SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય પર્યાય બે પ્રકારની હોય છે-સમાન જાતીય અને અસમાન | જાતીય. ગુણ પર્યાય બે પ્રકારની છે.- સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય. ૫. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શદ્ધ પર્યાય. સ્વભાવ પર્યાયો અને વિભાવ પર્યાયોની વચ્ચે પ્રથમ સ્વભાવ પર્યાય બે પ્રકારની કહેવામાં આવે છે. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય. દ્રવ્ય પર્યાય સામાન્યનું લક્ષઅનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિ, પ્રતિ (પ્રતિ પાદન) (પ્રામિ)ના કારણભૂત, દ્રવ્ય પર્યાય છે. - ૫. સા. ગાથા-૯૨ પંચાધ્યાયી-પૂ.૧૩૫ દ્રવ્યના જેટલા પ્રદેશરૂપ અંશ છે, તેટલા એ વાધા નામથી, દ્રવ્ય પર્યાય છે. સમાન અને અસમાન જાતીય દ્રવ્ય પર્યાયનું લક્ષ્ય સમાન જાતીય તે છે- જેવાં કે, અનેક પુદગલાત્મક દ્વિઅણુક, ત્રિઅણક ઇત્યાદિ. અસમાન જાતીય તે છે જેમ કે, જીવ પુલાત્મક દેવ,મનુષ્ય ઇત્યાદિ. સ્વલક્ષણભૂત સ્વ અરિત્તત્વથી નિશ્ચિત અન્ય અર્થમાં વિશિષ્ટ (ભિન્ન ભિન્ન) રૂપથી ઉત્પન્ન થતા અર્થ (અસમાનજાતીય) અનેક દ્રવ્યાત્મક પર્યાય છે. જો કે જીવની પુલમાં સંસ્થાન આદિથી, વિશિષ્ટતાથી ઉત્પન્ન થતી અનુભવમાં આવે છે. બે, ત્રણ અથવા ચઈત્યાદિ, પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્ય મળીને, અંધ બને છે. તો આ એક અચેતનની, બીજા અચેતન દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થવાવાળી, સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવાય છે. હવે અસમાન જાતીય દ્રવ્ય પર્યાય કહે છે. -ભવાન્તરથી પર્યાય પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ તન્મય એટલે પર્યાય દ્રવ્યાભિમુખ થઈ. દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. પર્યાય બુદ્ધિ :ભેદની બુધ્ધિ; રાગની બુધ્ધિ (૨) દેહદૃષ્ટિ પર્યાય કોને કહે છે? :ગુણના વિશેષ કાર્યને (પરિણમનને) પર્યાય કહે છે. પર્યાયના કેટલા ભેદ છે? બે છે. વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. પર્યાયશાન જે પર્યાય એકલું પરનું જ્ઞાન કરે છે તે પલટી સ્વનું જ્ઞાન કરે તે પર્યાયજ્ઞાન છે. જ્ઞાનસામર્થ્યની છે. શ્રુતજ્ઞાનની પર્યાય સ્વ-પર પ્રકાશક થાય તે સાચી છે. જે પર્યાય રાગમાં અટકે તે પર્યાયજ્ઞાન નથી. એક સમયમાં જ્ઞાન-પર્યાય સ્વ-પરને જાણવાની તાકાતવાળી છે-એમ નહીં જાણતાંમાનતાં એકલા રાગને જાણે અથવા પરને જાણે તે પર્યાયજ્ઞાન નથી. પર્યાયમાં સ્વ-પર પ્રકાશક જ્ઞાન સમ્યક્ પ્રગટ ન થાય ત્યાં સુધી પર્યાયજ્ઞાન સાચું નથી. જ્ઞાનપર્યાયનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પર્યાયજ્ઞાન શબ્દ વાપરેલો છે. પર્યાય :પૂરતી; સંપૂર્ણ પર્યાયટિઃ વ્યવહાર દ્રષ્ટિ; મિથ્યાદ્રષ્ટિ (૨) પર્યાયમૂઢ પર્યાયના પર્યાયવાચક શબ્દ અંશ, પર્યાય, ભાગ, હાર, વિધ, પ્રકાર, ભેદ, છેદ, ભંગ, આ બધા શબ્દ એક અર્થના વાચક છે. બધાનો અર્થ પર્યાય છે. પર્યાયના પર્યાયવાચક શબ્દ અંશ, પર્યાય, ભાગ, હાર, વિધ, પ્રકાર, ભેલ, છેદ, ભંગ, આ બધા શબ્દો એક અર્થના વાચક છે. બધાનો અર્થ પર્યાય છે. પર્યાયના ભેદ :પર્યાયના બે ભેદ છેઃ વ્યજંન પર્યાય અને અર્થ પર્યાય (૧) વ્યંજન પર્યાય-દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિકાસને (પરિણમનને), વ્યજંનપર્યાય કહે છે. વ્યજંન પર્યાયના બે ભેદઃ સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યજંન પર્યાય (૨) સ્વભાવ વ્યજંન પર્યાય= પર નિમિત્તના સંબંધ રહિત, દ્રવ્યનો જે આકાર હોય, તેને સ્વભાવ વ્યજંન પર્યાય કહે છે. જેમ કે, જીવની સિદ્ધ પર્યાય. (૩) વિભાવ વ્યંજન પર્યાય = પર નિમિત્તના સંબંધથી, દ્રવ્યનો જે આકાર થાય, તેને વિભાવ વ્યંજન પર્યાય કહે છે. જેમ કે, જીવની નર, નારકાદિ પયય. (૪) અર્થ પર્યાય = પ્રદેશત્વગુણ સિવ, બાકીના બધાય ગુણોના વિકારને, અર્થપર્યાય કહે છે. અર્થ પર્યાયના બે ભેદ છેઃ સ્વભાવ અર્થપર્યાય અને વિભાવ અર્થ પર્યાય (અર્થપર્યાયઃગુણ પર્યાય)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy