SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર, (તરંગ - - - - - - - - - અવગુણ વગેરે પૂર્ણ રીતે ધ્યાનમાં લઈ વ્યાધિમાં જે ગુણક હેય તેને ઉપગમાં લેવા. વિશેષ-દિનચર્યા, રાત્રિચર્યા, આહાર વિહારાદિ તથા ઔષધીઓના ગુણદોષ વગેરેને વિશેષ ખુલાશો જોઈએ તે જ ચરક) છે સુશ્રત, વાગભટ. » અને “ ભાવપ્રકાશ પૂર્વ ખંડને પ્રથમ ભાગ અવલોકન કરે. ઔષધ એટલે શું? અને તે ઔષધ કયા સ્થળનું? કઇ વખતે? - તથા કેવીરીતે ગ્રહણ કરવું તેને વિધિ. વૈધ જે પદાર્થ-વસ્તુથી રોગને મટાડે છે તે પદાર્થ વધ કહેવાય છે. એ ષધ કેવા પ્રકારનું હોય તે રોગને અવશ્ય મટાડે ? જે ઓષધ સ્વચ્છ જગ્યામાં ઉત્પન્ન થએલું, શુભ દિવસે લીધેલું, બેડી માત્રા છતાં વિશેષ ગુણ કરનારું, સુગંધ, સુવર્ણ અને સુરસ સહિત દેશને નાશ કરનારૂં, શરીરમાં ગ્લાનિ ન આપે તેવું, વિશેષ અપાયાથી પણ વિકાર ન કરનારું, રાક્રડા કે ખરાબ ભૂમીમાં ઉત્પન્ન થયેલ ન હોય, ઘણા પાણીવાળી જગ્યામાં, રમશાનમાં, ખારેડ ધરતીમાં અને માર્ગમાં ઉત્પન્ન ન થએલું-ઉગેલું, તથા જીવડાના વ અને ટાહાડ તાપથી આવ્યા હોય તે ઔષધ સારે દિવસે પ્રાતઃકાળમાં સૂર્ય સન્મુખ ઉભા રહી અવાચ પણે મનમાં શ્રી સદાશિવજીને પ્રણામ કરી પવિત્ર પણે ગ્રહણ કરી યોગ્ય પ્રયોગમાં લેવું. તેમજ સર્વ સ્થળે પિતાથી ઉત્તર દિશામાં ઉત્પન્ન થએલી ઓષધી લેવી. તથા સધના કાર્યો માટે શરદ ઋતુમાં ઔષધીઓ લેવી, કેમ કે તે સમયમાં સર્વ ઐવિધીઓ રસથી ભરેલી હોય છે માટે તે વખતે લેવી, પણ રેચ અથવા ઉલટી કરાવવાની ઔષધીઓ વસંત ઋતુના મધ્યમાં લેવી. જે પૃથ્વીમાં જે વધી ઉત્પન્ન થએલી હોય તે ઔષધીમાં તેજ પૃથ્વીના ગુણ હોય છે, માટે પૃથ્વીના ગુણને વિચારી પદાર્થોની પરીક્ષા કરી વૈદ્ય સંપ્રદાયને અનુસરી સર્વ પ્રયોગમાં કુશળ રહેવું. સ્વાભાવિક હિતકારી પદાર્થો કયા કયા છે? ચિખાઓમાં સાડી ખા, અણીવાળા ધામાં જવ તથા ઘઉં અને શિમાંથી પેદા થતા ધાન્યોમાં મેગ, મસૂર તથા તુવરદાળ સ્વાભાવિકપણે હિતકારી છે. રસમાં મિષ્ટ રસ, લૂણમાં સિંધાલૂણ, ફળોમાં દાડિમ, આમળાં, ધાખ, ખજૂર, ફાલસા, રાયણ અને બીજોરું એઓ હિતકારી છે. પાડાના શાકમાં બથવો, મીઠી ડેડી અને પિ હિતકારી છે. ફળરૂપ શકોમાં પરવળ, કંદરૂપ શાકમાં સૂરણ, પાણીમાં વરસાદનું ઝીલેલું પાણી, દુધ ધીમાં ગાયનું, દુધ-ધી. તૈલમાં તલનું તૈલ અને શેલડીના પદાર્થોમાં સાકર સ્વાભાવિક હિત કરનાર છે. સ્વાભાવિક અહિતકારી પદાર્થો. ગ્રીષ્મઋતુમાં અડદ, લૂણની જાતમાં ખારી ધરતીમાં પાકેલું મીઠું, ગાડરનું દુધ, કસુંબીનું તૈલ અને અરધો પકવેલે શેલડીને રસ, ફળોમાં ફનસ તથા શાકમાં સરસવનું શાક નિરંતર અહિતકારી છે, માટે તેઓને અવશ્ય ત્યજવા. એક એકના સગથી થતા અહિતકારી પદાર્થો. ગરમ પદાર્થો તથા વરસાદના ઝીલેલા પાણીની સાથે દહી, મધ, દુધ કિંધા દુધપાક સાથે ખીચડી. બશ, દહી અને બીજાની સાથે કેળ, કાંસાના પાત્રમાં દશ દિવસ ઉપરાંત For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy