SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું હોય ને થાય. ધૂ-થયેલું જ્ઞાન ટકે અને અધુવ-જ્ઞાન ન ટકે. આવા આમ મતિજ્ઞાનના બાર ભેદો છે. આ ભેદો પણ પોતાની જ્ઞાન પર્યાયના છે અને તે જ્ઞાનગુણને અનુસરીને થાય છે. (૧૬) આત્મા જે સ્વભાવથી સર્વોત્તમ પ્રદેશ વ્યાપી શુધ્ધ જ્ઞાનસ્વરૂપ છે તે અનાદિ કાળથી જ્ઞાનાવરણથી પ્રદેશે આચ્છાદિત થયો છે. અને તે આવરણના મતિજ્ઞાનાવરણાદિ પાંચ મુખ્ય ભેદ છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઇ ઇન્દ્રિય તથા મનના અવલંબન સહયોગથી યુકત જે જ્ઞાન દ્વારા કોઇક મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષરૂપે જાણવામાં આવે છે. તેને મતિજ્ઞાન' તથા અભિનિબોધિક જ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના શ્રયોપશમથી ઉત્પન્ન થયેલ અને અતિન્દ્રિય મનના અવલંબન- સહયોગથી યુકત જે જ્ઞાન દ્વારા કોઇક મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિશેષરૂપે જાણવામાં આવે છે તેને “શ્રુતજ્ઞાન” કહે છે. અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા કોઇક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપે સાક્ષાત્ જાણવામાં આવે છે તેનું નામ “અવધિજ્ઞાન’ છે. મનઃ પર્યય જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા બીજાના મનમાં રહેલ કોઇક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપે સાક્ષાત જાણવામાં આવે છે તેને મન:પર્યય જ્ઞાન કહે છે. કેવળજ્ઞાન જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ આવરણના અત્યંત ક્ષયથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાનથી સંપૂર્ણ મૂર્ત-અમૂર્તરૂપ દ્રવ્યસમૂહને વિશેષરૂપે જાણવામાં આવે છે તેને કેવળજ્ઞાન” કહેવામાં આવે છે અને તે સ્વાભાવિક હોય છે. (૧૭) મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઉપલબ્ધિ; ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબિધ છે. જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના છે. આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિરૂપે અર્થગ્રહણ વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. (૧૮) પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે. પતિશાનના કમના ભેદો :અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એમ ચાર ભેદો છે. | ૭૪૦ અવગ્રહ=ચેતનામાં જે થોડો વિશેષાકાર ભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાને તેને અવગ્રહ કહે છે. વિષય અને વિષથી (વિષય કરનાર)નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્યગ્રહણ તે અવગ્રહ છે. સ્વ અને પર બન્નેનો (જે વખતે જે વિષય હોય તેનો) પહેલાં અવગ્રહ થાય છે. (પરેશ્મણ) ઇહા=અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપ જાણવાની ચેષ્ટાને ઇહા કહે છે. (કોન્સેશન) અવાય =વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઇ જાય તે અવાય છે. (જજમેન્ટ) (૪) ધારણા=અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. (રીટેન્શન) પતિતર્પણ હાજી હા કરનાર (૨) બુધ્ધિ સંતોષ; બુદ્ધિ તૃમિ મતિ-મૃતાદિ ણાયોપચ્છમિક શાન :ક્રમપૂર્વક જાણવું; નિયત આત્મ પ્રદેશથી જ જાણવું; અમુકને જ જાણવું ઇત્યાદિ મર્યાદાઓ મતિ-મૃતાદિ ક્ષાયોપથમિક જ્ઞાનમાં જ સંભવે છે. પતિ-શતાદિ ઘન ક્રમપૂર્વક જાણવું; નિયત આત્મ પ્રદેશથી જ જાણવું; અમુકને જ જાણવું ઇત્યાદિ મર્યાદાઓ મતિ-શ્રુતાદિ ક્ષાયોપથમિક જ્ઞાનમાં જ સંભવે છે. ધન :અભ્યાસ, આરાધના બદ :આઠ પ્રકારના મદ નીચે પ્રમાણે છે:- (૯) જાતિમદ,(૯) કુળમદ, (૯) બળ મદ, (૯) રૂપમદ, (૯) તપ મદ, (*) લાભ મદ, (*) મૃત મદ, (૯) ઐશ્વર્ય મદ ૨ (૨) કષાય (૩) માન; અભિમાન; અપવિત્રપણું (૪) માન (૫) અહંકાર, અભિમાન (૬) આઠ પ્રકારના છેઃ જાતિ, કુલ, રૂપ, વિદ્યા, ધનદોલત (ઋધ્ધિ), બલ, તપ, સત્તા (અધિકાર પ્રભુતા) (૭) અહંકાર; ઘમંડ (૮) આઠ પ્રકારના મદ હોય છે.:- જાતિ, કુલ,ધન,બળ,રૂપ,વિદ્યા, અધિકાર અને તપ. મદ ખોઈને નિર્માનતા પ્રગટ કરીને, મદ=માન, અભિમાન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy