SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શબ્દાર્થ વિવેક, (32) ખુલાસે લખાણથી આધારથી કહેલુ છે? આને કરવાની જરૂર છે. આજ સૂત્રના દેશમાં અધ્યયનમાં તેમજ ધણી જગાએ એવું ફરમાવેલુ છે કે જે જગાએ માંસ વીગેરે રધાતા હાય-વપરાતા હોય તે માર્ગે થઇને પણ સાધુ મુનિરાજે જવું નહિ–સ ખેધસતરિઆદિ જૈન શાસ્ત્રામાં કહેલું છે કે: आमासु पक्कायं विपचमाणासु मंसपेसीसु सययं वि उववाओ भणियोय निगोयजीवाणं ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-—અગ્નિથી નહિ પકવેલા-કાચા તથા પકવેલા-પાકા માંસ તથા અગ્નિથી પચતા માંસ-માંસના પડમાં સદા અંતર રહીત જ્યાં સુધી માંસ રહે ત્યાં સુધી તેમાં નિગાદિયા જીવ ઉપજે છે એમ કહેલું છે. તેમજ ચાદ પ્રકારનાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થવાનાં સ્થાનક શ્રી પન્નવણા તથા સમવાચાંગ આદિ સૂત્રામાં કહેલાં છે તેમાં પ્રાણીઓના લાહીમાંસાદી લીધેલાં, છે. શ્રી ઠાણાંગ સૂત્રને દશમે ટાણે હિમંતેસોનિ અર્થાત્ હાડ, માંસ-લાહી વીગેરે અસઝાય-અપવિત્ર કહી છે જે સ્થાનકમાં ત્રસજીવનાં ક્લેવર પડયાં હોય ત્યાં સાધુને અસઝાય લાગે. શ્રી ઉવવાઈ તેમજ ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારે નરકાયુષ્યનેા બંધ પડે છે. જેમાં પરિસ્થિવાળ એટલે પંચેન્દ્રિયનો વધ કરવાથી તેમજ ાિરેળ એટલે માંસને આહાર કરવાથી. તેમજ માંસ દિરા -મધ--માખણુ વીગેરે જૈન શાસ્ત્રમાં અભક્ષ કહેલાં છે. શ્રી દશવૈકાળિક સૂત્રમાં મદિરાને નીસે કરનારને મહાપાપી કહેલે છે તેમજ શ્રી ઉપાશક દશાંગ મૂત્રમાં આમવાળુ ઘુંટાભાવિ હાલ્યા એ શબ્દો સૂચવે છે કે શ્રીરાજગૃહ નગરમાં ત્રસ પચેન્દ્રિયના વધતા બંધ કરવાના શ્રેણીક રાજાએ અમર પડ, વગડાવ્યા છે. શ્રી સુયગડાંગ સૂત્રમાં માંસાહારીને અનાર્ય--મિથ્યા દૃષ્ટિ કહેલા છે. શ્રી ભગવતી સૂત્રમાં તાપસના અધીકારમાં મિજીદ્યા એટલે મૃગનું માંસ ખાયતે મૃગ લુબ્ધ તાપસ કહેવાય--એટલે જે જાતનું માંસ ખાય છે તેમને તેવી સ ંજ્ઞાથી એળખવામાં આવે છે, માટે જૈન સાધુએ ને માંસાહારી કહેવા એ પૂર્ણ વિચારની ખામી વાળુ છે. શ્રીપ્રશ્નવ્યાકરણના બીજા શ્રુતસ્કંધમાં પાંચમા સરદારે મત્ત મધુ મજ્ઞેળો સન્નિષ્ઠરે એટલે માંસ મદિરા મધ દહીંમાં મન ન કરે-આશક્ત ન હેાય તેમજ સાધુએ “શ્રમજ્ઞ મંસાણિ” એટલે સાધુઓ મધ--માંસના ત્યાગી હોય આ સંબધે શ્રીપ્રશ્નવ્યાકરણના વરદ્વારમાં સાધુઓના આચાર પ્રકરમાં ધણું વિવેચન કરેલુ છે જે જોવાથી શંકાનું સમાધાન થશે. શ્રી નિશીથ આદિ છેદ સૂત્રામાં મધ માંસ સબધે એવું કહેલું છે કે સાધુ સાધવીએ જે જગાએ માંસાદિ રધાતા હોય તે જગાએ અગર તે રસ્તે સાધુએ રહેવું તેમજ જવું નહિ. શ્રીદશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના પેહેલા ઉદેશામાં આદુ દિવ વીગેરે પાઠું છે તેના અર્થ એવે છે કે-જે ફળને વિશે ધણા ઢળી હોય તે સીતાકુળ પ્રમુખ, તથા પાગળ વૃક્ષનાં ફળ, અિિમસ નામે વૃક્ષના ફળ, જેને ઘણાં કાંટા હોય તે અગથીઆનાં મૂળ, ટીમરૂંના ફળ, ખીલીનાં ફળ, શેલડીના કટકા, શામલી વેલાના ફળ અને તુરાની પાંખડી સાધુ સાધવીને ન કલ્પે--આ વાક્યમાં અષ્ટિ શબ્દના અર્થે અસ્થિ એટલે દળીઆ કહેલાં છે. શ્રીપન્નવણા સૂત્રમાં વનસ્પતિના અધિકારમાં દુિશા ાદુ અવિા એવા શબ્દો છે તેના અર્થ થોડા કે ઝાઝાં હાડકાં નહિ પણ હરડે--દાડમ--વીગેરે છે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકમાં શ્રીવીર પ્રભુને જ્યારે લાહીખડવાડા થયા હતા તેની દવા માટે રેવતી ગાથા પતિને ત્યાં સીંહા અણુગારને પાક લેવા માટે મેકલ્યા હતા ત્યાં વાવ સરીરે, કુલ અંકે એવા પાડે છે તેના અર્થ કબૂતર કે કુકડા માંસ નહિ પણ કાળાપાક તથા બીજોરાપાક થાય છે. ગુજરાતમાં એવી કહેવત છે કે ગાઉએ ખેલી બદલે ” એટલે એક ગામમાં એક ચીજને જે નામથી ઓળખવામાં આવે છે તેને ખીજા દેશમાં તદ્દન જુદા અને વિચિત્ર નામથી ઓળખવામાં આવે છે. માળવા દેશમાં ભુરા કબુતરને જોહા કહે છે-આ નામની વનસ્પતિ પણ કેટલાક દેશામાં થાય છે એટલે તેના અર્થ વિચારવા અને બધ અેસતા સમજવામાં પૂર્ણ વિચારની આવશ્યક્તા છે. શ્રીભગ ck બાર "" For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy