SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે ) સૂચના પ્રકરણ, ( ૭ ) ઉપર વિશેષ પાણી પડે તે ખરાથી થાય છે. તેમ થોડા વ્યાધિ–રોગ ઉપર વિશેષ ઔષધ આપવામાં આવે; તો પણ ખરાથી થાય છે; માટે પ્રયોગના પાઠમાં લખેલા તેાલ ઉપર આધાર ન રાખતાં વૈધે પોતાની ઈચ્છા પ્રમાણે ઉપરનાં કારણાને ધ્યાનમાં લઇ ચોગ્ય લાગે તે પ્રમાણમાં આષધ આપવું. સ્વરસ કરવાના વિધિ. ટાલાડ અગ્નિ કે કીડા વગેરેથી જે લીલી વનસ્પતિ ખરાબ ન થયેલી હોય તેવીતે લાવી તેજ વખતે માંડી વાટી તેનો રસ કપડાથી ગાળી લેવામાં આવે તે સ્વરસ કહેવાય છે. સોળ રૂપિયાભાર લીલા ઔષધનું ચૂર્ણ કરી તેને બમણા પાણીમાં નાખી એક અર્જુરાત્ર સુધી રહેવા દઇ તેમાંથી જે રસ લેવામાં આવે છે પણ ઉત્તમ સ્વરસ કહેવાવ છે. લીલી વધી ન મળે તેા સુકી (ઔષધી) લાવી તેનું ” ભૂકો કરી તેને આઠ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી અવશેષ રહે ત્યારે લઇ લેવામાં આવે તે પણ સ્વસ કહેવાય છે. એ પૈકી પહેલા પ્રકારનો સ્વરસ ભારે છે તેથી તેની માત્રા એ રૂપીઆભાર પીવી અને બીજા તથા ત્રી‚ પ્રકારના સ્વર્સની માત્રા ચાર રૂપીઆભાર પીવી તથા તેમાં મધ, સાકર, ગાળ, ક્ષાર, જીરું, લૂણુ, ધી, તેલ કે ચર્ણ-આદિ નાખવા હોય તે અડતાલીશ રતી ભાર નાખવાં. હિમ કરવાના વિધિ. ચાર તેાલાભાર આષધને સારી પેઠે ખાંડી-વાટી ચેાવીશ તાલાભાર પાણીમાં પલાળી-ભીજવી આખી રાત એમને એમ રહેવા દઇ સવારે લઇ લેવું તે હિમ તથા શિતકષાય કહેવાય છે. પીવામાં તેની માત્રા આઠ તાલા લેવી. મંથ કરવાના વિધિ. ચાર તોલાભાર આબંધનું ચૂર્ણ કરી તેને સેળ રૂપીઆભાર ટાઢાડા પાણીમાં નાખી સારી પેઠે માટીના વાસણમાં વાવવામાં આવે તે મથ કહેવાય છે. મંથની માત્રા આઠ તેલા ભાર પીવી. ફાંટ કરવાના વિધિ. સારી પેઠે ચુર્ણ કરેલા ચાર તોલાંભાર એષધને માટીના વાસણમાં નાખી તેમાં સોળ રૂપીઆભાર ઉન્હેં પાણી નાખીને પછી કપડાથી ગાળી લેવું તે ફ્રાંટ કહેવાય છે. ક્રાંટની માત્રા આફ તેલા બાર પીવી અને તેમાં સાકર કે ગાળ વગેરે નાખવાં હોય તે એક તેલા ભાર નાખવાં. કલ્ક કરવાના વિધિ. લીલાં આષધાને પત્થરથી વાટીને તથા સુકાં હોય તે તેમાં પાણી નાખી સરસ ૫ત્યરના છીપર ઉપર વાટી તેની ચટણી જેવી લુગદી કરવામાં આવે તે કલ્ક કહેવાય છે. પ્રક્ષેપ અને આવાપ એ કલ્લુનાંજ નામ છે. કલ્કની માત્રા એક રૂપીઆભાર લેવી, તેમાં મધ ધી કે તેલ નાખવાં હોય તો બમણાં નાખવાં, સાકર કે ગેાળ નાખવાં હોય તે સમાન નાખવાં અને કોઇ દ્રવ નાખવા હોય તે ચોગણી નાખવે. ચૂર્ણ કરવાના વિધિ. અત્યંત મુકેલા આબધાને સારીપેઠે ઝીણાં વાટી કપડાથી ચાળી લેવામાં આવે તે ચૂર્ણ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy