SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પણ બે પ્રકારનો હોય છે, અર્થ અને વ્યંજન. અર્થ પર્યાય તો છયે દ્રવ્યોમાં સમાનરૂપથી થવાવાલા એક ક્ષણ ટકવાવાળા સૂક્ષ્મ પરિણમનને કહે છે. વ્યંજન પર્યાય જીવ અને પુદગલના સંયોગી અવસ્થાઓને કહે છે અથવા ભાવાત્મક પર્યાયોને અર્થ પર્યાય અને પ્રદેશાત્મક આકારોને, વ્યજંન પર્યાય કહે છે. બંને પર્યાયો જ, સ્વભાવ અને વિભાવના ભેદથી, બે પ્રકારના હોય છે. શુદ્ધ દ્રવ્ય અને ગુણોનો પર્યાય વિભાવિક હોય છે. આ બંને ધ્રુવ અને ક્ષણિક બંને અંશોથી જ, ઉત્પાદ વ્યય ધોવ્યરૂપ વસ્તુની અર્થક્રિયા સિદ્ધ થાય (૧) ભેદ અને લક્ષ પર્યાય સામાન્યનું લક્ષણ :- જે બધી તરફથી ભેદને પ્રાપ્ત કરે, તે પર્યાય છે. જે સ્વભાવ વિભાવરૂપથી ગમન કરે છે, અર્થાત્ પરિણમન કરે છે, તે પર્યાય છે. આ પર્યાયની વ્યુત્પતિ છે. ૨. દ્રવ્યાંશ યા વસ્તુ વિશેષના અર્થમાં. પર્યાયનો અર્થ-વિશેષ, અપવાદ અને વ્યાવૃત્તિ છે. સ્વાભાવિક અથવા નૈમિત્તિક, વિરોધી અથવા અવિરોધી ધર્મોમાં, અમુક શબ્દ વ્યવહાર માટે, વિવક્ષિત દ્રવ્યની અવસ્થા વિશેષને પર્યાય કહે છે. સતુને આદિથી લઇને, અવિભાગ પ્રતિછેદ પર્વત, જે આ જ સંગ્રહ પ્રસ્તાવ, ક્ષણિક વિવક્ષિત અને શબ્દભેદથી, ભેદને પ્રાપ્ત થઇ, વિશેષ પ્રસ્તાવ કે પર્યાય છે. વૃત્યાંશો અર્થાત પર્યાયો ક્ષણિકત્વ હોવા છતાં, પણ દ્રવ્યમાં, જે અંશકલ્પના કરવામાં આવે છે એ જ તો પર્યાયોનું સ્વરૂપ છે. પરિણમન ગુણોની જ અવસ્થા છે, અર્થાત ગુણોની પ્રતિ, દરેક સમય થવાવાળી અવસ્થાનું નામ પર્યાય છે. વ્યવિકારના અર્થમાં તેનું થવું અર્થાત દરેક સમયે બદલતા રહેવારૂપ પરિણામ છે. અર્થાત ગુણોના પરિણમનને પર્યાય કહે છે. ૧. દ્રવ્યના વિકારને પર્યાય કહે છે. ૨. દ્રવ્યના વિકાર, વિશેષ ફળથી ભેદને પ્રાપ્ત થયા છે. એથી તે પર્યાય કહેવાય છે. સામાન્ય ૬૦૫ વિશેષાત્મક ગ, એક દ્રવ્યમાં વસ્તુત્વને, બતાવનાર છે તેમના પરિણામ પર્યાય છે. ૪. પર્યાયના એકા®વાચી નામ. પર્યાયનો અર્થ વિશેષ, અપવાદ અને વ્યાવૃત્તિ (પોતાના લક્ષણોનો વિચ્છેદ, તે વ્યાવૃત્તિ છે; સજાતીય અને વિજાતીય પદાર્થોથી, સર્વથા ભિન્ન થવાવાળી પ્રતીતિને, વ્યાવૃત્તિ અથવા વિશેષ કહે છે; અથવા વિવક્ષિત પદાર્થમાં બીજા પદાર્થના નિષેધને વ્યાવૃત્તિ કહે છે.) અન્ય પદાર્થોના ભેદને વિષય કરનાર અનુમાન. વ્યવહાર, વિકલ્પ, ભેદ અને પર્યાય આ બધા કાર્થ છે. પર્યય, પર્યવ, અને પર્યાય આ એકાWવાચી છે. અંશ, પર્યાય, ભાગ, હાર, વિયા, પ્રકાર તથા ભેદ, છેદ અને ભંગ, આ બધા એક જ અર્થના વાચક છે. (૨) પર્યાયના બે ભેદ ૧. સહભાવી અને ક્રમભાવી. જે પર્યાય છે તે ક્રમભાવી અને સહભાવી, એ રીતે બે પ્રકારની છે. દ્રવ્ય અને ગુણ પર્યાય, પર્યાય ગુણાત્મક પણ છે, અને દ્રવ્યાત્મક પણ. પર્યાય બે પ્રકારના હોય છે. દ્રવ્ય પર્યાય અને ગુણપર્યાય. અર્થ પર્યાય અને વ્યજંન પઅથવા બીજા પ્રકારથી અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય રૂપથી પર્યાય બે પ્રકારની હોય છે. સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય પર્યાય બે પ્રકારના હોય છે. સ્વભાવ અને વિભાવ, ત્યાં દ્રવ્ય અને ગુણ બંનેની જ પર્યાય સ્વભાવ અને વિભાવના ભેદથી બે-બે પ્રકારની જાણવી જોઇએ. પર્યાય બે પ્રકારની હોય છે. સ્વભાવ અને વિભા એ બંને જ બે-બે પ્રકારની હોય છે. જેમ કે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, વિભાવગુણ વ્યજંન પર્યાય; સ્વભાવ દ્રવ્ય વ્યજંન પર્યાય અને સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy