SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૬ સ્વતંત્ર સંસ્થાન લશ્કર સાથે મુંબઈના એ વખતના ગવર્નર મિ. ડંકન પણ હતા. એણે ગાયકવાડના પ્રધાન રાવજી આપાજી સાથે ખંભાતમાં મસલત કરી. એ વખતે જે કરાર થયા તેમાં ખંભાતના હક્કમાં કાંઈ ફેરફાર થયા નહિ; પરંતુ એ જ વર્ષના આખર મહિનાની આખર તારીખે જે વસાઈની સુલેહ થઈ તેમાં પેશ્વાના ખંભાતને લગતા બધા હક્ક બ્રિટિશ સરકારને મળ્યા. ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા સાથે છ ગામ ભાખત ઝઘડા હું ઇ. સ. ૧૮૦૬માં બાલાજી આપાએ કાઠીઓને વશ કર્યાં, એટલે કાઢીને માટે ખંભાત દરબારે સાબરમતીને કાંઠે જે કિલ્લા વગેરે બચાવનાં સાધન ઊભાં કરેલાં તે નકામાં ગયાં. આથી ગાયકવાડના મહીકાંઠાના સરદાર બાપુ કાશીને હુકમ આવ્યા કે ખંભાતને આપેલાં છ ગામ હવે ખાલસા કરી લેવાં. એજ વખતે બાપુ કાશીએ ખંભાત તાબાનાં બીજાં ઘણાં ગામમાંથી પણ પૈસા ઉધરાવવાના મુચરકા લખાવી લેવા માંડવા. આથી ખંભાત દરબારે મુંબાઇ સકારને લખાણ કર્યું અને વડાદરાના રેસિડેન્ટ મેજર વાકરે એવું સમાધાન કર્યું કે ખંભાત દરબાર વડોદરા દરબારનું વ્યાજખી લેણું આપી દે૧૪ અને વડાદરા દરબારે એમણે લીધેલાં ખંભાતનાં ગામેાના મુચરકા પાછા આપી દેવા. એ પછી અંગ્રેજની સત્તા ગુજરાતમાં વધતી જવાથી ફંટા બખેડા ઓછા થવા લાગ્યા અને કોઈપણ ઝઘડાની બાબતમાં મુંબાઈ સરકાર વચ્ચે પડવાથી તેને તુરત નિકાલ થઈ જવા લાગ્યા. એટલે ઇ. સ. ૧૮૧૮માં બ્રિટિશાએ ગુજરાતના સંપૂર્ણ કબજો લીધા ત્યાંસુધી કોઇ જાણવા જેવા રાજદ્વારી બનાવ ખંભાતને લગતા બન્યા નથી. ઇ. સ. ૧૮૧૮માં બ્રિટિશ સત્તા ગુજરાતમાં વ્યવસ્થિત રીતે જામી ગઇ, એટલે ખંભાતમાં જુદા રેસિડેન્ટ રાખવા બંધ કર્યો અને ખેડાના ક્લેક્ટરને ખંભાત રાજ્યના પોલિટિકલ એજન્ટ હરાવ્યા. ઇ. સ. ૧૮૨૭માં નવાબ ફતેહઅલીખાનનું અવસાન થયું.પ નવાબ સાહેમ બંદેઅલીખાન ૧૮૨૩-૧૮૪૧ તથા નવામ સાહેમ હુસેનયાવરખાન ૧૮૪૧-૧૮૮૦ નવાબ ફતેહઅલીખાનને પુત્ર નહાતા, એટલે એમના ભાઇ બંન્નેઅલી ખાન ગાદીએ આવ્યા. એમના અઢાર વર્ષના અમલ દરમ્યાન કોઇ ખાસ જાણવા જેવા બનાવ બન્યા નથી. ખંભાતમાં શાંતિ રહી હતી. ઇ.સ. ૧૮૪૧ના માર્ચની ૧૫મી તારીખે નવાબ બંદેઅલીખાન બેહસ્તનશીન થયા. એમને પણ પુત્ર નહાતા એટલે ગાદી એમના ભાઈ યાવરઅલીખાનને મળી. પરંતુ એમણે ગાદીના હક્ક પેાતાના શાહજાદા હુસૈનયાવરખાનને આપી દીધા.૧૬ ૧૩ Aitchison's Treaties VII.58-59 પહેલાં ચેાથ અમદાવાદ લેવાની મદદ બદલ ગાયકવાડને અપાતી તે પેશ્વાને અપાવા લાગેલી તે ૧૮૦૨માં બ્રિટિશને મળી. ૧૮૦૭ સુધી દરખારે એને ઈજારા રાખેલા તે પૂરા થયે! અને ચેાથ ખંડણીના રૂપમાં ફરી ગઈ ! ૧૫ Bom. Gaz. VI. P. 232. ૧૬ એ જ. ૧૪ Bom. Gaz. VI. P. 232 ઈ.સ. ૧૮૦૩-૪માં નાપાડ ટપ્પા માટે બ્રિટિશ સાથે કરારનામું થયું તેમાં ખંભાતના વહીવટદાર તરીકે જવાલાનાથ રોય નામના માણસનું નામ આવે છે. કરાર દરબાર તરફથી વાલાનાથે કરેલા. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy