છે એ ભ્રમના ખુલાસે થવાની પણ જરૂર છે. ખંભાતમાં હાલ ૩ Čાડ રાજસ્થાન, એસ.કે. લાહીરી સંપાદિત આવૃત્તિ, વેા. ૧, પૃ. ૨૦૨-૩ અને પ્ર. ૪, પૃ. ૩૨૧. વિ. સં. ૧૯૭૦ના ચૈત્રના વસંતના માસિકના અંકમાં ખંભાત વિશેની ચર્ચામાં નોંધમાં આ ઉતારા આપેલે છે. તેમજ તેમાં વધુ જણાવ્યું છે કે શ્રી દેવદત્ત ભાંડારકર ઇ.સ. ૮૧૦માં ખંભાતનું નામ ગજની હતું એમ લખે છે. શ્રી દેવદત્તની આ માન્યતા માટે કાંઇ પ્રમાણ આપ્યું હોય એમ જણાતું નથી. ખંભાતના હાલના સ્થળથી ત્રણ માઇલ છેટે ગજની હતું એમ લખવામાં તે ગજની અને નગરા વચ્ચે ગોટાળા ઊભા કરેલા જણાય છે. For Private and Personal Use Only ૪ બૉમ્બે ગેઝેટીઅર, વેા. ૧, ભા. ૧, ગુજરાતના ઇતિહાસ, પૃ. ૧૨૩. અહીં ગભતા એ ખંભાતનું જૂનું નામ છે એમ નિશ્ચયપૂર્વક લખ્યું છે છતાં કારણ કે આધાર આપ્યા નથી. એટલે પાછળના લેખકાએ એને પ્રમાણ માનેલું છે. વસંત પત્રની ચર્ચામાં શ્રી તનસુખરામભઇએ ગંભૂતા નામ ખંભાતનું હોય નહિ એમ લખ્યું છે; પરંતુ ગંભૂતા કયું ગામ તેના નિર્ણય કરૈલે। નથી.
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy