SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) શબ્દાર્થ વિવેક મારવામાં આવે તેનું માંસ અથવા બીજા કોઈ પ્રાણીના મારવાથી મરે તેનું માંસ, બકરી ઈદને દીવસે બકરી ને મારવા વિશે હુશનમાં સુરાહહજતી ૩૬ મી આયામાં અલ્લા તાલાએ ખુદ ફરમાવેલું છે કે-માંસ અગર લોહી મને પહોંચશે નહિ પણ એક પરહેજગારી પહેચશે. “ યુ હૌન ”–ગાયનું માંસ રેગ છે. આવાં આવાં અસંખ્ય પ્રમાણે સર્વ ધર્મમાંથી મળી શકે છે પરતુ લંબાણ થવાના ભયથીજ અત્રે ન ટાંકતાં વિશેષ ખાત્રી માટેપ્રાણ હિંસા-ખોરાક નિષેધક નામનું પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ, માંસાહાર લેવાથી શારીરિક તેમજ માનસિક નુકશાન સંબંધે પ્રખ્યાત છેકટરના અભિપ્રાય તપાસવાની પણ જરૂર છે પાકટર-ટી-એલ-નીકલસ–ઍમ–ડીT. 1 Nichols M. D. ને એ અભિપ્રાય છે કે “A flesh diet is exciting, feverish, inflammatory, as well as impure and often poisonous. Flesh eaters are especially subject to inflammatory diseases, particularly fevers and dysentary. Flesh eating giving us an unnatural excited life, leads to sensuality; sensuality brings exhaustaion, exhaustion demands stimulation; and so the work of destruction goes on”. અર્થ-માંસનો ખોરાક લાગણી ઉશ્કેરનાર, દુષ્ટ વિકાર ઉત્પન્ન કરનાર અને ગંદે તથા ઘણી વખત ઝેરી હોય છે. માંસાહારી લેકને તાવ, મરડો વગેરે રોગે વારંવાર થાય, છે. પ્રાણી ખોરાક વિકાર ઉત્પન્ન કરે છે તેથી તે ખાનાર વિષય લુબ્ધ અને રાચરણી અને છે. વળી વિષય લુબ્ધ લોકો જલદીથી કૈવતહીન થઈ જવાથી તેઓને કૃત્રિમ જુસ્સાની જરૂર પડે છે અને આવી રીતે તેઓ વિનાશની નજદીક આવતા જાય છે. એ સિવાય જનક્રાઉન ઍમ. ડી. વીગેરે મોટા મેટા ડાકટરે માંસ ભક્ષણથી બહુજ નુકશાન થાય છે એ અભિપ્રાય ધરાવે છે. . ઓલ્ડ ફીલ્ડ નામનો એક યુરોપીઅન ત્રણ ચાર માસ પહેલાં હિંદુસ્તાનમાં આવ્યું હતું તે હિંદુ રીત મુજબ ખોરાક લેતા. તે વેજીટેરીઅન–-વનસ્પતીનો ખોરાક લેનાર હતો. ખુદ યુરેપમાં પણ ઘણા યુરોપીઅને માંસ મદિરા માટે પ્રતિજ્ઞા લઈ–વેજીટેરીઅન–મંડળીમાં મળ્યા છે ને મળે છે. વળી મી. લુટાર્કે આ વિષય ઉપર એક ખાસ નિબંધ લખેલો છે જે બહુ લાંબો હોવાથી અમે દાખલ કરેલ નથી પરંતુ તેનાં વાક્ય વાધે માંસ ભક્ષણને નિષેધ કરેલ છે. આજના જમાનામાં કૉડલીવર ઓઈલ ટેરેલ વીગેરે માંસમાંથી બનાવેલી ચીજે દવાઓ તરીકે વપરાય છે પરંતુ આજના જમાનામાં તેવી દવાઓથી નવા નવા ઘણા રોગ ઉત્પન્ન થયાં છે અને થાય છે વળી યુરોપ જતાં હિંદુઓ જેઓ માંસાહાર કરતા નથી તેનું શરીર બહુજ સારું રહે છે, પરતું માંસાહાર કરનારાઓ અકાળ મૃત્યુ પામ્યાના ઘણાં દષ્ટ બનેલાં છે. વળી વિદ્વાન કવિઓ–બર્ન, વર્ડઝવર્થ, શેલી, અને બુચનન વગેરે પણ પિતાના ગ્રંથમાં સંપૂર્ણ રીતે માંસ ભક્ષણને નિષેધે છે. માનવામાં આવતાં પ્રાણી નાં ઉપયોગપણા સંબંધે તથા તેમના તરફથી આપણને મળતા લાભો તરફ વિચારીએ તે તે સંબંધે પુસ્તકનાં પુસ્તક લખી શકાય-હિંદુસ્તાનમાં વારંવાર દુષ્કાળ પડવાના કારણોમાં “પ્રાણિ હિંસા અને માંસાહાર ” ને મુખ્ય કારણ ભૂત ગણવામાં આવે છે, એવા લબાણ લેખે શ્રી સયાજી વિજય. વીગેરે જાહેર પેપરોમાં ઘણી વખત છપાયેલા વાંચવામાં આવે છે. જ્યારે આ પ્રમાણે અન્ય મતોમાં પણ માંસાહાર માટે સક્ષમના કરેલી છે ત્યારે જૈન ધર્મ જેને દયા એજ મુદ્રાલેખ Motto છે, જેનું દયા ઉપરજ મંત્રણ છે. અને જે દુનિયામાં દયા ના પ્રતાપથીજ પ્રસિદ્ધિ પામેલ છે, તેવા દયાળુ ધર્મમાં માંસાહાર નિષેધ ન હોવાનું બેલવું એ પિતાની જીભ અપવિત્ર કરવા જેવું અને જેનના સિદ્ધાંતને અપમાન કરવા જેવું છે. આ સ્થળે કોઈ એમ કહેશે કે-આજ પુસ્તકના ૬૧૮-૧૨૮ વગેરે વાક્યમાં કહેલું છે તે શા For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy