SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૯ (૧૧) મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપમાંથી ઉત્પન્ન થયેલ સ્પેશનાદિ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઇ ઇન્દ્રિય તથા મનના અવલંબનસહયોગથી યુકત જે જ્ઞાન દ્વારા કોઇક મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષ રૂપે જાણવામાં આવે છે તેને મતિજ્ઞાન તથા “અભિનિબોધિકજ્ઞાન” કહે છે. (૧૨) (૯) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગપૂર્વક સ્વ સન્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. (૯) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે. એવા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. (૧૨) મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. (૧) મતિજ્ઞાનાવરણની ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાની શકિત) તે ઉપલબ્ધિ ભાવના જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના (૯) અનુકત (નહિ કહેલ)= જે વસ્તુનું વર્ણન આપ્યું નથી તેને | જાણવી, જેનું વર્ણન ન સાંભળવા છતાં પદાર્થ જ્ઞાનગોચરા થવો. (૧૦) ઉકત કહેલા પદાર્થનું જ્ઞાન થવું. વર્ણન સાંભળ્યા પછી પદાર્થ જ્ઞાનગોચર થવો. (૧૧) ધ્રુવ ઘણા કાળ સુધી જ્ઞાન એવું ને એવું રહેવું દઢતાવાળું જ્ઞાન. (૧૨) અધ્રુવઃ જે ક્ષણે ક્ષણે હીન-અધિક થાય તેવું જ્ઞાન, અસ્થિરજ્ઞાન. ઉપરના બધા ભેદો સમ્યકમતિજ્ઞાનના છે. જેને સમ્યજ્ઞાન થયું હોય તે જાણે છે કે આત્મા ખરેખર પોતાના જ્ઞાનપર્યાયને જાણે છે, પર તો તે જ્ઞાનનું નિમિત્ત માત્ર છે. પરને જાણયું એમ કહેવું તે વ્યવહાર છે. જો પરને જાણે છે. એમ પરમાર્થદષ્ટિએ કહીએ તો તે ખોટું છે, કેમ કે તેમ થતાં આત્મા અને પર (જ્ઞાન અને શેય) બન્ને એક થઇ જાયઃ કેમ કે, જેનું જે હોય તે તે જ હોય; તેથી ખરેખર પુદગલનું જ્ઞાન છે એમ કહીએ તો જ્ઞાન પુગલરૂપ-શેયરૂપ થઇ જાય. માટે નિમિત્ત સંબંધી પોતાના જ્ઞાનના પર્યાયને આત્મા જાણે છે એમ સમજવું (૯) મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઇ ઇન્દ્રિય તથા મનના અવલંબન-સહયોગથી યુકત જે જ્ઞાન દ્વારા કોઇ મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષરૂપે જાણવામાં આવે છે. તેને મતિજ્ઞાન તથા અભિનિબોધિક કહે છે. (૧૦) મતિજ્ઞાનના ચાર ભેદ છે. (૧) અવગ્રહ=વસ્તુના બોધનું પકડવું (૨) ઇહા=વસ્તુ શું છે તે નકકી કરવા વિચારવું અવાય =આ વસ્તુ આમ જ છે, અન્યથા નથી, એવો નિર્ણય કરવો. (૪) ધારણા=જે જ્ઞાનથી જાણેલાં પદાર્થમાં કાળાન્તરમાં સંશય તથા વિસ્મરણ ન હોય (૩) ઉપયોગ =આ કાળું છે. આ પીળું છે. ઇત્યાદિ અર્થગ્રહણ વ્યાપાર (પદમર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. (૧૩) મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. અવગ્રહ, ઇહા (વિચારણા), અવાય (નિર્ણય) અને ધારણા. (૧૪) મતિજ્ઞાન ચાર ભેદવાળું છે. અવગ્રહ, હાવિચારણા), અવાય (નિર્ણય) અને ધારણા (૧૫) મતિજ્ઞાન બાર ભેદવાળું છે. બહુ, એક, એક વિધ, બહુવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુકત, ઉકત,ધ્રુવ અને અવ. આ પ્રમાણે મતિજ્ઞાન બાર ભેદોવાળું છે. ત્યાં ઘણાંને જાણે તે બહુ ને એકને જાણે તે એક છે. બહુવિધ મતલબ કે બધા પ્રકારને જાણે. આ પણ પોતાની (જ્ઞાનને અનુસરીને થયેલી) પર્યાય છે. હો. સામે ઝાઝેરા દ્રવ્ય છે માટે ઝાઝા દ્રવ્ય જણાય છે એમ નથી. એકવિધમાં એક પ્રકારનું જ્ઞાન થાય. ક્ષિપ્ર-એકદમ થાય, ને અક્ષિપ્રહળવે હળવે થાય, અનિઃસૃત-અધુરું થાય, ને નિઃસ્તૃત-પૂર્ણ થાય. અનુકતકહ્યા વિનાનું થાય, અર્થાત્ કોઇ ચિહ્નથી નહિ પણ એમને એમ થાય. ઉકત 3)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy